________________
નવ ગ્રહ મંત્રજાપ]
એક બાજુથી કામધેનુનું દહન થાય અને બીજી બાજુએથી તે દૂધને બકરાઓ પી જાય. પરિણામે પુરુષાર્થ અને પરાક્રમી પુરુષ ચિંતામગ્ન રહ્યા કરે. એકંદરે ટૂંકમાં જણાવવાનું કે શનિની મહાદશા વખતે ઘણું જ સાવચેત રહેવું.
શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનું નિયમિત વિધિપૂર્વક પૂજન કરવું, તેમજ તે પ્રભુની પ્રતિના અથવા તસ્વીર ગ્રહદેવતાના આરાધન સમયે નજર સમક્ષ રાખી તેનું પૂજન કરવું. શનિની પ્રતિમા નીલમની, સુવર્ણની અથવા લેખંડની બનાવવી. તેનું પૂજન કરતી વખતે તેલથી સ્નાન કરાવવું. સિંદૂર, નિલવણું પુષ્પ, ધૂપ, દીપ અને નેવેધાદિ સામગ્રી ધરવી. મંત્રલેક નીચે પ્રમાણે છે
श्रीसुव्रतजिनेन्द्रस्य, नाम्ना सुर्योगसंभव ! । प्रसन्नो भव शांति च, रक्षां कुरु कुरु प्रियम् ॥ ત્યારબાદ એક નવકારવાળી નીચે પ્રમાણે ગણવી.
[ પ નવા ” (૮) રાહુને મંત્રજાપ
વિધિવિધાન પર્વ જાપ પ્રમાણે, નીલવર્ણનાં પુષ્પથી રાહની મૂર્તિનું પૂજન કરવું. મૂત્તિ લેખંડની, સુવણની કે નીલમની બનાવવી. શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા આરાધના સમયે દષ્ટિ સન્મુખ રાખવી. પછી ગ્રહદેવતાનું પૂજન કર્યા બાદ નીચે પ્રમાણે મંત્ર લેક બોલ.
श्रीनेमिनाथार्थेश-नामतः सिंहिकासुत !। प्रसन्नो भव शांति चं, रक्षां कुरु कुरु श्रियम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com