________________
અશ્વાવલતીર્થની ઉત્પત્તિ
તરીકે ઉત્પન્ન થયો.
આ બાજુ જિનધર્મ શ્રેષ્ઠીને પજારીઓ સાથેના પ્રસંગના અને સાગરદત્તના અકાળ અવસાનના સમાચાર મળતાં તે અત્યંત દુઃખી થયે મિત્ર પ્રત્યેના સ્નેહથી તેની આંખ અશ્રુભીની થઈ ગઈ. તેને થયું કે હિતસ્વી મિત્ર તરીકે મારે તેની અંતિમ પળે તેને આશ્વાસન દેવું જોઈએ તેમજ તેની શુભ ગતિ થાય તેવી ધાર્મિક પ્રવૃત્તિ અને પ્રેરણા કરવી જોઈએ; પણ હવે કાંઈ ઉપાય રહ્યો ન હતે. જિનધર્મના હૃદયમાં મિત્ર પ્રત્યેની ભાવના અપૂર્ણ રહી ગઈ હોવાનું શલ્ય તે ખટક્યા જ કર્યું પરંતુ સંસારવિચિત્રતા અને કર્મપ્રકૃતિનું પ્રાબલ્ય સમજનાર જિનધર્મને અન્ય સામાન્ય માનવીની માફક ગ્લાનિ ઉત્પન્ન થવાનું કે અત્યંત પશ્ચાત્તાપ કરવાનું કારણ ન હતું.
આ પ્રસંગ પરથી ધડે લઈ તેણે પણ ક્ષણભંગુર દેહથી સધાય તેટલું કલ્યાણ સાધી લેવાનો મક્કમ નિર્ણય કર્યો અને તેનું મન વિશેષ વૈરાગ્યવાસિત બન્યું. એગ્ય સમયે આયુ પૂર્ણ થતાં મૃત્યુ પામીને તે દેવલોકવાસી થયો. ત્યાંથી ચવી અનેક ભવમાં પરિણામણ કરતાં તેને જીવ ચંપાનગરીને સુરશ્રેષ્ઠ નામનો રાજવી થયો અને તે ભવમાં નંદન મુનિના સત્સમાગમથી પ્રતિબંધ પામી, ભાગવતી દીક્ષા કવીકારી વીશ સ્થાનકના આરાધનપૂર્વક તીર્થંકરનામત્ર ઉપાર્જન કર્યું. તે ભવમાં સમાધિપૂર્વક કાળધર્મ પામી તે પ્રાણત દેવલોકમાં ઉપજે
અને દેવાયુ પૂર્ણ કરી ત્યાંથી રવી રાજગૃહી નગરીમાં શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com