________________
કહેવાય ? ત્યારબાદ નવમાં ઉદ્દેશાના પ્રારંભમાં લાગેલા અતિ ચારોની આલોચના અને દોષનું પરિમાર્જન કરવામાં આવે નહિ તે? આત્મા વિરાધક બની જાય માટે દોષની શુદ્ધિ અને આત્મ નિરીક્ષણની આવશ્યકતા છે. આ કારણે પ્રતિકમણની મડુત્તા સ્વતઃ સમાઈ જાય છે. તેરમા શતકના દશમા ઉદેશામાં વેદના, કષાય, મારણતિક, વૈક્રિય, આહારક અને તેજસ નામે છે સમુદ્દઘાતના વિષય પહેલા ભાગમાંથી જોવાની ભલામણ સાથે શતક પૂર્ણ થાય છે. ' ચૌદમું શતક રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરસ્વામી સમવસર્યા ત્યાં શ્રેણિક મહારાજ પિતાના મહાન પરિવારની સાથે ભારે આડંબરથી પરમાત્માના દર્શનાર્થે આવે છે. શ્રી ગૌતમસ્વામી ભગવાનને ભાવિત અણગારના મરણ વિષે પૂછે છે. કઈ લેસ્થામાં કયા દેવલેકમાં કેટલી સ્થિતિને દેવ થાય? સર્વજ્ઞ પરમાત્મા ક્રમશઃ તે વિષયેનું સ્પષ્ટીકરણ કરે છે. આ રીતે એક પછી એક બારમા શતકથી લઈ અઢારમાં શતકમાં આવતાં દશમા ઉદ્દેશામાં સમિદ્વિજના પ્રશ્નો અને ઉત્તર ઉપરાંત તેણે સ્વીકારેલા બાર વ્રત ઉપર લેખકની કલમ ખરેખર સફળ થઈ છે. લેક હિતાર્થે જેની પાંચ હજાર નકલે જૂદી છપાવવામાં આવી છે. ૧૯-૨૦ શતકમાં બીજા ઘણું પ્રશ્નોત્તર ઉપરાંત ધર્માસ્તિકાયાદિના પર્યાની વિસ્તૃત ચર્ચા છે. તેમાં પણ ધર્મનો પર્યાયે, ચારિત્ર કેને કહેવાય? અઢાર પાપસ્થાનકેની ચર્ચા જૂદા જૂદા આગમ પાડે આપીને ઘણી જ ગંભીરતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
- આમ ૯ શતકથી પરીપૂર્ણ પ્રસ્તુત પુસ્તકમાં યથાક્રમ પ્રત્યેક પ્રશ્નોનું સંક્ષેપ કે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.