________________
રાજકુમારી સુદર્શના
૧૩
વિજયાએ આવું અપૂર્વ નૃત્ય કદી નીહાળ્યું નહોતું. તે પ્રાસાદમાં ઉચત સ્થળે બેસી ગઈ અને એકાગ્રતાપૂર્વક નૃત્ય નીહાળવા લાગી. આવી રીતે અલ્પ સમય પસાર થયો તેવામાં એક અપ્સરાના ચરણમાંથી ઉછળીને નુપૂર (ઝાંઝર) વિજયાના ઉસંગમાં આવી પડયું. અપ્સરા તે પિતાના આનંદના અતિરેકમાં જ રત હતી. તેને બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે તેનું લેશ માત્ર ભાન ન હતું. વિજયા દિવ્ય નુપરને જોઈ ચમકી. વિકસિત કમળની સુવાસ જોઇને ભ્રમર તેના પ્રતિ લોભાય તેમ નુપુરની દિવ્ય કાંતિ જોઈ વિજયાનું મન પણ લલચાયું. પારકી કરેડાની મીલ્કતને ધૂળના ઢેફાં જેવી સમજનાર વ્યક્તિ તે કેઈ વિરલ જ હોય. લોભે વિજયાના મન પર કાબૂ જમાવ્યો અને વિશેષ વિચાર કરવા ન રેકાતાં નુપૂર લઈને તે મંદિરમાંથી બહાર નીકળી ગઈ અને ઉતાવળી ઉતાવળી ગગનવલભ નગરીના માર્ગે ચાલવા લાગી.
યોગ્ય સુખ–ભેગમાં સમય પસાર કરતાં તેને પિતાનું પૂર્વ સર્ષ-ઘાતનું કાર્ય સ્મૃતિપટમાં આવ્યું. તે કાર્ય તેને શયની માફક ખૂંચતું હતું. તે કાર્યને માટે પશ્ચાત્તાપ કરવાને બદલે તે કાર્યની વિચારણા કરતાં કરતાં તે આર્તધ્યાનમાં રક્ત બની ગઈ. આ અને રૌદ્ર એ બંને ધ્યાન સંસારસમુદ્રમાં અધઃપાત કરાવનાર છે. આધ્યાનથી તિર્યંચગતિ અને રૌદ્રધ્યાનથી નરકગતિ પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં શાસગ્રંથોમાં પણ કહ્યું છે કે
બ વિનોની, નાને માર મા ! પળ , ગુણાળેક દિવાન ? |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com