________________
ચંદ્રલેખાની મનસિદ્ધિ
૬૩
છે? સદેવ પ્રસન્ન તમારા મુખ પર આ વિષાદની રેખાઓ ક્યાંથી? શું તમારું કેઈએ અપમાન કર્યું છે કે તમારી આજ્ઞા ખંડિત થઈ છે?” પિતાના સનેહીજન પાસે વાત છુપાવવાથી શું ફાયદે ? એમ વિચારી ચંદ્રલેખાએ સુંદરીને પ્રેમપૂર્વક જણાવ્યું કે “બહેન ! આજે અચાનક ચિંતા ઉદભવી છે કે મારે સંપૂર્ણ સુખ છે, પુષ્કળ રાજસાહ્યબી છે, સાત પુત્ર પણ છે છતાં પણ એક પુત્રીના અભાવમાં મને આજે સર્વ સુખ ન્યૂન-અલ્પ જણાય છે. આજે પુત્રી પ્રાપ્તિની મને ચિંતા ઉદ્ભવી છે તેથી તેના નિવારણ માટે તું સુગ્ય પ્રયત્ન કર.” બાદ રાણીને વિશેષ આગ્રહથી સુંદરીએ શ્રી મુનિસુવ્રતસ્વામીની અધિષ્ઠાયકા દેવી નારદત્તાની શુદ્ધ મને ઉપવાસપૂર્વક ઉપાસના કરી અને તે જ રાત્રિએ શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ સુંદરીને જણાવ્યું કે-“ચંદ્રલેખાને પુગી થશે અને તેની નિશાની તરીકે આજ રાત્રે તેને સોનાની સમળી પિતાની ચાંચમાં પુષ્પહાર લઈ તેના કંઠમાં આરે પણ કરે છે તેવું સ્વપ્ન આવશે.”
શેષ રાત્રિ ધર્મધ્યાનમાં ગાળી સુંદરી પ્રાત:કાળે ચંદ્રલેખા પાસે આવી અને સર્વ વ્યતિકર જણાવી કહ્યું કે “આજે રાત્રે સુવર્ણની સમળી ચાંચમાં શ્વેત પુષ્પની માળા લઈ, રાત્રિના પ્રાંતભાગે તમે સુખનિદ્રામાં રકત હતા ત્યારે તમારા કંઠમાં તેણે તે માળા આરે પણ કરી તેવા પ્રકારનું એક સ્વપ્ન તમને આવ્યું છે અને શાસનદેવીના કથન મુજબ તમને આ સ્વપ્નફળસિદ્ધિ તરીકે પંદર દિવસમાં જ ગર્ભાધાન થશે.” ચંદ્રલેખાએ સુંદરીની કહેલી વાતમાં સંમતિ આપી હર્ષ પ્રદર્શિત કર્યો અને ત્યારથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com