________________
સુદનાની સ્વગપ્રાપ્તિ
નિદ્રા લે. ૪. અનવસ્થા–જે સમયે સામાયિક લીધું તે પૂરે ટાઈમે ન પારે, વહેલે પારે. ૫. સ્મૃતિવિહીન-સામાયક લઈને ટાઈમ ભૂલી જાય અથવા સામાયક પારવું ભૂલી જાય. (૧૦) દેશાવાશિક વ્રત [ દ્વિતીય શિક્ષાવ્રત ]
છઠ્ઠા દિગપરિમાણ નામના પહેલા ગુણવ્રતમાં દેશ-પ્રદેશ યા તે હરવાફરવા માટે વધારે પરિમાણ રાખેલ હોય તેને આ વ્રતમાં સંક્ષેપી લેવામાં આવે છે, માટે અહીં સંક્ષેપ કર. (ઓછું કરવું) તેમજ સાતમા વ્રતમાં બતાવેલ ચૌદ નિયમની યાદીને આ વ્રતમાં બરાબર ઉપગ કરે જેથી ચૌદ નિયમ પણ સંક્ષેપીને ધારવા. વળી પરંપરાથી દશ સામાયકનું પણ દેશાવગાશિક વ્રત થઈ શકે છે. તેમાં સાવધ વ્યાપાર ન કરે. ઉપવાસ કે એકાશન કરી આઠ સામાયક અને ઉભય ટેકના બે પડિક્રમણ કરવાં. તેમાં ધાર્મિક પુસ્તકાદિનું વાંચન કરવું. બીજે શેષ સમયે જિનપૂજા વિવેરે થઈ શકે.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે
૧. આણવણુપ્રયોગ-ધારેલ ઉપરાંત ભૂમિમાંથી કઈ વસ્તુ મંગાવવી તે. ૨. પિષવણપ્રયાગ–હદ બહાર વસ્તુ મોકલવી તે. ૩. સદ્દાણુવાય–શબ્દ કરીને પિતાપણું જણાવવું. ૪. રૂવા
વાય-રૂપ દેખાડીને પિતા પણું જણાવવું તે. ૫. પુદગલપ્રક્ષેપ–કાંકરે નાખીને હદ બહાર રહેલાઓને પિતે અહીં છે એવું સૂચન કરવું તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com