________________
પ્રકરણ આઠમું
શકુનિકાવિહાર અનુકૂળ વાયુવેગથી વહાણે સડસડાટ કરતાં શીઘ ગતિએ ભરુચ બંદરના બારામાં દાખલ થઈ ગયા. ચંદ્રને જોઈને જેમ સાગર ઉછાળા મારે તેમ ભરુચ નજરે પડતાં સુદ
નાને આનંદ-સાગર ઊછળવા લાગ્યો. દૂરથી વહાણેને માટે કાફલો નજરે પડતાં બંદરરક્ષકોએ રાજાને બાતમી આપી અને રાજવી જિતશત્રુએ પણ દુશ્મનના આગમનની આશંકાથી તેના પ્રતીકાર માટે ભેરી વગડાવી. જોત-જોતામાં તે રાજવીનું વિપુલ સૈન્ય સમુદ્રના કિનારે એકત્ર થઈ ગયું. સુદર્શનાએ આ દશ્ય જોઈ કંઈપણ અનર્થકારક પ્રસંગ બને તે પૂર્વે સત્ય વસ્તુરિથતિથી રાજવીને માહિતગાર કરવા નાની હેડદ્વારા ત્રાષભદત્તને મિક્લી આપે. તેને નજરે નિહાળતાં જ જિતશત્રુ રાજવીએ તેનું ભાવભીનું સન્માન કર્યું અને તેની સાથે વિશેષ વાર્તાલાપ થાય તે પર્વે તે બાકી રહેલા વહાણે પણ ભરૂચની વિશાળ કાંઠા પર આવી લાંગર્યા. સુદર્શના સંબંધી ઓળખાણ આપતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com