________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
અને ત્રણ ભવ્ય ઘુમ્મટ છે. છત ઉપરની કતરણું આબૂના પ્રસિદ્ધ વિમલવસહી ની શિલ્પકળાને આબેહૂબ મળતી આવે છે. થાંભલાની પાટમાં જૈન તેમજ હિંદુ ધાર્મિક દ કતરેલાં માલુમ પડે છે. સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહ તેમજ મહારાજા કુમારપાલે ભરુચને કોટ બંધાવતા જે પત્થર વાપર્યા હતા તેવા જ પત્થરે આ મરજીદમાં વાપરેલા માલુમ પડે છે. આ બધા ચિહ્ને ઉપરથી પુરાતત્વવિદે એવા મજબૂત અનુમાન પર આવ્યા છે કે ભરુચની આધુનિક જુમ્મા મજીદ એ પ્રાચીન અને રાજકુમારી સુદર્શનાએ બંધાવેલ “ શકુનિકાવિહાર” જ છે.
આ શકુનિકાવિહાર સાહિત્ય-રચનામાં પણ સાધનભૂત હતું એમ કેટલાક ઉલ્લેખ પરથી જણાય છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિના પ્રશિષ્ય અને “કહારયણકેસ’ના કર્તા શ્રી દેવભદ્રસૂરિએ વિ. સં. ૧૧૬૫ માં પ્રાકૃત ભાષામાં શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આ વિહારમાં જ રચ્યું હતું. વિ સં. ૧૨૩૩ માં વાદી દેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ પ્રાકૃત ભાષામાં શ્રી નેમિનાથ ચરિત્ર અને વિ. સં. ૧૨૩૮ માં માં ધર્મદાસગણિકૃત ઉપદેશમાળા પર વૃત્તિ રચી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com