________________
શ્રીમદ્રાજચંદ્ર–એક સમાલોચના
L[ ૭૮૧ વિકૃત થઈ જ જાય છે ? એનો જવાબ તેમણે આપે છે તે કેટલે સાચે છે! તેઓએ કહ્યું છે કે આને નિષેધ ચિત્ર-વૈશાખમાં ઉત્પન્ન થનાર કેરીને આશરીને છે; નહિ કે, આદ્રમાં અગર ત્યાર બાદ ઉત્પન્ન થનાર કરીને આશિરીને, (પર૧). આ તેમને વિવેક કેટલો યથાર્થ છે, તેની પરીક્ષા કરવા ઈચ્છનાર જેનેએ આદ્ર પછી યુ. પી, બિહાર આદિમાં કેરી જેવા અને ખાવા. જવું ઘટે.
વેશના આછકડાપણુ વિશે એમણે દર્શાવેલ વિચાર તેમની વ્યવહાર કુશળતા સૂચવે છે. તેઓ સુઘડતામાં માનવા છતાં આછકડાપણુથી યોગ્યતા ન વધવાનું કહે છે, અને સાદાઈથી યેગ્યતા ને ધટવાનું કહે છે. ખૂબી તો એમના પગાર ન વધવા-ઘટવાના દાખલામાં છે. આ રહ્યા તેમના શબ્દઃ “પહેરવેશ આછકડો નહિ છતાં સુઘડ એવી સાદાઈ સારી છે, આછકડાઈથી પાંચસેના પગારના કોઈ પાંચસે એક ન કરે અને યોગ્ય સાદાઈથી પાંચસેના ચારસો નવ્વાણું કેાઈ ન કરે (૭૦૬).
વગર વિચાર્યું ધર્મને નામે ધાંધલ કરી મૂકનારા, અત્યારે તે શ્વસુરગૃહની પેઠે પરદેશમાં વસતી સંતતિના જૈન પૂર્વજોએ ચારેક દશકા પહેલાં વીરચંદ ગાંધીના ધર્મપરિષદ નિમિત્તે અમેરિકા પ્રવાસ વખતે જ્યારે ભારે ધાંધલ મચાવી, ત્યારે તે જ ધનમસ્ત વ્યાપારીઓની વચ્ચે વ્યાપારી તરીકે રહેવા છતાં શ્રીમદે પરદેશગમનના નિષેધ પરત્વે જે વિચાર દર્શાવ્યું છે, તે વિચાર પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીની પેઠે કે વિવેકપૂર્ણ અને નિર્ભય છે ! એ જૈન સમાજની પ્રકૃતિને ઘાતક હોઈ તેમના જ શબ્દોમાં વાંચવા જેવો છે. તેઓ લખે છે :
ધર્મમાં લૌકિક મોટાઈ, ભાનમહત્ત્વની ઈચ્છા, એ ધર્મના દ્રોહરૂપ છે.
ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ મેકલવાને નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પિતાને માન-મહત્વ–મોટાઈને સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે, એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તે બહાનારૂપ અને સ્વાર્થિક માનાદિને સવાલ મુખ્ય—એ ધર્મદ્રોહ જ છે. - વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે.
ધર્મ જ મુખ્ય એ રંગ ત્યારે અહભાગ્ય.” (૭૦૬)
શ્રીમદના પરિચિત મિત્રો, સંબંધીઓ અને કદાચ આશ્રયદાતાઓ પણ કેટલાક કદર મૂર્તિવિધી સ્થાનકવાસી હતા. તે પિતે પણ પ્રથમ એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org