________________
ઘંટાકર્ણ મંત્રજાપ ]
આ મંત્રની સાધના સમયે દહીં, દૂધ, ઘી, ખાંડ, દ્રાક્ષ, ખારેક, બદામ અને ચાળીને હોમ કરે અને ૧૦૮ વાર મંત્રજાપ કરી યંત્ર બાંધવું.
(૫) બાળરક્ષા માટે ઘંટાકર્ણના મંત્રને અષ્ટગંધથી ઉપરના ભાગમાં લખી ૩ષ્કારનું ચિહન કરી, ભેજપત્ર, રૂપાપત્ર અથવા સોનાના પત્રમાં મઢી, તૈયાર કરેલા તે યંત્રને તાવીજમાં નાખી, બાળકના ગળે બાંધવાથી બાળકનાં અનેક પ્રકારના રેગ; જેવાં કે રતવા, ભરાઈ જવું, ઉધરસ, જવર વિગેરે દૂર થઈ જાય છે. આવા જ પ્રકારનું મંત્રેલું તાવીજ જે વ્યાપારીઓ હાથે બાંધે તે પણ વેપારમાં અતિશય લાભ મેળવે છે.
(૬) પુણ્યપ્રાપ્તિ અર્થે પુણ્યપ્રાપ્તિ અર્થે પણ ઘંટાકર્ણ યંત્રને ઉપયોગ કરવામાં આવે છે. તે યંત્રને સન્મુખ રાખી, મંત્રની ચારે ગાથાને વાયવ્ય ખૂણે બેસીને જાપ કરે. એકવીસ દિવસમાં એકવીશ હજાર જાપ પૂરા કરવા, બાદ આ જાપની એકેક નવકારવાળી ફેરવવાથી તિર્યંચ, નારક આદિ અશુભ ગતિને નાશ થાય છે અને અત્યંત દુલભ મનુષ્ય ભવ પ્રાપ્ત થવા સાથે ઉત્તમ કુળમાં અને આ ક્ષેત્રમાં અવતાર મળે છે. વળી પ્રતિદિન પુણ્યને સંચય પણ સારા પ્રમાણમાં થાય છે.
(૭) મંત્રજાપ ફી ભિન્નભિન્ન સમયે આ મંત્રજાપ કરવાથી શું શું ફલપ્રાપ્તિ થાય તે સંક્ષિપ્તમાં જણાવવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com