________________
૭૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર અમને કશી સમજણ પડતી નથી, માટે તું સર્વ હકીકત વિસ્તારથી જણાવ.”
જવાબમાં રાજકુમારી સુદર્શનાએ પિતાને સમગ્ર પૂર્વભવ કહી સંભળાવ્યો અને જે મુનિવરના પ્રતાપથી પતે સમળી જેવું તિર્યચપણું ત્યજી રાજપુત્રી તરીકે જન્મી હતી તેને ઉપકાર યાદ કરી તેમને ભાવપૂર્વક વંદન કર્યા.
સમગ્ર સભાજને અને રાજવી આ વૃત્તાંત સાંભળી વિસ્મયમાં લીન બની ગયા. શહેરમાં પણ આ સમાચાર ફેલાતાં કોળાહળ શમી ગયે અને પૂર્વવત્ શાંતિ પ્રસરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com