________________
પ્રકરણ ચોથું
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ
ક્ષેત્રસ્પર્શના કરતાં કરતાં સુવ્રતાચાર્ય હસ્તિનાપુર આવી ચઢયા. રાજવી પડ્યોત્તરે સપરિવાર આડંબરપૂર્વક જઈ તેમને વંદન કર્યું. તેમની અમૃતવાહિની વૈરાગ્ય- વાણી સાંભળી, ક્ષીર અને નીર જેમ એકરૂપ બની જાય તેમ સુત્રતાચાર્યની દેશના રાજવી પદ્ધોત્તરના ભવભીરુ હૃદયમાં સચોટ ઊતરી ગઈ. આયુષ્યની ક્ષણભંગુરતા તથા સંસારની વિચિત્રતાનો વિચાર કરી તેમણે ત્યાં ને ત્યાં જ પારમેશ્વરી દીક્ષાના પથિક બનવાને નિર્ણય કરી લીધે. આચાર્ય મહારાજની આજ્ઞા લઈ નગરમાં આવી પિતાના , પ્રધાનો તથા સામંતવર્ગને એકત્ર કરી પિતાને વિચાર દર્શાવ્યું અને જ્યેષ્ઠ પુત્ર તરીકે વિષ્ણુકુમારને રાજગાદી સેંપવા માંડી. વિષ્ણુકુમાર પણ જન્મથી જ વિરક્ત ભાવવાળા હતા. તેમને ભેગ કરતાં યોગ વિશેષ પ્રિય હતું અને તેને માટે ઉચિત અવસરની રાહ જોઈ રહ્યા હતા તેવામાં આ સુવર્ણ સમય સાંપડેલ જોઈ તેમણે પિતને વિનમ્રભાવે જણાવ્યું કે મારે રાજોગોની ઈચ્છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com