________________
પ્રકરણ ચોથું
રાજકુમારી સુદર્શના
ચાલ ચોવીશીના આદ્ય તીર્થકર શ્રી ઋષભદેવ પરત્વેની નમિ તેમ જ વિનમિની અત્યંત ઉલ્લાસપૂર્વકની ભકિતથી રંજિત થયેલ ધરણે તેઓ બંનેને વૈતાઢય પર્વતની ઉત્તર અથવા દક્ષિણ શ્રેણીનું સામ્રાજ્ય ૪૮૦૦૦ પાઠસિદ્ધ વિદ્યા સાથે આપ્યું હતું. અને એ પોતપોતાના ભૂપ્રદેશમાં ઇદ્રપુરીની સ્પર્ધા કરે તેવી ઉત્તર શ્રણમાં ૬૦ને દક્ષિણ શ્રેણીમાં ૫૦ નગરી વસાવી અને તેનો ચિરકાળ પર્યન્ત ભેગવટે કર્યો. પ્રાંતે તેઓ પતિદ્વારક સિદ્ધાચળ ઉપર મોક્ષે ગયા. એ જ વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિમાં ગગનવલલભ નામનું અતીવ રમણીય અને નૈસર્ગિક સુંદરતાવાળું મુખ્ય નગર હતું. તે નગરમાં અમિતગતિ નામનો વિદ્યાધર રાજા અત્યંત નીપુણતાથી રાજ્ય કરતે હતે. શ્રેષ્ઠ રાજવી તરીકેના સમગ્ર ગુણેથી તે પતે હતો. તેને દેવાંગનાઓથી પરાભવ પમાડે તેવી જયસુંદરી નામની શીલશૃંગાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com