Page #1
--------------------------------------------------------------------------
________________
(
શ્રીમદ રાજચંદ પ્રીત
|- Csua KK
4 12 ક૯યા નો માં
For Personal & Private Use Only
www.jainelib.ary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
S©©©©©©©e
ST)
શ્રીમદ્ રાજચંદ પ્રણીત તcવશાળ,
અર્થે
કયા|JlI/
RSS
જેણે આત્મા જાયે તેણે સર્વ જાણ્યું.
–નિગ્રંથ પ્રવચન..
R
O - OT
S
SિT )
પ્રકાશક: શાહ પ્રેમચંદ મહાસુખરામ ૬૧૦, દિલ્હી દરવાજા બહાર હઠીભાઈની વાડી સામે
અમદાવાદ-૧
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
અહો! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ. અહે! તે સત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના
મૂળ સર્વજ્ઞ દેવ. અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત
કરાવ્યો એવા પરમકૃપાળુ સશુરૂદેવ. આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વતે,
જયવંત વતે
હા. ન. ૩ર૩
કિંમત : રૂ. ૨-મ
સન. ૧૯૬૦ સંવત ૨૦૧૬ પ્રત ૨૦૦૦
મુદ્રક: જયંતિલાલ ઘેલાભાઈ દલાલ, વસંત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા રેડ, ઘેલાભાઈની આ
અમદાવાદ
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર [વર્ષ ૨૮]
જન્મઃ Jai Education International
દેહત્સર્ગ:
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી કાનજીભાઈ જેરામભાઈ દેહોત્સર્ગ : સં. ૨૦૧૬ના માગશર વદી ૧૪
ઉમર વર્ષ ૭૫.
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
સંસાર ઋણાનુબંધને છે, એ સત્ય સમજાવનાર
શ્રી. કાનજીભાઈ જેરામભાઈને!
સાઠ સાઠ વર્ષનું આ ગણાનુબંધ, જીવન પૂરું કરી, અમને મૂકી તમે ચાલ્યા ગયા. તમારી એ યાદમાં.
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રાસંગિક
આ પુસ્તકમાં જે કંઈ સામગ્રી આપવામાં આવી છે, તે પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને કવનનું થોડુંક નવનીત છે. માનવીના સારાં કે નરસાં કાયોને ખરે આરંભ એના વિચારથી થાય છે, એટલે માનવીને સારા બનાવવાના મુખ્ય બે ઉપાયો અનુભવીઓએ સૂચવ્યા છે. એક સત્સંગ; અને બીજો સવાંચન. પરમ કૃપાળુદેવ શ્રીમદ્છનું લખાણ માનવીના અંતરમાં સારા વિચારોને જન્માવવાની ઉત્તમ સામગ્રી પૂરી પાડે એમ છે. આ વિચારથી પ્રેરાઈને આ પુસ્તકમાં શ્રીમદુનાં લખાણોના વિપુલ સંગ્રહમાંથી કેટલીક સામગ્રી આપવામાં આવી છે. શ્રીમનાં વચનામૃતે એ ખરેખર, માનવીના અંતરમાં સદ્દવિચારની સરિતાને વહેતી કરનાર હિમાચલ સમાન છે. - શ્રીમદ્દજી તે જનમ જનમનાં રોગી હતા; અને પિતાના શ્રીમદ્ રાજ્ય તરીકેના ટૂંકા જીવનમાં પણ જે જીવનસાધના અને તત્ત્વજ્ઞાન, - તત્વચિંતન અને સાહિત્ય સાધના એમણે કરી હતી તે આપણને
અચંબામાં નાખી દે તેવી છે. આવી સિદ્ધિ એ કંઈ એકાદ જન્મનું ફળ નહીં પણ અનેક જન્મોની સાધનાનું જ એ પરિણામ લેખી
શકાય. એટલા માટે તે મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્દનાં તત્ત્વબેધને પુન' જન્મના પુરાવા રૂપે ઓળખાવ્યું છે.
આ પુસ્તકમાં આપવામાં આવેલી સામગ્રી એક પ્રકારને સંચય છે અને તે શ્રીમદ્જીનાં વચનામૃત “તત્ત્વજ્ઞાન” અને “કલ્યાણને માર્ગ”
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
એ ત્રણ ગ્રંથમાંથી યથારૂચિ વાણુને એકત્ર કરવામાં આવી છે. અને સામાન્ય મુમુક્ષુ બંધુઓ સરળતાપૂર્વક એને સ્વાધ્યાય કરી શકે એ માટે એને મોટા અક્ષરમાં છાપવામાં આવી છે.
અમદાવાદ, ખંભાત તથા ગુજરાતના અન્ય જૈન ભાઈઓ જેમને “પૂજ્ય ભાઈશ્રી' એવા બહુમાનસૂચક અને લાડીલા નામથી ઓળખે છે તે સગત શ્રીયુત પિપટલાલ મહેકમચંદ શાહે ગુજરાતના અનેક સુરા મુમુક્ષુ જીવોને શ્રી. પરમકૃપાળુદેવની ભક્તિને રંગ લગાડો હતો. એ પૂજ્ય ભાઈશ્રીએ એવો જ અપૂર્વ રંગ મને પણ લગાડવો હતો. મુમુક્ષુમંડળના લાડીલા તથા ઉદાર દિલ પિતા સમાન આ પૂજ્ય ભાઈશ્રીને મારા જીવન ઉપર પરમ ઉપકાર છે. એમની પ્રેરણાને કારણે જ પરમપૂજ્ય કૃપાળદેવ પ્રત્યે ભક્તિ, તથા શ્રી. વીતરાગદેવના માગની ઉપાસના માટે મારામાં કંઈક રૂચિ પ્રગટ થઈ છે. એ પૂજ્ય ભાઈશ્રીને ઉપકાર હું કેમ ભૂલું?
આ પુસ્તકની પ્રસિદ્ધિનું નિમિત્ત-કારણ અમારા મુનીમ, છતાં અમારા કુટુંબના એક અંગ જેવા બનેલા શ્રી કાનજીભાઈ જેરામભાઈ છે. શ્રી કાનજીભાઈ પિતાની આશરે પંદર વર્ષની ઉંમરે, વિ. સ. ૧૯૫૬ ની સાલમાં, પ્રથમ અમારે ત્યાં આવ્યા. એક આદર્શ નિમકહલાલ સેવક તરીકે એમણે પોતાની સર્વશક્તિ વાપરી હતી. તેમજ અમારા ઘરમાં તથા ધંધારોજગારમાં ખૂબ જ મહેનત કરી તેઓએ અમારા સૌનાં અંતર જીતી લીધાં હતાં. આ માટે સંબંધ લાગલાગટ ૬૦ વર્ષો સુધી ચાલુ રહ્યો. છેલ્લા સાત વર્ષ તેઓ માંદગીને કારણે પથારીવશ રહ્યાં. અમારા કુટુંબના એક વડીલ અને શુભચિંતક તરીકે અમે એમની અમારા ઘરમાં જ યથાયોગ્ય સારવાર કરી અને છેવટે ચાર મહિના પહેલાં જ આશરે ૭૫ વર્ષની ઉંમરે વિ. સં. ૨૦૧૬ ના માગશર વદી ૧૪ ના રોજ તેમણે આ નશ્વર દેહને ત્યાગ કર્યો. તેમની પુણ્યસ્મૃતિરૂપે આ પુસ્તક પ્રગટ કરતાં આનંદ થાય છે.
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકની સમગ્ર રચના, ગોઠવણ, મુફ તપાસવા વિગેરમાં ભાઈ ન્યાલચંદ ઉકાભાઈ દેસીએ ઘણી જ મહેનત ઉઠાવી છે, આ પ્રસંગે તેમને હું ખાસ આભાર માનું છું.
શ્રી જીવન-મણિ સફવાચનમાળા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા શ્રી. શાંતિલાલ હેમચંદ ઝવેરી અને વસંત પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો તેમજ અન્ય ભાઈઓ જેમણે આવા શુભ કાર્યમાં રસ લઈને મદદ કરી છે તે સર્વને પણ હું આભાર માનું છું.
અક્ષય તૃતીયા : ૨૦૧૬
અમદાવાડ,
શાહ પ્રેમચંદ મહાસુખરામ
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
વાંચનારને ભલામણ વાચનાર! હું આજે તમારા હસ્ત કમળમાં આવું છું. મને યત્નાપૂર્વક વાંચજો. મારાં કહેલાં તત્તવને હૃદયમાં ધારણ કરજો. હું જે જે વાત કહું તે તે વિવેકથી વિચારજે; એમ કરશે તે તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સગુણ અને આત્મશાંતિ પામી શકશે.
તમે જાણતા હશે કે, કેટલાંક અજ્ઞાન મનુષ્યો નહીં વાંચવા યોગ્ય પુસ્તકો વાંચીને પિતાને વખત ખાઈ દે છે, અને અવળે રસ્તે ચઢી જાય છે. આ લેકમાં અપકીર્તિ પામે છે, તેમજ પલકમાં નીચ ગતિએ જાય છે.
તમે જે પુસ્તકે ભણ્યા છે, અને હજુ ભણો છે, તે પુસ્તકે માત્ર સંસારનાં છે; પરંતુ આ પુસ્તક તે ભવ પરભવ બન્નેમાં તમારું હિત કરશે; ભગવાનનાં કહેલાં વચનને એમાં થોડો ઉપદેશ કર્યો છે.
તમે કઈ પ્રકારે આ પુસ્તકની અશાતના કરશે નહીં, તેને ફાડશો નહીં, ડાધ પડશે નહીં કે બીજી કોઈપણ રીતે બિગાડશો નહીં. વિવેકથી સઘળું કામ લેજે. વિચક્ષણ પુરૂષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે.
તમને એક એ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં નહીં આવડતું હોય અને તેની ઈચ્છા હોય તે આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું.
તમે જે વાતની ગમ પામો નહીં તે ડાહ્યા પુરૂષ પાસેથી સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશે નહીં.
તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંત ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું.
“મેક્ષમાળા” શિક્ષાપાઠ ૧
–શ્રીમદ્ રાજચંદ્ર
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
જગદુ ભૂષણ જિનવરા, જગદુ વંઘ જગમાંય; યણ કર્મના દૂષણને, પાવન કરે પળમાંય.
સ્વધર્મબંધુ!
કીધાં હશે કુકર્મ દેહે, તમ પ્રતિ આ વરસમાં, છોડ્યાં હશે વળી વાફશસ્ત્રો, તમ પ્રતિ આ વરસમાં; ચિંતવ્યું હશે બૂરૂ તમારૂં, મન મહીં આ વરસમાં, દોષ અગણિત મમ થકી, એવા થયા આ વરસમાં.
દેષને દેણદાર હું, દેવું પતાવા મરૂં મથી, માફી મૂડી વિણ લાજ પ્રભુજી, હાથ મુજ રહેવી નથી; બાંધવ બની બંધ વાળ, હિસાબ એ મૂડી થકી, જંજીર જડેલાં હાલ તેડા, કાલ મૃત્યુ છે નકી.
સ્મૃતિનું સરવર જોઈએ તેવું નિર્મળ નહીં હોવાથી - જન્મ પામેલી “હશે” એવી ઉડાઉ કબૂલાત માફીની પરમ જિજ્ઞાસાને લેશ પણ ક્ષીણ કરતી નથી, એમ વિચારશે.
દેષના દાવાનલને બુઝાવનાર પરમ શીતળમય પર્વને - ' અદ્ભુત અનુભવ માત્ર દેષ રહિત વિરલાને જ થાય. મમ જેવા રાંકને શું?
એજ નામું માંડી વાળવા વિનંતિ.
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત તવાન
અને
કલ્યાણનો માર્ગ
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત a શ .
માંથી પુપમાળા.
૧ રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી
મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાને પ્રયત્ન કરજે. ૨ વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દષ્ટિ
ફેરવી જાઓ. ૩ સફળ થયેલા વખતને માટે આનંદ માને અને
આજને દિવસ પણ સફળ કરે. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત
કરો.
૪ ક્ષણ ક્ષણ જતાં અનંત કાળ વ્યતીત થયે છતાં
સિદ્ધિ થઈ નહીં. ૫ સફળજન્ય એકકે બનાવ તારાથી જે ન બને
હોય તે ફરી ફરીને શરમા.
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૨ ) ૬ અઘટિત કૃત્ય થયાં હોય તો શરમાઈને મન, - વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.
૭ એ તું સ્વતંત્ર હોય તો સંસાર-સમાગમે તારા - આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ.
૧ પ્રહર–ભક્તિકર્તવ્ય. ૧ પ્રહર—ધર્મકર્તવ્ય ૧ પ્રહર–આહારપ્રયોજન. ૧ પ્રહર–વિદ્યાપ્રયોજન. ૨ પ્રહર–નિદ્રા. ૨ પ્રહર– સંસારપ્રયોજન.
૮
૮ એ તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું
સ્વરૂપ વિચારીને સંસાર ભણી દષ્ટિ કરજે. ( જે તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું
હોય તો નીચે કહું છું તે વિચારી જજે :(૧) તું જેસ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણુથી? (૨) આવતીકાલની વાત શા માટે જાણી
શકતો નથી?
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
| (૩)
(૩) તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી ?
(૪) ચિત્રવિચિત્રતાનું પ્રયોજન શું છે? ૧૦ જે તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય
અને તેના મૂળ તત્વની આશંકા હોય તો નીચે
૧૧ સર્વ પ્રાણીમાં સમદષ્ટિ – ૧૨ કિંવા કોઈ પ્રાણીને જીવિતવ્ય રહિત કરવાં
નહીં, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. ૧૩ કિવા પુરૂષો જે રસ્તે ચાલ્યા તે. ૧૪ મૂળ તત્તવમાં કયાંય ભેદ નથી, માત્ર દષ્ટિમાં
ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં
પ્રવર્તન કરજે. ૧૫ તું ગમે તે ધર્મ માનતા હોય તેને મને પક્ષપાત
નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને
તે સદાચારને તું સેવજે. ૧૬ ગમે તેટલો પરતંત્ર હોય તે પણ મનથી
પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે.
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
(૪) ૧૭ આજે જો તું દુષ્કતમાં રાતો હે તે મરણને
સ્મર. ૧૮ તારા દુઃખ સુખના બનાવની નોંધ, આજે
કોઈને દુ:ખ આપવા તત્પર થાય તો સંભારી જા. ૧૯ રાજા હો કે રંક હે-ગમે તે હો, પરંતુ આ
વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાના પુત્રળ થોડા વખતને માટે માત્ર સાડા
ત્રણ હાથે ભૂમિ માંગનાર છે. ૨૦ તું રાજા છે તે ફિકર નહીં, પણ પ્રમાદ ન
કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારને, ગર્ભપાતને, નિર્વશન, ચંડાલને, કસાઈને અને વેશ્યાને એવો કણ તું
ખાય છે. તે પછી? ૨૧ પ્રજાનાં દુઃખ, અન્યાય, કર એને તપાસી જઈ
આજે ઓછાં કર. તું પણ હે રાજા ! કાળને
ઘેર આવેલો પરોણે છે. ૨૨ વકીલ હે તે એથી અર્ધા વિચારને મનન કરી
જજે. ૨૩ શ્રીમંત હો તે પૈસાના ઉપયોગને વિચારજે.
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
' (૫) રળવાનું કારણ આજે શેધીને કહેજે. ૨૪ ઘાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા
સંભારી ન્યાયસંપત્ર વ્યાપારમાં આજે તારું
ચિત્ત ખેંચ. ૨૫ જે તું કસાઈ હોય તો તારા જીવન સુખનો
વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. ર૬ જે તું સમજણે બાલક હોય તો વિદ્યા ભણી
અને આજ્ઞા ભણી દષ્ટિ કર. ર૭ જે તે યુવાન હોય તે ઉદ્યમ અને બ્રહ્મચર્ય
ભણી દષ્ટિ કર ૨૮ જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દષ્ટિ કરી આજના
દિવસમાં પ્રવેશ કર. ર૯ જે તું સ્ત્રી હોય તે તારા પતિ પ્રત્યેની ધર્મ
કરણીને સંભાર –દોષ થયા હોય તેની ક્ષમા યાચ
અને કુટુંબ ભણી દૃષ્ટિ કરે. ૩૦ જે તું કવિ હોય તે અસંભવિત પ્રશંસાને
સંભારી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. ૩૧ જે તું કૃપણ હેાય તે – ૩ર જો તું અમલમસ્ત હોય તે નેપોલિયન બોના
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
પાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર. ૩૩ ગઈ કાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ
કરવાને સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ
કર. ૩૪ આજે કોઈ કૃત્યને આરંભ કરવા ધારતે હૈ
તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને
વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. ૩૫ પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે
મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં
પ્રવેશ કર. ૩૬ અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો
રાજપુત્ર હો તોપણ ભિક્ષાચારી માન્ય કરી
આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૭ ભાગ્યશાળી હો તો તેના આનંદમાં બીજાને
ભાગ્યશાળી કરજે. પરંતુ દુર્ભાગ્યશાળી છે તે અન્યનું બુરું કરતાં રોકાઈ આજના દિવસમાં
પ્રવેશ કરજે.. ૩૮ ધર્માચાર્ય હે તો તારા અનાચાર ભણી કટાક્ષ
દષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે.
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
(૭) ૩૯ અનુચર હો તે પ્રિયમાં પ્રિય એવાં શરીરના
નિભાવનાર તારા અધિરાજની નિમકહલાલી
ઈચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૦ દુરાચારી હો તે તારી આરોગ્યતા, ભય, પર
તંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના
દિવસમાં પ્રવેશ કરજે. ૪૧ દુ:ખી હો તો આજીવિકા (આજની) જેટલી
આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪ર ધર્મકરણીને અવશ્ય વખત મેળવી આજની
વ્યવહારસિદ્ધિમાં તું પ્રવેશ કરજે. ૪૩ કદાપી પ્રથમ પ્રવેશે અનુકુળતા ન હોય તો પણ રેજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે
ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. ૪૪ આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી આ પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૫ તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેર
ઉપગને વિચાર કરી જઈ આજના દિવસમાં
પ્રવેશ કરજે. ૪૬ તું ગમે તે ધંધાર્થી છે, પરંતુ આજીવિકાળું
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
(૮) અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. ૪૭ એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુક્ત
થઈ ભગવદ્ભક્તિમાં લીન થઈ ક્ષમાપના યાચ. ૪૮ સંસાર પ્રજનમાં જે તું તારા હિતને અર્થે
અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો
અટકજે. ૪૯ જુલ્મીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો
હે તે અટકજે. પ૦ ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મ કર્તવ્ય
અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. ૫૧ જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે. માટે
જંજાળ ટૂંકી કર તે સુખરૂપે જિંદગી લાંબી
લાગશે. પર સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઈત્યાદિ બધાં સુખ
તારે ઘેર હોય તો પણ એ સુખમાં ગૌણતાએ દુ:ખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં
પ્રવેશ કર. પ૩ પવિત્રતાનું મૂળ સદાચાર છે. ૫૪ મન દેરંગી થઈ જતું જાળવવાને,
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
પપ વચન શાંત, મધુર, કમળ, સત્ય અને શૌચ
બેલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના
દિવસમાં પ્રવેશ કરજે પ૬ કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે “હું,
આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું
છું ?' એમ આજે વિચારજે. પ૭ તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની
હોય તે, ૫૮ આહાર ક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી
અકબર સર્વોત્તમ બાદશાહ ગણાય. ૫૯ જે આજે દિવસે તને સૂવાનું મન થાય તો તે
વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે, કે સતશાસ્ત્રનો
લાભ લઈ લેજે.– ૬૦ હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તો પણ
અભ્યાસ સર્વને ઉપાય છે. ૬૧ ચાલ્યું આવતું વૈર આજે નિર્મળ કરાય તે
ઉત્તમ, નહીં તે તેની સાવચેતી રાખજે. ૬૨ તેમ નવું વિર વધારીશ નહીં, કારણ વેર કરી
કેટલા કાળનું સુખ ભોગવવું છે? એ વિચાર તત્વજ્ઞાનીઓ કરે છે.
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) ૬૩ મહારંભી–હિંસાયુક્ત–વ્યાપારમાં આજે પડવું
પડતું હોય તો અટકજે. ૬૪ બહાળી લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી .
કોઈને જીવ જતો હોય તે અટકજે. ૬૫ વખત અમૂલ્ય છે એ વાત વિચારી આજના
દિવસની ૨૧૬૦૦૦ વિપળને ઉપયોગ કરજે. ૬૬ વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે
જંજાળમોહિનીથી આજે અત્યંતરમોહિનીવધા
રીશ નહિ. ૬૭ નવરાશનો દિવસ હોય તે આગળ કહેલો સ્વત
ત્રતા પ્રમાણે ચાલજે. ૬૮ કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય
કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને
માટે શોધજે. ૬૯ સુજક કૃત્ય કરવામાં દોરાવું હોય તે વિલંબ
કરવાને આજને દિવસ નથી, કારણ આજ
જેવો મંગળદાયક દિવસ બીજો નથી. ૭૦ અધિકારી છે તે પણ પ્રજાહિત ભૂલીશ નહીં,
કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે તે
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
" ( ૧૧ ) પણ પ્રજાના માનીતા નેકર છે. ૭૧ વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી જ રહેવાની સતપ્રતિજ્ઞા માની આજના દિવસમાં
વર્તજે. ઉર સાયંકાળ થયા પછી વિશેષ શાન્તિ લેજે. ૭૩ આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન
અણાય તે જ વાસ્તવિક વિચક્ષણતા ગણાયઃ (૧) આરોગ્યતા. (૨) મહત્તા.
(૩) પવિત્રતા. (૪) ફરજ. ૭૪ બે આજે તારાથી કઈ મહાન કામ થતું હોય
તે તારાં સર્વ સુખને ભોગ પણ આપી દેજે. ૭૫ કરજ એ નીચ રજ (ક+રજ) છે; કરજ એ
યમના હાથથી નીપજેલી વસ્તુ છે; (કર+જ) કર એ રાક્ષસી રાજાને જુલમી કર ઉઘરાવનાર છે. એ હેાય તો આજે ઉતારજે, અને નવું
કરતાં અટકજે. ૭૬ દિવસ સંબંધી કૃત્યને ગણિત ભાવ હવે જોઈ જા. '૭૭ સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અગ્ય - થયું હોય તે પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે.
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) ૭૮ કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત
કરીને આવ્યું છે તે આનંદ માન, નિરાભિ
માની રહે. ૭૯ જાણતા અજાણતાં પણ વિપરીત થયું હોય તે
હવે તે માટે અટકજે. ૮૦ વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે
સંસારની નિવૃત્તિ શોધજે. ૮૧ આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, તેવી તારી જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા તે
જ આ૦– ૮૨ આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે
જ તારું આયુષ્ય સમજી સદ્દવૃત્તિમાં દોરાજે. ૮૩ સત્પષ વિદૂરના કહ્યા પ્રમાણે આજે એવું
કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. ૮૪ આજ દિવસ સોનેરી છે પવિત્ર છે, કૃતકૃત્ય
થવારૂપ છે, એમ પુરુષોએ કહ્યું છે; માટે
માન્ય કર. ૮૫ જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની
સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે.
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
(૧૩) ૮૬ આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે | મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. ૮૭ તમાકુ સુંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો
આજે પૂર્ણ કર.-(૦) નવીન વ્યસન કરતાં
અટક. ૮૮ દેશ, કાળ,મિત્રએ સઘળાને વિચાર સર્વ મનુષ્ય
આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. ૮૯ આજે કેટલા સત્પષને સમાગમ થયે, આજે
વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું? એ
ચિંતવન વિરલા પુરુષો કરે છે. ૯૦ આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં
તત્પર હો તો નાહિમ્મત થઈશ નહીં. ૯૧ શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ - એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. ૯૨ તારું, તારા કુટુમ્બનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું
માતાપિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પષનું
યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય . ' થયું હોય તે આજના દિવસની તે સુગંધી છે. ૯૩ જેને ઘેર આ દિવસ કલેશ વગરને, સ્વચ્છતાથી,
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
(૧૪). શાચતાથી, સંપથી, સંતેષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર
પવિત્રતાને વાસ છે. ૯૪ કુશળ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મ
યુક્ત અનુચરો, સગુણી સુંદરી, સંપીલું કુટુમ્બ, સપુરુષ જેવી પિતાની દશા જે પુરુષની હશે
તેનો આજનો દિવસ આપણેસઘળાંને વંદનીય છે. ૯પ એ સર્વ લક્ષણસંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી
પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. ૬ એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે
તે ઘર આપણું કટાક્ષદષ્ટિની રેખા છે. ૯૭ ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતે
હો, પરંતુ નિરૂપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી તારો આજનો દિવસ
અપવિત્ર કરીશ નહીં. ૯૮ કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં
સહનશીલતા–નિરૂપયોગી પણ, ૯૯ દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું
હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે.
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
(૧૫). ૧૦૦ આજે કંઈ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય, આત્મિક
શક્તિ ઊજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ
કરી હોય તો તે -- ૧૦૧ અયોગ્ય રીતે આજે તારી કોઈ શક્તિને ઉપ
યોગ કરીશ નહીં–મર્યાદાલોપનથી કરવો પડે
તે પાપભીર રહેજે. ૧૦૨ સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે. પ્રજ્ઞાએ
કરી સરળતા સેવાઈ હોય તે આજનો દિવસ
સર્વોત્તમ છે. ૧૦૩ બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો,
પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ
પ્રશંસી છે. ૧૦૪ સદ્દગુણથી કરીને જે તમારા ઉપર જગતને
પ્રશસ્ત મેહ હશે તે હે બાઈ, તમને હું
વંદન કરૂં . ૧૦૫ બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંત:કરણથી
પરમાત્માના ગુણ સંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરુષોએ
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
(૧૬) વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવશે. ૧૦૬ સતશીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે.
એ વાત જે માન્ય ન હોય તો અત્યારથી તમે
લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. ૧૦૭ આ સઘળાંને સહેલો ઉપાય આજે કહી દઉં : છું કે દોષને ઓળખી દોષને ટાળવા. ૧૦૮ લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ
મારી કહેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિઓ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું?
વચનામૃત. ૧ આ તે અખંડ સિદ્ધાંત માનજે કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણુરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યાં છે. ૨ એકાંત ભાવી કે એકાંત ન્યાયદોષને સન્માન ન
આપજો.
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
(૧૭) ૩ કોઈને પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં
સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સસ્પષને
સમાગમ અવય સેવ ઘટે છે. ૪ જે કૃત્યમાં પરિણામે દુ:ખ છે તેને સન્માન
આપતાં પ્રથમ વિચાર કરો. ૫ કેઈને અંતઃકરણ આપશો નહીં, આપ તેનાથી ભિન્નતા રાખશો નહીં; ભિન્નતા રાખે ત્યાં અંતઃ
કરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. ૬ એક ભેગ ભેગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી
કરતો, અને એક ભેગ નથી ભોગવતે છતાં કર્મની વૃદ્ધિ કરે છે, એ આશ્ચર્યકારક પણ સમ
જવા યોગ્ય કથન છે. ૭ યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. ૮ આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ - અર્પણ કરતાં અટકશો નહીં. ૯ તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ ' લેકે પોતે કરેલા અપવાદને પુન: પશ્ચાત્તાપ કરે. ૧૦ હજારો ઉપદેશવચને, કથન સાંભળવા કરતાં
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
(૧૮) તેમાંનાં થોડાં વચને પણ વિચારવાં તે વિશેષ
કલ્યાણકારી છે. ૧૧ નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી
સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે. ૧૨ જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિના ઉપ
ભેગી થાઓ. ૧૩ સ્ત્રી જાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળ
પણું પણ છે. ૧૪ પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ
આપજે. ૧૫ મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું
અંત:કરણ જેવું એ વધારે પરીક્ષા છે. ૧૬ વચન સપ્તશતી પુનઃપુનઃ સ્મરણમાં રાખે. ૧૭ મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખે;
સત્પષના સમાગમમાં રહો; આહાર, વિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહો, સાસ્ત્રનું
મનન કરો; ઉંચી શ્રેણિમાં લક્ષ રાખો. ૧૮ એ એકકે ન હોય તે સમજીને આનંદ
રાખતાં શીખે.
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
(૧૯) ૧૯ વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ,
જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. ૨૦ રાગ કરે નહીં, કરવો તે પુરુષ પર કરે;
દ્વેષ કરે નહીં, કરવો તો કશીલ પર કરે. ૨૧ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને
અનતવીર્યથી અભેદ એવા આત્માને એક પળ
પણ વિચાર કરે. રર મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. ૨૩ આ સંસારને શું કરે? અનંત વાર થયેલી
માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ. ૨૪ નિર્ગથતા ધારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર
કરજે; એ લઈને ખામી આણવા કરતાં
અલ્પારંભી થજે.. ર૫ સમર્થ પુરુષ કલ્યાણનું સ્વરૂપ પકારી પોકારીને
કહી ગયા; પણ કઈ વિરલાને જ તે યથાર્થ
સમજાયું. ૨૬ સ્ત્રીના સ્વરૂપ પર મેહ થતો અટકાવવાને વગર - ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિતવવા યોગ્ય છે. ૨૭ કુપાત્ર પણ સંપુરૂષના મૂકેલા હસ્તથી પાત્ર
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) થાય છે, જેમ છાશથી શુદ્ધ થયેલો સોમલ
શરીરને નીરોગી કરે છે. ૨૮ આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય
છે, છતાં ભાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી
આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે... ૨૯ યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં
કે આપનારને ઉપકાર ઓળવશે નહીં. ૩૦ અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શોધ્યું છે
કે,–ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. ૩૧ રડાવીને પણ બચ્ચાંના હાથમાં રહેલો સોમલ
લઈ લે. ૩૨ નિર્મળ અંત:કરણથી આત્માને વિચાર કરવો
યોગ્ય છે. ૩૩ જ્યાં હું માને છે ત્યાં “તું” નથી; જ્યાં “તું”
માને છે ત્યાં “તું” નથી. ૩૪ હે જીવ! હવે ભેગથી શાંત થા, શાંત, વિચાર - તે ખરે કે એમાં કયું સુખ છે? ૩૫ બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. ૩૬ સજ્ઞાન અને સત્સલને સાથે દેરજે.
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
(૨૧) ૩૭ એકથી મિત્રી કરીશ નહીં, કર તે આખા
જગતથી કરજે. ૩૮ મહા સોંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડાવિલાસ
નિરીક્ષણ કરતાં છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને
ત્રિકાળ નમસ્કાર છે. ૩૯ ભેગના વખતમાં યોગ સાંભરે એ હળુકમનું
લક્ષણ છે. ૪૦ આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતું નથી;
આખી સૃષ્ટિ સશીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંતિ અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યત બાલ્યાવસ્થા, આત્મતત્વનું ચિંતવન. ૪૧ એમ કઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને
જ ઈચ્છું . ૪ર સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે? ૪૩ કેઈ અપેક્ષાએ હું એમ કહુ છું કે સૃષ્ટિ મારા
હાથથી ચાલતી હતી તે બહુ વિવેકી ઘોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત.
For Personal & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) ૪૪ શુકલ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરુ છું. ૪૫ સૃષ્ટિીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ
પણ ઉત્તમ છે. ૪૬ એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. ૪૭ શુકલ અંત:કરણ વિના મારા કથનને કણ દાદ
આપશે? ૪૮ જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. ૪૯ હું તમારી મૂર્ખતા પર હસું છું કે-નથી જાણતા
ગુપ્ત ચમત્કારને છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા
મારી પાસે કો પધારો ? ૫૦ અહે! મને તો કૃતઘી જ મળતા જણાય છે,
આ કેવી વિચિત્રતા છે! ૫૧ મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી,
પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ
અને એ મને પોસાશે પણ નહીં. પર હું કહું છું એમ કઈ કરશો? મારું કહેલું
સઘળું માન્ય રાખશે? મારાં કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો ? હા હોય તે જ હે સપુરુષ ! તું મારી ઈચ્છા કરજે.
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
(૨૩) ૫૩ સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્યરૂપે
મને હસતો રમતે મનુષ્ય લીલામય ! ૫૪ દેવ દેવીની તુષમાનતાને શું કરીશું? જગતની
તુષમાનતાને શું કરીશું ? તુષમાનતા પુરુષની
ઈચ્છે. પપ હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. ૫૬ એમ સમજે કે તમે તમારા આત્માના હિત માટે
પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ છે તે પણ તમારું આત્મ
હિત જ છે. ૫૭ તમારા શુભ વિચારમાં પાર પડે, નહીં તો સ્થિર
ચિત્તથી પાર પડ્યા છે એમ સમજે. - ૫૮ જ્ઞાની અંતરંગ ખેદ અને હર્ષથી રહિત
- હાય છે. ૫૯ જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી
મોક્ષની તાત્પર્યતા મળી નથી. ૬૦ નિયમ પાળવાનું દઢ કરતાં છતાં નથી મળતો
એ પૂર્વકર્મને જ દોષ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે.
For Personal & Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
( ૨૪ )
૬૧. સ’સારરૂપી કુટુંબને ઘેર આપણા આત્મા પરાણા
દાખલ છે.
૬૨ એ જ ભાગ્યશાલી કે જે દુર્ભાગ્યશાલીની દયા ખાય છે.
૬૩ શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિ આ કહે છે.
૬૪ સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુકલ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો.
૬૫ પરિગ્રહની મૂર્છા પાપનું મૂળ છે.
૬૬ જે કૃત્ય કરવા વખતે વ્યામાહસયુક્ત ખેદમાં છે, અને પરિણામે પણ પસ્તાઓ છેા, તા તે કૃત્યને પૂર્વકના દોષ જ્ઞાનીઓ કહે છે.
૬૭ જડભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ.
૬૮ સત્પુરુષના અંતઃકરણે આચર્યા કિવા કહ્યો તે ધર્મ.
૬૯ અતરંગ માહગ્રન્થી જેનો ગઇ તે પરમાત્મા છે. ૭૦ વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશે નહીં.
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
(૨૫) ૭૧ એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વ
જ્ઞાન પ્રાપ્ત થાય છે. ૭૨ ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ
બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શેકને સંભાર નહીં;
આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. ૭૩ જગત જેમ છે તેમ તત્વજ્ઞાનની દૃષ્ટિએ જુઓ. ૭૪ શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જેવાને શ્રીમત
મહાવીર સ્વામીએ સમ્યકત્ર આપ્યાં હતાં. ૭૫ ભગવતીમાં કહેલી પુદ્ગલ નામના પરિવ્રાજકની
કથા તત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. ૭૬ વીરનાં કહેલાં શાસ્ત્રમાં સેનેરી વચનો છટક
છટક અને ગુપ્ત છે. ૭૭ સમ્યફનેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો
પણ આત્મહિત પ્રાપ્ત થશે. ૭૮ કુદરત, આ તારો પ્રબલ અન્યાય છે કે મારી
ધારેલી નીતિએ મારો કાલ વ્યતીત કરાવતી નથી ! (કુદરત તે પૂર્વિતકર્મ).
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
૭૯ માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. ૮૦ ઉત્તરાધ્યયન નામનું જૈનસૂત્ર તત્ત્વદષ્ટિએ
પુનઃ પુનઃ અવલોકે. ૮૧ જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ
ઈચ્છવા ગ્ય છે. ૮૨ કૃતઘતા જેવો એકકે મહા દેષ મને લાગતો
નથી
૮૩ જગતમાં માન ન હતી તે અહીં જ મોક્ષ
હેત ! ૮૪ વસ્તુને વસ્તુગતે જુઓ. ૮૫ ધર્મનું મૂળ વિ૦ છે. ૮૬ તેનું નામ વિદ્યા કે જેનાથી અવિદ્યા પ્રાપ્ત ન
થાય.
૮૭ વીરના એક વાક્યને પણ સમજે. ૮૮ અહંપદ, કૃતજ્ઞતા, ઉસૂત્રપ્રરૂપણ, અવિવેક
ધર્મ એ માઠી ગતિનાં લક્ષણ છે. ૮૯ સ્ત્રીનું કઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી
છતાં મારો દેહ ભેગવે છે. ૯૦ દેહ અને દેહાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે.
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) ૯૧ અભિનિવેશના ઉદયમાં ઉસૂત્રપ્રરૂપણ ન થાય
તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી
કહું છું. ૯૨ સ્યાદ્દવાદ શૈલીએ જેમાં કોઈ મત અસત્ય નથી. ૯૩ સ્વાદનો ત્યાગ એ આહારને ખરો ત્યાગ
જ્ઞાનીઓ કહે છે. ૯૪ અભિનિવેશ જેવું એકકે પાખંડ નથી. ૯૫ આ કાળમાં આટલું વધ્યું :-ઝાઝા મત, ઝાઝા
તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝે પરિગ્રહ
વિશેષ. ૯૬ તવાભિલાષાથી મને પૂછે તે હું તમને
નિરાગધર્મ બેધી શકે ખરો. ૯૭ આખા જગતના શિષ્ય થવારૂપ દષ્ટિ જેણે વેદી
નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી. ૯૮ કોઈપણ શુદ્ધાશુદ્ધ ધર્મકરણી કરતા હોય તે
તેને કરવા દે. ૯૯ આત્માને ધર્મ આત્મામાં જ છે. ૧૦૦ મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવે ( તે હું રાજી છું.
For Personal & Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
(૨૮) ૧૦૧ હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી છતાં
તેને જ ભોગવું છું; કાંઈ મેં ત્યાખ્યું નથી. ૧૦૨ નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દે. ૧૦૩ મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે
જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આવિર્ભાવ આ કરવું જોઇએ. ૧૦૪ બહુ છકી જાઓ તોપણ મહાવીરની આજ્ઞા
તેડશો નહીં. ગમે તેવી શંકા થાય તો પણ મારી
વતી વીરને નિશંક ગણજે. ૧૦૫ પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય
સ્મરવું જોઈએ છે. નિ:૦–એ નાગની - છત્રછાયા વેળાને પાર્શ્વનાથ એર હતો ! ૧૦૬ ગજસુકુમારની ક્ષમા અને રાજેનતી રહને
મીને બાધે છે તે બાધ મને પ્રાપ્ત થાઓ. ૧૦૭ ભોગ ભોગવતાં સુધી ( જયાં સુધી તે કર્મ
છે ત્યાં સુધી) મને યોગ જ પ્રાપ્ત રહે! ૧૦૮ સર્વશાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ
કહું તે મારું અહંપદ નથી.
For Personal & Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) ૧૦૯ ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ
ન્યાય છે, સમજવું દુર્લભ છે. ૧૧૦ પવિત્ર પુરુષની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યક
દર્શન છે. ૧૧૧ ભર્તુહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચા
રતાં ઘણી ઊર્ધ્વજ્ઞાનદશા થતાં સુધી વર્તે છે. ૧૧ર કેઈધર્મથી હું વિરુદ્ધ નથી. સર્વ ધર્મ હું પાળું
છું. તમે સઘળાધર્મથી વિરુદ્ધ છે એમ કહેવામાં
મારો ઉત્તમ હેતુ છે. ૧૧૩ તમારે માનેલો ધર્મ મને કયા પ્રમાણુથી બંધ
છે તે મારે જાણવું જરૂરનું છે. ૧૧૪ શિથિલ બંધ દષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ
જાય. (–જે નિર્જરામાં આવે છે.) * ૧૧૫ કઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હૈ. ૧૧૬ દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો
ભૂમાવે છે. ૧૧૭ અત્યારે, હું કેણછું એનું મને પૂર્ણ ભાન નથી. ૧૧૮ તું સપુરુષને શિષ્ય છે. ૧૧૯ એ જ મારી આકાંક્ષા છે. ૧૨૦ મને કોઈ ગજસુકુમાર જે વખત આવે.
For Personal & Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
(૩૦). ૧૨૧ કઈ રાજેતી જેવો વખત આવે. ૧૨૨ સપુષે કહેતા નથી, કરતા નથી; છતાં
તેની સત્પષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. ૧૨૩ સંસ્થાનવિચધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું
હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ
તેને ધ્યાવન કરે. ' ૧૨૪ આત્મા જેવો કે દેવ નથી. ૧૨૫ કોણ ભાગ્યશાળી? અવિરતિ સમ્યગ્દષ્ટિ કે
વિરતિ? ૧૨૬ કેઈની આજીવિકા તેડશો નહીં.
નિત્યસ્મૃતિ. ૧ જે મહાકામ માટે તું જમ્યો છે, તે મહાકામનું
અનુપ્રેક્ષણ કર. ૨ ધ્યાન ધરી જા; સમાધિસ્થ થા. ૩ વ્યવહારકામને વિચારી જા. જેને પ્રમાદ થયો
છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાહસ થયું હોય, તેમાંથી હવે તેવું ન થાય
તેવો બોધ લે. ૪ દઢ યોગી છે, તે જ રહે.
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
(૩૧) પ કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી
નથી, એ મહાકલ્યાણ છે. ૬ લેપાઈશ નહીં. ૭ મહાગંભીર થા. ૮ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જા. ૯ યથાર્થ કર. ૧૦ કાર્યસિદ્ધિ કરીને ચાલ્યું જે.
હતર.
પ્રશ્નોત્તર. પ્રશ્નો. ૧ જગતમાં આદરવા ૧ સદ્દગુરુનું વચન.
ગ્ય શું છે? ૨ શીધ્ર કરવાગ્ય શું? ૨ કર્મને નિગ્રહ. ૩ મોક્ષનું બીજ ૩ ક્રિયા સહિત સમજ્ઞાન.
શું?
૪ અકાર્ય કામ.
૪ સદા ત્યાગવા યોગ્ય
શું? ૫ સદા પવિત્ર કોણ?
૫ જેનું અંતઃકરણ
પાપથી રહિત હોય તે. ૬ તૃષ્ણા (લોભદશા).
૬ સદા
કે
વનવંત
?
For Personal & Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
૭ શૂરવીર કાણુ ?
૮ મહત્તાનું મૂળ શુ ?
૯ સદા જાગૃત કાણુ ? ૧૦ આ દુનિયામાં નરક જેવું દુ:ખ શું ?
૧૧ અસ્થિર વસ્તુ શું ?
( ૩૨ )
૧૨ આ જગતમાં અતિ ગહન શું?
૧૩ ચદ્રમાનાં કરા સમાન શ્વેતકીર્તિ ને
ધારણ કરનાર કાણુ?
૧૪ જેને ચાર પણ લઇ શકે નહીં તેવા ખજાના શુ?
૧૫ જીવનુ` સદા અન કરનાર કાણુ ? ૧૬ અંધ કાણુ ?
૭ જે સ્ત્રીના કટાક્ષથી વીંધાય નહીં તે.
૮ કેાઈની પાસે પ્રાર્થના
(યાચના) ન કરવીતે ૯ વિવેકી.
૧૦ પરતંત્રતા ( પરવશ રહેવું તે ). ૧૧ યાયન, લક્ષ્મી અને
આયુષ્ય.
૧૨ સ્ત્રીચરિત્ર અને તેથ વધારે પુરુષચરિત્ર. ૧૩ સુમતિ ને સજ્જન,
૧૪ વિદ્યા, સત્ય અને શિયળત.
૧૫આર્ત્ત અનેરોદ્રધ્યાન
૧૬ કામી અને રાગી.
For Personal & Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
(૩૩) ૧૭ બહેરો કોણ? ૧૭ જે હિતકારી વચનને
સાંભળે નહીં તે. ૧૮ મંગે કોણ? ૧૮ જે અવસર આવ્યું
પ્રિયવચન ન બોલી
શકે તે. ૧૯ શલ્યની પેઠે સદા ૧૯ છાનું કરેલું કર્મ.
દુ:ખ દેનાર શું? ૨૦ અવિશ્વાસ કરવા ૨૦ યુવતી અને અસજજન યોગ્ય કોણ?
(દુર્જનો માણસ ૨૧ સદા ધ્યાનમાં રાખવા ૨૧ સંસારની અસારતા.
ગ્ય શું? રર સદા પૂજનિક કોણ? ૨૨ વીતરાગ દેવ, સુસાધુ
અને સુધર્મ.
ઉત્તમ ગૃહસ્થ, સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકે ગ્રહાશ્રમથી આત્મસાધનને સાધે છે; તેઓને ગૃહાશ્રમ પણ વખણાય છે.
તે ઉત્તમ પુરુષ, સામાયિક, ક્ષમાપના, ચોવિ
-
૩
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
(૩૪) હાર-પ્રત્યાખ્યાન ઈ. યમનિયમને સેવે છે.
પરપત્ની ભણી માતુ બહેનની દૃષ્ટિ રાખે છે. યથાશક્તિ સત્પાત્ર દાન દે છે. શાંત, મધુરી અને કોમળ ભાષા બેલે છે. સન્શાસ્ત્રનું મનન કરે છે.
બને ત્યાં સુધી ઉપજીવિકામાં પણ માયા, કપટ ઈબ કરતું નથી. - સ્ત્રી, પુત્ર માત, તાત, મુનિ અને ગુરુ એ સઘળાંને યથાયોગ્ય સન્માન આપે છે.
માબાપને ધર્મને બેઘ આપે છે.
યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવું, શયન ઈ રખાવે છે.
પિતે વિચક્ષણતાથી વતી સ્ત્રીપુત્રને વિનયી અને ઘમ કરે છે.
સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. આવેલા અતિથિનું યથાયોગ્ય સન્માન કરે છે. યાચકને સુધાતુર રાખતા નથી.
સપુરૂષોને સમાગમ અને તેઓનો બેધ ધારણ કરે છે.
For Personal & Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
(૩૫) સમર્યાદ, અને સંતેષયુક્ત નિરંતર વર્તે છે, યથાશક્તિ શાસ્ત્રસંચય જેના ઘરમાં રહ્યો છે. અલ્પ આરંભથી જે વ્યવહાર ચલાવે છે.
આવો ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે.
બાર ભાવના. વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયની સુદઢતા થવા માટે બાર ભાવના ચિંતવવાનું તત્ત્વજ્ઞાનીઓ કહે છે.
૧. શરીર, વૈભવ, લક્ષમી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવન મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે પહેલી “અનિયભાવના.” - ૨. સંસારમાં મરણ સમયે જીવને શરણરાખનાર કોઈ નથીમાત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે, એમ ચિંતવવું તે બીજી “અશરણભાવના.
૩. આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
(૩૬ ) કયારે છૂટીશ? એ સંસાર મારો નથી, હું મોક્ષમયી છું; એમ ચિતવવું તે ત્રીજી “સંસારભાવના.”
૪. આ મારે આત્મા એકલો છે, તે એક આવ્યો છે, એકલો જશે; પિતાનાં કરેલાં કર્મ એકલો ભગવશે, એમ ચિંતવવું તે ચોથી “એકત્વભાવના.”
૫ આ સંસારમાં કઈ કેઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વભાવના.”
૬. આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રેગજરાને રહેવાનું ધામ છે, એ શરીરથી હું ત્યારે છું, એમ ચિતવવું તે છઠ્ઠી “ અશુચિભાવના
૭. રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઈત્યાદિક સર્વ આસ્રવ છે, એમ ચિતવવું તે સાતમી “આસવભાવના.”
૮. જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઈને નવાં કર્મ બાંધે નહીં, એવી ચિંતવના કરવી એ આઠમી સખ્યભાવના.” - ૯૮ જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે, એમ ચિંતવવું તે નવમી “નર્જરાભાવના.”
૧૦. લોકસ્વરૂપનું ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશસ્વરૂપ વિચારવું તે દશમી લોકસ્વરૂપભાવના.”
For Personal & Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
(૩૭) ૧૧. સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે, વા સમ્યજ્ઞાન પા, તે ચારિત્ર સર્વ વિરતિ પરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે, એવી ચિંતવના તે અગિયારમી બેધદુર્લભભાવના.”
૧૨. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બેધક એવા ગુરૂ અને એવું શ્રવણુ મળવું દુર્લભ છે, એમ ચિંતવવું તે બારમી “ધમ દુર્લભભાવના.”
આ બાર ભાવનાઓ માનપૂર્વક નિરંતર વિચારવાથી સંપુરૂષો ઉત્તમ પદને પામ્યા છે, પામે છે અને પામશે.
સામાયિકવિચાર. આત્મશક્તિને પ્રકાશ કરનાર,સમ્યજ્ઞાનદર્શનને ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ+ આય+ઈક એ શબ્દોથી થાય છે; સમ' એટલે રાગદ્વેષરહિત મધ્યસ્થ
'
:
For Personal & Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
(૩૮) પરિણામ, “આય” એટલે તે સમભાવનાથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ, અને
ઈક” કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગને લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. આ અને એ બે પ્રકારનાં ધ્યાનને ત્યાગ કરીને, મન, વચન કાયાના પાપભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે.
મનના પુદ્ગલ દેરંગી છે. સામાયિકમાં જ્યારે વિશુદ્ધ પરિણામથી રહેવું કહ્યું છે ત્યારે પણ એ મન
આકાશપાતાલના ઘાટ ઘડયા કરે છે. તેમજ ભૂલ, વિસ્મૃતિ, ઉન્માદ ઈત્યાદિકથી વચનકાયામાં પણ દૂષણ આવવાથી સામાયિકમાં દોષ લાગે છે. મન, વચન અને કાયાના થઈને બત્રીશ દોષ ઉપન્ન થાય છે. દશ મનના, દશ વચનના અને બાર કાયાના એમ બત્રીશ દોષ જાણવા અવશ્યના છે. જે જાણવાથી મન સાવધાન રહે છે.
મનના દશ દોષ કહું છું.
૧. અવિવેકદષ–સામાયિકનું સ્વરૂપ નહીં જાણુવાથી મનમાં એવો વિચાર કરે છે આથી શું ફળ
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
(૩૮) થવાનું હતું? આથી તે કોણ તર્યું હશે? એવા વિકકલ્પનું નામ “અવિવેક દોષ.”
૨. યશવાંચ્છાદોષ–પોતે સામાયિક કરે છે એમ અન્ય મનુષ્યો જાણે તે પ્રશંસા કરે તે ઈચ્છાએ સામાયિક કરે ઈ. તે “યશોવાંછાદોષ.”
૩. ધનવાંછાદોષ–ધનની ઈચ્છાએ સામાયિક કરવું તે “ધનવાંછાદિષ.”
૪. ગર્વદોષ–મને લોકે ધર્મ કહે છે અને હું કેવી સામાયિક પણ તેવી જ કરું ? એ “ગર્વદેષ.”
૫. ભયદોષહું શ્રાવકકુળમાં જન્મ્યો છું; મને લકે મોટા તરીકે માન દે છે, અને જે સામાયિક નહીં કરું તો કહેશે કે એટલું પણ નથી કરતો; એથી નિંદા થશે એ “ભયદોષ.”
૬. નિદાનદોષ–સામાયિક કરીને તેનાં ફળથી ધન, સ્ત્રી, પુત્રાદિક મેળવવાનું છે તે “નિદાનદોષ.”
૭. સંશયદોષ–સામાયિકનું પરિણામ હશે કે નહીં હોય? એ વિકલ્પ તે સંશયદષ.
૮. કષાયદોષ–સામાયિક ક્રોધાદિકથી કરવા
For Personal & Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
(૪૦) બેસી જાય, કે કંઈ કારણથી પછી ક્રોધ, માન, માયા, લોભમાં વૃત્તિ ધરે તે “કષાયદેષ.”
૯. અવિનયદોષ—વિનય વગર સામાયિક કરે તે અવિનયદોષ.”
૧૦. અબહુમાનદોષ–ભક્તિભાવ અને ઉમંગપૂર્વક સામાયિક ન કરે તે “અબહુમાનદોષ.” - દશ દોષ મનના કહ્યા; હવે વચનના દશ દોષ
૧. કુબેલદોષ–સામાયિકમાં કુવચન બેલિવું તે “કુબેલદોષ.”
૨. સહસાત્કારદોષ–સામાયિકમાં સાહસથી અવિચારપૂર્વક વાક્ય બોલવું તે સહસાત્કારદોષ.”
૩. અસદારોપણદોષ–બીજાને ખોટો બંધ આપે તે “અસદારોપણદોષ.
૪. નિરપેક્ષદોષ–સામાયિકમાં શાસ્ત્રની દરકાર વિના વાક્ય બોલે તે “નિરપેક્ષદષ.
૫. સંક્ષેપદોષ–સૂત્રના પાઠ ઇત્યાદિક ટૂંકામાં બોલી નાખે; અને યથાર્થ ઉચ્ચાર કરે નહીં તે સંક્ષેપદોષ.”
For Personal & Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
( ૪૧ ) ૬. કલેશદષ–કોઈથી કંકાસ કરે તે “કલેશદોષ.”
૭. વિકથા દોષ–ચાર પ્રકારની વિકથા માંડી બેસે તે “વિકથાદોષ.”
૮. હાસ્યદોષ–સામાયિકમાં કોઈની હાંસી, મશ્કરી કરે તે “હાસ્યદોષ.”
૯. અશુદ્ધદોષ–સામાયિકમાં સૂત્રપાઠ ન્યુનાધિક અને અશુદ્ધ બોલે તે “અશુદ્ધદોષ.”
૧૦. ગુણમુદેષ-ગડબડગોટાથી સામાયિકમાં સૂત્રપાઠ બેલે, જે પોતે પણ પુરું માંડ સમજી શકે તે મુમુણદોષ.
એ વચનના દશ દોષ કહ્યા; હવે કાયાના બાર દોષ કહું છું.
૧. અયોગ્યઆસનદોષ–સામાયિકમાં પગ પર પગ ચઢાવી બેસે એ ગુર્નાદિકનું અવિનયરૂપ આસન, માટે એ પહેલો અગ્યઆસનદોષ.”
ર. ચલાસનદોષ–ડગડગતે આસને બેસી સામાયિક કરે, અથવા વારંવાર જ્યાંથી ઊઠવું પડે તેવે આસને બેસે તે “ચલાસનદેષ.”
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
(કર ) ૩. ચલદષ્ટિદોષ-કાયોત્સર્ગમાં આંખે ચંચળ રાખે એ “ચલદૃષ્ટિદોષ.”
૪. સાવઘક્રિયાદોષ–સામાયિકમાં કંઈ પાપ ક્રિયા કે તેની સંજ્ઞા કરે તે સાવદ્યકિયાદોષ.
૫. આલંબનદોષ–ભીંતાદિકે એઠીંગણ દઈ બેસે એથી ત્યાં બેઠેલા જંતુ આદિકનો નાશ થાય અને પિતાને પ્રમાદ થાય, તે “આલંબનદેષ'
૬. આકુંચનપ્રસારણદોષ-હાથ પગ સંકોચે, લાંબા કરે એ આદિ તે “ આકુંચનપ્રસારણદોષ.”
૭. આલસદોષ–અંગ મરડે, ટચાકા વગાડે એ આદિ તે “આલસદોષ.”
૮. મોટનદોષ-આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે તે માટનદોષ.”
૯, મલદોષ–ઘરડાઘરડ કરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે “મલદોષ.”
૧૦. વિમાસણદોષ-ગળામાં હાથ નાખી બેસે ઈ૦ તે “વિમાસણદોષ.”
૧૧. નિદ્રાદોષ-સામાયિકમાં ઊંધ આવવી નિદ્રાદોષ.”
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
( ૪૧ )
૧૨. વસ્ત્રસ કેાચનદોષ–સામાયિકમાં ટાઢ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર સાચે તે ' વસ સ કાચનદોષ.’
એ બત્રીશ દુષણરહિત સામાયિક કરવી; પાંચ અતિચાર ટાળવા.
એકાગ્રતા અને સાવધાની વિના એ ખત્રીશ દોષમાંના અમુક દોષ પણ આવી જાય છે. વિજ્ઞાનવેત્તાઆએ સામાયિકનું જધન્ય પ્રમાણુ એ ઘડીનું બાંધ્યુ છે, એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાન્તિ આપે છે. કેટલાકના એ બે ઘડીના કાળ જ્યારે જતા નથી ત્યારે તેએ બહુ કંટાળે છે. સામાયિકમાં નવરાશ લઈ બેસવાથી કાળ જાય પણ કયાંથી? આધુનિક .કાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. પ્રતિક્રમણ સામાયિકની સાથે કરવાનુ હોય છે ત્યારે તેા વખત જવા સુગમ પડે છે. જોકે એવા પામરો પ્રતિક્રમણ લક્ષપૂર્વક કરી શકતા નથી. તાપણ કેવળ નવરાશ કરતાં એમાં જરૂર કંઇક ફેર પડે છે. સામાયિક પણ પૂરું` જેએને આવડતુ' નથી તે બિચારા સામાયિકમાં પછી બહુ મૂંઝાય છે. કેટલાક
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૪૪ ) ભારે કમી ઓ એ અવસરમાં વ્યવહારના પ્રપંચો પણ ઘડી રાખે છે. આથી સામાયિક બહુ દોષિત થાય છે.
વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. સાઠ ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. અસંખ્યાત દિવસથી ભરેલાં અનંતાં કાળચક્ર વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે સામાયિકમાં પ્રવેશ કર્યા પછી ચાર લોગસ્સથી વધારે લોગને કાયોત્સર્ગ કરી ચિત્તની કંઇકસ્વર થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું. વૈરાગ્યનાં ઉત્તમ કાવ્ય બલવા, પાછળનું અધ્યયન કરેલું
સ્મરણ કરી જવું. નૂતન અભ્યાસ થાય તો કરો. કેઈને શાસ્ત્રાધારથી બંધ આપવો; એમ સામાયિકીકાળ વ્યતીત કરે. મુનિરાજને જે સમાગમ હોય તો આગમવાણી સાંભળવી અને તે મનન કરવી, તેમ ન હોય અને શાસ્ત્રપરિચય ન હોય તો વિચક્ષણ અભ્યાસી પાસેથી વૈરાગ્યબાધક કથા શ્રવણ કરવું; કિવા કંઈ અભ્યાસ કરવો. એ સઘળી યોગવાઈ ન હોય તો કેટલોક ભાગ લક્ષપૂર્વક કાર્યોત્સર્ગમાં રેક;
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
(૪૫) . અને કેટલોક ભાગ મહાપુરુષોનાં ચરિત્રકથામાં ઉપગપૂર્વક રોકવો. પરંતુ જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિકીકાળ વ્યતીત કરવો. કંઈ સાહિત્ય ન હોય તો પંચ પરમેષ્ઠીમંત્રને જાપ જ ઉત્સાહપૂર્વક કરવો. પણ વ્યર્થ કાળ કાઢી નાખે નહીં. ધીરજથી, શાંતિથી અને યત્નાથી સામાયિક કરવું જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્રપરિચય વધાર.
સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી સામાયિક તે ભાવથી કરવું.
સામાન્ય નિત્યનિયમ. - પ્રભાત પહેલાં જાગૃત થઈ, નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું. પાપવ્યાપારની વૃત્તિ રેકી રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપગપૂર્વક પ્રતિક્રમણ કરવું.
પ્રતિક્રમણ કર્યા પછી યથાવસર ભગવાનની ઉપાસના સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજજવલ કરવું.
For Personal & Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
(૪૬) માતાપિતાને વિનય કરી, આત્મહિતને લક્ષ ભુલાય નહીં, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું.
પતે ભજન કરતાં પહેલાં સત્પાત્રે દાના દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતાં યથોચિત પ્રવૃત્તિ કરવી.
આહાર વિહારને નિયમિત વખત રાખવો તેમજ સત શાસ્ત્રના અભ્યાસ અને તાવિક ગ્રંથના મનનને પણ નિયમિત વખત રાખવો.
સાયંકાળે સંધ્યાવશ્યક ઉપયોગપૂર્વક કરવું. ચેવિહાર પ્રત્યાખ્યાન કરવું. નિયમિત નિદ્રા લેવી.
સૂતા પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશવ્રતદોષ અને સર્વ જીવને ક્ષમાવી, પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી, મહાશાંતિથી સમાધિભાવે શયન કરવું.
આ સામાન્ય નિયમે બહુ લાભદાયક થશે. એ તમને સંક્ષેપમાં કહ્યા છે. સૂક્ષ્મ વિચારથી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગળદાયક થશે.
For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
(૪૭)
બત્રીસ ચોગ. સપુરુષો નીચેના બત્રીસ યોગને સંગ્રહ કરી આત્માને ઉજજવળ કરવાનું કહે છે. ૧. મોક્ષ સાધક યોગ માટે શિષ્ય આચાર્ય પાસે
આલોચના કરવી. ૨. આચાર્ય આલોચના બીજા પાસે પ્રકાશવી નહીં. ૩. આપત્તિકાળે પણ ધર્મનું દઢપણું ત્યાગવું નહીં. ૪. લોક, પરલોકનાં સુખનાં ફલની વાંછના વિના
તપ કરવું. ૫. શિક્ષા મળી તે પ્રમાણે યત્નાથી વર્તવું; અને
નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી. ૬. મમત્વનો ત્યાગ કરે. ૭. ગુપ્ત તપ કરવું. ૮. નિર્લોભતા રાખવી. ૯. પરિષહ ઉપસર્ગને જીતવા. ૧૦. સરળ ચિત્ત રાખવું. ૧૧. આત્મસંયમ શુદ્ધ પાળવે.
For Personal & Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
(૪૮ ) ૧૨. સમક્તિ શુદ્ધ રાખવું. ૧૩. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. ૧૪. કપટરહિત આચાર પાળવો. ૧૫. વિનય કરવા યોગ્ય પુરુષોને યથાયોગ્ય વિનય
કરવો. ૧૬. સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી
નાંખવી. ૧૭. વૈરાગ્યભાવનામાં નિમગ્ન રહેવું. ૧૮. માયારહિત વર્તવું. ૧૯. શુદ્ધ કરણીમાં સાવધાન થવું. ૨૦. સમ્પરને આદર અને પાપને રોકવાં. ૨૧. પોતાના દોષ સમભાવપૂર્વક ટાળવા. ૨૨. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. ૨૩. મૂલ ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાળવાં. ૨૪. ઉત્તર ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. ૨૫. ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ કરો. ૨૬. પ્રમાદરહિત જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તન કરવું. ૨૭. હંમેશાં આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું.
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૪ ). ૨૮. ધ્યાન, જિતેંદ્રિયતા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું. ર૯. મરણાંત દુઃખથી પણ ભય પામવો નહીં. ૩૦. સ્ત્રીઆદિકના સંગને ત્યાગ. ૩૧. પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી. ૩૨. મરણકાલે આરાધના કરવી.
એ એકેકે વેગ અમૂલ્ય છે. સઘળા સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે.
સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્ય:૧. એક ભેદે નિયમ એ જ આ જગતને પ્રવર્તક છે. ૨. જે મનુષ્ય સત્પષનાં ચરિત્રરહસ્યને પામે છે
તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ૩. ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળીયું છે. ૪. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ
એ બન્ને સમાન દુઃખદાયક છે. ૫. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત
For Personal & Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) ૬. ઈદ્રિયે તમને જીતે અને સુખ માને તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમ
પદ પ્રાપ્ત કરશો. ૭. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ
નથી. ૮. યુવાવયનો સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે. ૯ તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ
અતીન્દ્રિયસ્વરૂપ છે. ૧૦. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ.
સહજપ્રકૃતિ. ૧. પરહિત એ જ નિજહિત સમજવું, અને
પરદુ:ખ એ પિતાનું દુ:ખ સમજવું. ૨. સુખદુ:ખ એ બન્ને મનની કલ્પના છે. ૩. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજે છે. ૪. સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખર
ભૂષણ છે. ૫. શાંતસ્વભાવ એ જ સજજનતાનું ખરું મૂળ છે.
For Personal & Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
૬. ખરા સ્નેહીની ચાહના એ સજજનતાનું ખાસ
લક્ષણ છે. ૭. દુર્જનને ઓછો સહવાસ. ૮. વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. ૯. દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. ૧૦. ધર્મકર્મમાં વૃત્તિ રાખવી. ૧૧. નીતિના બાંધા પર પગ ન મૂકો. ૧૨. જિતેંદ્રિય થવું. ૧૩. જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્ય
યનમાં થાવું. ૧૪. ગંભીરતા રાખવી. ૧૫. સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં
છતાં, વિદેહી દશા રાખવી. ૧૬. પરમાત્માની ભક્તિમાં થાવું. ૧૭. પનિંદા એ જ સબળ પાપ માનવું. ૧૮, દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ
માનવું ૧૯. આત્મજ્ઞાન અને સજજનસંગત રાખવાં.
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
( પર ) મહાવીરના બેધને પાત્ર કેણુ? ૧. સત્પુરુષના ચરણને ઈચ્છક, ૨. સદેવ સૂક્ષ્મ બેધને અભિલાષી, ૩. ગુણપર પ્રશસ્ત ભાવ રાખનાર, ૪. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, ૫. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ
રાખનાર, ૬. ઉપયોગથી એક પળ પણ ભરનાર, ૭. એકાંતવાસને વખાણનાર, ૮. તીર્થાદિ પ્રવાસને ઉછરંગી, ૯. આહાર, વિહાર, નિહારનો નિયમી,
૧૦. પિતાની ગુરુતા દબાવનાર,
એ કઈ પણ પુરુષ તે મહાવીરના બેધને પાત્ર છે, સમ્યક્દશાને પાત્ર છે. પહેલા જેવું એકકે નથી.
For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
( ૫૩ )
વ્યવહારશુદ્ધિ
નીચેના દોષ ન આવવા જોઈ એ :–
૧. કેાઈથી મહા વિશ્વાસઘાત. ૨. મિત્રથી વિશ્વાસઘાત.
૩. કાઇની થાપણુ એળવવી. ૪. વ્યસનનું સેવવુ.
૫. મિથ્યા આળનું મૂકવુ.
૬. ખાટા લેખ કરવા.
૭. હિસાબમાં ચૂકવવું.
૮. જુલમી ભાવ કહેવા.
૯. નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવા.
૧૦. ન્યૂનાધિક તાળી આપવુ.
૧૧. એકને બદલે બીન્તુ અથવા મિશ્ર કરીને આપવું.
૧૨. કર્માદાની ધધા.
૧૩. લાંચ કે અદત્તાદાન.
—એ વાટેથી કઇ રળવું નહીં.
એ જાણે સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપજીવન અર્થે
કહી ગયા.
For Personal & Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
ૐ નમઃ
આત્મા મળેલું સ્વરૂપ ભૂલી
૧. પ્રમાદને લીધે જાય છે.
ર. જે જે કાળે જે જે કરવાનું છે તેને સદા ઉપયેાગમાં રાખ્યા રહે.
૩. ક્રમે કરીને પછી તેની સિદ્ધિ કરો.
૪. અઆહાર, અપવિહાર, અલ્પનિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકૂળ સ્થાન
એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધના છે. પ. શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તાપણુ જિજ્ઞાસા તે પણ તે જ અશવત્ છે. ૬. નવાં કર્મ બાંધવાં નહીં અને જૂનાં ભાગવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વર્તી શકે છે.
૭. જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઈચ્છા રહેવા દેવી જોઇતી નથી. ૮. મન જે શંકાશીલ થઇ ગયુ હોય તેા ‘દ્રવ્યાનુયોગ' વિચારવા યાગ્ય છે; પ્રમાદી થઇ ગયુ હાય તેા
For Personal & Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
(૫૫) ચરણકરણનુગ” વિચારે યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તે “ધર્મકથાનુગ વિચાર ગ્ય છે; જડ થઈ ગયું હોય તે
ગણિતાનુગ” વિચાર યોગ્ય છે. ૯. કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી; પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ; આમ
કરવાથી સંતોષી રહેવાશે. ૧૦. પૃથ્વી સંબંધી કલેશ થાય તો એમ સમજી
લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટા હું તેને દેહ આપી જવાને છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી કલેશ, શંકા ભાવ થાય તે આમ સમજી અન્ય ભક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મહી પડે, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં!) ધન સંબંધી નિરાશા કે કલેશ થાય છે તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે;
ક્રમ કરીને તે તું નિઃસ્પૃહી થઈ શકીશ. ૧૧. તેને તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની
પ્રાપ્તિ થાય.
For Personal & Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૫ )
૧૨. એક વાર જો સમાધિમરણ થયું તેા સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે.
૧૭. સર્વોત્તમ પદ સત્યાગીનુ છે.
વચનાવલી.
૧. જીવ પેાતાને ભૂલી ગયા છે, અને તેથી સતસુખનેા તેને વિયેાગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે.
૨. પાતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિ:શ ંક માનવું.
૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઇએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લેાકલજજાદિ કારણેાથી અજ્ઞાનીના આશ્રય છેાડતા નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.
૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પેાતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડયો.
For Personal & Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
( ૭ )
પ. જયાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સ ંભવતી નથી.
૬. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.
૭. જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મેાક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતા નથી. અને મનન તથા નિદિધ્યાસનાદિના હેતુ થતા નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષાએ કહ્યું છે. ૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે.
૯. ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મેાક્ષ થવાના એ જ ઉપદેશ કર્યા હતા.
૧૦. પરિક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે.
૧૧. અનંતકાળ સુધી જીવ નિજ છ ંદે ચાલી રિશ્રમ કરે તાપણ પાતે પાતાથી જ્ઞાન પામે નહીં,
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૮ )
પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતર્મુહૂતમાં પણ કેવળજ્ઞાન પામે.
૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મેાક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઇએ.
૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મેાક્ષ નથી.
૧૪. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.
ઇતિ શિવમ્
જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હાય, અથવા હું નહીં જ મરૂ એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સુએ,
શ્રી તીર્થંકર-ઈજીવનિકાય અધ્યયન.
બાહ્યભાવે જગતમાં વર્તા અને અંતરંગમાં
For Personal & Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
(૫૯) એકાંત શીતલીભૂત–નિર્લેપ રહો એ જ માન્યતા અને બેધના છે,
જગતમાં નિરાગીત્વ, વિનયતા અને પુરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ; પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરે ઉચિત છે. જય થાઓ !
પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાવન આત્મા સંપુરૂષના ચરણકમળની વિન
પાસના વિના પ્રાપ્ત કરી શકતા નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.
અનંતાનુબંધી” ને બીજો પ્રકાર લખ્યો છે તે વિષે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશે. - ઉદયથી અથવા ઉદાસભાવસંયુક્ત મંદપરિણતબુદ્ધિથી ભોગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ
For Personal & Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
(૬૦ ) થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશિતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગપ્રવૃત્તિ સંભવે, જે નિર્વસ પરિણામ કહ્યાં છે, તેવાં પરિણામ વર્તે ત્યાં પણ
અનંતાનુબંધી’ સંભવે છે. તેમજ હું સમજું છું.' મને બાધ નથી, એવાને એવા બફમમાં રહે, અને ભેગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તે થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની ભોગાદિકમાં પ્રવર્તન કરે ત્યાં પણ અનંતાનુબંધી” સંભવે છે.
જાગૃતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય. તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષણપણું સંભવે.
સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય?
આવા અમૂલ્ય મનુષ્યપણાને એક સમય પણ પરવૃત્તિએ જવા દેવાયોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે, તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગષવાગ્ય છે."
For Personal & Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
( ૬૧ )
જ્ઞાનીપુરુષના નિશ્ચય થઈ અતભેદ ન રહે તા આત્મપ્રાપ્તિ સાવસુલભ છે, એવું જ્ઞાની પેાકારી ગયા છતાં કેમ લેાકેા ભૂલે છે?
નીચેના નિયમો પર બહુ લક્ષ આપવુ જોઇ એ. ૧. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશ્ય વિના બીજી વાત ન કરવી જોઈ એ.
૨. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ ૩. પોતે ધીરજથી તેનેા સદુત્તર આપવા જોઈએ. ૪. જેમાં આત્મશ્લાધા કે આત્મહાનિ ન હેાય તે વાત ઉચ્ચારવી જોઇ એ.
૫. ધર્મસબંધી હમણાં બહુ જ આછી વાત કરવી. ૬. લેાકાથી ધર્મવ્યવહારમાં પડવું નહીં.
ૐ
નમ:
સર્વ જીવ સુખને ઈચ્છે છે.
દુ:ખ સર્વને અપ્રિય છે. દુ:ખથી મુક્ત થવા સ જીવ ઈચ્છે છે.
For Personal & Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
વાસ્તવિક તેનુ સ્વરૂપ ન સમજાવાથી તે દુ:ખ
મટતું નથી.
તે દુ:ખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ.
અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મેાક્ષ હાય નહીં.
સમ્યજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યક્ કહેવાય છે.
વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યજ્ઞાન કહીએ છીએ.
સમ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે.
એ ત્રણેની એકતાથી મેાક્ષ થાય
જીવ સ્વાભાવિક છે.
પરમાણુ સ્વાભાવિક છે. જીવ અનત છે.
For Personal & Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
" (૬૩) પરમાણું અનંત છે. જીવ અને પુદ્ગલને સંગ અનાદિ છે.
જ્યાં સુધી જીવને પુગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય.
ભાવકર્મને કર્તા જીવ છે. ભાવકનું બીજું નામ વિભાવ કહેવાય છે. ભાવકર્મના હેતુથી જીવ પુદ્ગલ રહે છે.
તેથી તેજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરને યોગ થાય છે.
ભાવકર્મથી વિમુખ થાય તે નિજભાવપરિણામી
થાય.
સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે.
સમ્યગ્દર્શન થવાનું મુખ્ય હેતુ જિનવચનથી તવાર્થ પ્રતીતિ થવી તે છે.
For Personal & Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
काव्यो નાભીનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવ બંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદ્યત, ખંત પ્રેરક ભગવંતા; અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણ હરણતારણતરણ,વિશ્વોદ્ધારણઅધ હરે તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે.
જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રેય.
મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકુળ.
For Personal & Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
( ૬૫) જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ કારણ તેનાં બે કહ્યાં, રાગદ્વેષ અણહેતુ.
નથી ઘર્યો દેહ વિષય વધારવા; નથી ઘર્યો દેહ પરિગ્રહ ધારવા.
मुनिने प्रणाम
(મનહર ) શાંતિકે સાગર અરૂ, નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન, ધ્યાનકે નિધાન હે. શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધર્મ કે ઉઘાન હે. રાગ દ્વેષસે રહિત, પરમ પુનીત નિત્ય, ગુનર્સે ખચિત ચિત્ત, સજજન સમાન છે. રાયચંદ્ર વૈર્ય પાળ, ધર્મઢાલ ક્રોધકાળ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન છે.
(શાર્દૂલવિક્રીડિત ) માયા માન મનેજ મોહ મમતા, મિથ્યાત્વ મોડી મુનિ, ઘેરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ ધિર્યો ધુની; છે સંતોષ સુશીલ સિગ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા, ક્ષમાધર મુનિ, કેટી કરૂં વંદના.
For Personal & Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ,
( ૬ )
भावनाओ ( ઉપજાતિ )
પુરદુરી ચાપ અનંગ રગ,
આયુષ્ય તે તે જળના તર’ગ;
સર્વજ્ઞના ધર્મ સુશણું જાણી,
' રાચીએ ત્યાં ક્ષણના પ્રસંગ! ( ઉપજાતિ )
ના મારાં તન ના મારાં ભત
અનાથ એકાંત સનાથ થાશે,
આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય,
એના વિના કોઇ ન બાંહ્ય ન્હાશે. ( ઉપજાતિ )
એ ભાગવે એક સ્વ આત્મ પોતે,
તે કોઈ અન્ય લઈ ના શકાય;
એકત્વ એથી નય સુજ્ઞ ગાતે. ( શાલવિક્રીડિત)
રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, સ્નેહિઓ સ્વજન કે, ના ગાત્ર કે જ્ઞાત ના;
For Personal & Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
ના મારાં ધન ધામ ચાવન ધરા, એ મેાહ અજ્ઞાત્વના રે ! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. ( ગીત ) ખાણ મૂત્રને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ निवृत्ति बोध ( નારાચ છંદ ) અનંત સાખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુ:ખ નામ સાખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા ! ઉધાડ ન્યાય—નેત્રને નિહાળ રે! નિહાળ તુ; નિવૃત્તિ શીઘ્રમેવ ધારિ તે પ્રવૃત્તિ બાળ તુ. ( દેહરા ) જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવ પાર. सर्वमान्य धर्म ( ચોપાઈ )
ધર્મતત્ત્વ બે પૂછ્યું મને,
તા સંભળાવું સ્નેહે તને;
જે સિદ્ધાંત સકળના સાર,
સર્વ માન્ય સહુને હિતકાર. ૧
For Personal & Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૬૮ ) ભાખ્યું ભાષણમાં ભગવાન,
ધર્મ ન બીજે દયા સમાન; અભયદાન સાથે સંતોષ,
ઘે પ્રાણને, દળવા દેષ. ૨ સત્ય શીળ ને સઘળાં દાન,
દયા હૈઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહીં એક,
વિના સૂર્ય કિરણ નહીં દેખ. ૩ પુષ્પપાંખડી જ્યાં દૂભાય,
જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઈછે સુખ,
મહાવીરની શિક્ષા મુખ્ય. ૪ સર્વ દર્શને એ ઉપદેશ,
એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ,
દયા દયા નિર્મળ અવિરોધ! ! એ ભવતારક સુંદર રાહ,
ધરિયે તરિયે કરી ઉત્સાહ ધર્મ સકળનું એ શુભ મૂળ,
એ પણ ધર્મ સદા પ્રતિકૂળ. ૬
For Personal & Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
( ૬૯ )
ઓળખે,
તે જન પહોંચે શાશ્વત સુખે;
તત્ત્વરૂપથી એ
શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ,
રાજચંદ્રે કરૂણામે સિદ્ધ. ૭
भक्तिनो उपदेश
( તાટક છંદ )
શુભ શીતળતામય છાંય રહી,
મનવાંછિત જયાં ફળપક્તિ કહી; જિનભક્તિ ગ્રહેા તરુ કલ્પ અહા,
ભજીને ભગવંત ભવત લહેા. નિજ આત્મસ્વરૂપ મુદ્દા પ્રગટે,
મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ઝરતા વણદામ ગ્રહા,
ભજીને ભગવત ભવત લા. સમભાવી સદા પરિણામ થશે,
જડ મદ અધોગતિ જન્મ જશે;
શુભ મંગળ આ પરિપૂર્ણ ચહેા, ભજીને ભગવત ભવંત લહેા.
For Personal & Private Use Only
૧
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૨ ) શુભ ભાવ વડે મન શુદ્ધ કરો,
નવકાર મહાપદને સમરે; નહીં એહ સમાન સુમત્ર કહે,
| ભજીને ભગવત ભવંત લહે. ૪ કરશે ક્ષય કેવળ રાગ કથા,
ધરશો શુભ તત્તરવરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહે,
ભજીને ભગવંત ભવંત લહે. ૫ ब्रह्मचर्य विषे सुभाषित
(દોહરા ) નીરખીને નવાવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યો સો સંસાર; નૃપતિ જીતતાં છતિયે, દળ, પુર ને અધિકાર. ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે જયમ અજ્ઞાન. ૪
For Personal & Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
( ૭ ) જે નવ વાડ વિશુદ્ધથી, ઘરે શિયળ સુખદાઈ ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. પ સુંદર શિયળ સુરતરૂ, મન વાણી ને દેહ, જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવ સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. ૭
सामान्य मनोरथ
(સયા) મહિનભાવ વિચાર અધીન થઈ,
ને નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરભવ,
નિર્મળ તાત્વિક લેભ સમારી ! દ્વાદશ વ્રત અને દીનતા ધરી,
સાવિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક,
નિત્ય અખંડ રહે ભવહારી. તે ત્રિશલાતન મન ચિંતવી,
જ્ઞાન, વિવેક, વિચાર વધારું;
For Personal & Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
( ર ) નિત્ય વિશધ કરી નવ તત્ત્વને,
ઉત્તમ બોધ અનેક ઉચ્ચારૂં. સંશયબીજ ઊગે નહીં અંદર,
જે જિનનાં કથને અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મને રથ,
ધાર, થશે અપવર્ગઉતારૂં तृष्णानी विचित्रता
(મનહર છંદ) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને,
મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને,
આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને,
દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને અહે ! રાજચંદ્ર માને માને શંકરાઈમળી;
વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને.
કરચલી પડી દાઢી ડાચાં તણે દાટ વળે,
કાળી કેશપટી વિષે તતા છવાઈ ગઈ
For Personal & Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
(૭૩) સંધવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું,
તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો,
ઉઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ અરે ! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ.
(૩) કરોડના કરજના શીર પર ડંકા વાગે,
રોગથી રંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો,
પેટ તણું વેઠ પણ, શકે ન પુરાઈને. પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ,
પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉ દુઃખદાઈને; અરે! રાજચંદ્ર તેય જીવ ઝાવા દાવા કરે,
જંજાળ છેડાય નહીં, તજી તૃષનાઈને.
થઈ ક્ષીણ નાડી અવાચક જે રહ્યો પડી, - જીવન દીપક પાપે કેવળ ઝંખાઈને;
For Personal & Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૭૪ )
છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું,
હવે ટાઢી માટી થાય તે ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તો ખીજી બુદ્દે સૂચવ્યું છે,
બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને! અરે ! રાજચંદ્ર દેખે દેખ આશાપાશ કેવો ?
જતાં ગઈ નહીં ડોશે મમતા મરાઈને!
अमूल्य तत्त्वविचार.
હરિગીત છંદ બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવને મળે,
તોયે અરે ! ભવચક્રને આંટો નહીં એકકે ટળ્યો સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહ,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવભરણે કાં અહોરાજી રહે? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહો?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નવ ગૃહો, વધવાપણું સંસારનું નર દેહને હારી જ,
એને વિચાર નહીં અહોહો! એક પળ તમને હો!!ાર નિર્દોષ સુખનિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે;
For Personal & Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
(ઉપ) પરવસ્તુમાં નહીં મુંઝવો, એની દયા મુજને રહી
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુ:ખ તે સુખ નહીં. ૩ હું કોણ છું ?કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણ છે? રાખું કે એ પરહરૂ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે બે ર્યા,
તો સર્વ આમિક જ્ઞાનનાં સિદ્ધાંતત;વ અનુભવ્યાં.૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માને “તેહ 'જેણે અનુભવ્યું; રે! આત્મતારો! આત્મતારો! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખે. ૫
जिनेश्वरनी वाणी.
(મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મેક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈમેં માની છે;
For Personal & Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
(૭૬) અહો! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ૧
पूर्णमालिका मंगल
( ઉપજાતિ ) તપાધ્યાને રવિરૂપ થાય,
એ સાધીને સોમ રહી સુહાય; મહાન તે મંગળ પંક્તિ પામે,
આવે પછી તે બુધના પ્રણામે. ૧ નિર્ચ થ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા,
- કાં તે સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે,
સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે
काळ कोईने नहि मूके.
( હરિગીત) મોતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણ શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧
For Personal & Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
( ૭ ) મણિમય મુગટ માથે ધરીને કણે કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખાઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિકયથી, જે પરમ પ્રેમે પેરતા પેચી કળા બારીકથી એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુ સેઈને, જન જાણીએ મનમાનીએ નવ કાળ મૂકે કોઈને ૪ છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજયા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજયા; એ ચતુર ચક્રી ચાલિયા હેતા નહેતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૫ જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા. અવળા કર્યો જેના બધા સવળા સદા પાસા પડયા;
For Personal & Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૮ )
એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટા સા ખાઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઇને. ૬ તરવાર બહાદુર ટ્રેક ધારી પૂર્ણતામાં પેખીયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મુકે કાઇને,
ધર્મ વિષે ( કવિત )
સાહ્યબી સુખદ હાય, માનતણા મદ હાય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું? જુવાનીનુ જોર હાય, એશનેા અકાર હોય, દોલતના દાર હાય, એ તે સુખ નામનુ; વનિતા વિલાસ હાય, કૈાઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હાય, હાય સુખ ધામનુ: વન્દે રાયચંદ એમ, સહુને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તેા, બેએ જ બદામનુ . ૧ માહ માન મેાડવાને, ફેલપણું ફાડવાને, જાળફદ તેાડવાને, હેતે નિજ હાથથી;
७
For Personal & Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
(૭૯) કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી; મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી; અલાકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાન ધારો, ખરેખરી ખાંતથી. ૨ દિનકર વિના જેવ, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી પ્રજ પુરતણી પેખે, સરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી સરિતાની શોભા અને, ભર્તાર વિહીન જેવી ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના. માનવી મહાન તેમ, કુકમ કળાય છે. ૩ ચતુરો ચાંપેથી ચાહી ચિંતામણી ચિત્ત ગણે. પંડિતો પ્રમાણે છે. પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી કલ્પતરૂ કર્થ જેને, સુધાને સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી;
For Personal & Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
( ૮૦ )
આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરે જે, નિર્મળ થવાને કાજે, ન નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી, ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખાન મથી” ૪
“સુખકી સહેલી છે. અકેલો ઉદાસીનતા” અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લધુ વયથી અદ્ભુત થયે, તત્વજ્ઞાનનો બોધ; એજ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેધ? જે સંસ્કાર થવ ઘટે, અતિ અભ્યાસે કાય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મેહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જોત. ૩ કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અતિ તે સૂચવે, એજ ખરો નિર્ધાર. ૪ આ ભવવષ્ણુ ભવ છે નહીં, એજ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫
[ અંગત ]
For Personal & Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
(૮૧) ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિને એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ. ૧ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાનવિચાર; અનુભવી ગુરૂને સેવીએ, બુધજનને નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મેહ, તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુણ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહીં હોય; પરમ પુરુષ તેને કહે, સરળ દષ્ટિથી જોય. પ બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા, ––
લોક પુરુષસંસ્થાને કહ્યો, એને ભેદ તમે કંઈ લહ્યો? એનું કારણ સમજ્યા કાંઈ કે સમજાવ્યાની ચતુરાઈ? શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ
૧
For Personal & Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
(૮૨) જેમ જણાવો સુણીએ તેમ, કાં તે લઈએ દઈએ ક્ષેમ.
૨
૨
શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પિતે દુઃખી? પિતે શું? કયાંથી છે આપ? એને માગે શીધ્ર જવાપ. ૧
જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાંશંકા નહીં સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ. ૨
જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક;
For Personal & Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
(૮૩) સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ૧ મૂળ સ્થિતિ જે પૂછો મને, તો સેંપી દઉં કેગી કને; પ્રથમ અંત ને મળે એક, લોકરૂપ અલોકે દેખ. જીવાજીવ સ્થિતિને જોઈ ટ ઓર શંકા ખાઈ એમજ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, ઉપાય કાં નહીં?” શંકા જાય. ૩ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણુ, સમજે બંધમુક્તિયુક્ત જીવ, નીરખી ટાળે શોક સદીવ. ૪ બંધયુક્ત જીવ કર્મ સહિત; પુદ્ગલ રચના કર્મ ખચીત; પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણુ, નર દેહે પછી પામે ધ્યાન. ૫
For Personal & Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
(૮૪) જે કે પુગલનો એ દેહ, તેપણુએર સ્થિતિ ત્યાં છે; સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ.
૬
જહાં રાગ અને વળી દ્રષ, તહાં સર્વદા માને કલેશ ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુ:ખને છે ત્યાં નાશ. સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. ર
બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ અથવા અસરૂ થકી, ઊલટો વળે ઉતાપ.
પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્દગુરૂ યોગ, વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ.
For Personal & Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
(૮૫) નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.
ૐ સત્ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સે પાવે સાક્ષાત ૧ બૂઝી ચહત જે ખાસ કે, હૈ બૂઝનની રીત;. પાવે નહીં ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળ મેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહીં દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વે જ્ઞાનીકા દેશ ૪ જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહીં સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદન છોડ; પિછે લાગ સત્પષકે, તે સબ બંધન તોડ. ૬
For Personal & Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
(૮૬)
» સત શ્રી સશુરુ ભક્તિ રહસ્ય
(દેહરા) હે પ્રભુ, હે પ્રભુ, શું કહું, દીનાનાથ દયાળ; હું તે દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ : ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. ૩. જોગ નથી સતસંગને, નથી સસેવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુગ. ૪
હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્યતુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિતભાવ; અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. ૬ અચળરૂપ આસક્તિ નહીં, નહીં વિરહને તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેને પરિતાપ. ૭
For Personal & Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
(૮૭) ભક્તિમાર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહીં શુભદેશે સ્થાન. ૮ કાળદોષ કળિથી થયે, નહીં મર્યાદાધર્મ, તે નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિયોગસ્કુરતો નથી, વચનનયન યમ નહીં; નહી ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહી. ૧૧ અહંભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શું? ૧૩ કેવળ કરૂણામૂર્તિ છે, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહે પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડો, વિના ભાન ભગવાન; સેવ્યા નહીં ગુરુસંતને, મૂક્યું નહીં અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિય, ઊગે ન અંશ વિવેક. ૧૬
For Personal & Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
( ૮ ) સહ સાધન બંધન થયાં. રહ્યો ન કોઈ ઉપાય સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પ ન સદ્દગુરુ પાય; દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? ૧૮ અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્દગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦
છે સત્
ટક છંદ યમનિયમ સંજમ આપ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લદ્યો; વનવાસ લિયો મુખ માન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયા. મન પિન નિરોધ સ્વાધ ક્યિો, હઠભેગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપ તપત્યહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહિ સબવેં.
૧
૨
For Personal & Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
૩
૪
( ૮૯) સબ શાસ્ત્રના કે નય ઘારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પ. અબ કર્યો ન બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસું? બિન સદ્ગ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે? કરના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્દગુરુચર્ન સુપ્રેમ બસે. તનસે, મનસે, ધનસે સબસે, ગુરુદેવકી આન સ્વઆત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘન. વહ સત્ય સુધા દરસાવહિંગે, ચતુરાંગુલ હે દગસે મિલહે;
૫
૬
For Personal & Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
૭
(૯૦ ) રસ દેવ નિરંજન કે પિવહી, ગહિ જોગ જુગ જુગ સો જીવહિ. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસેં; વહ કેવલો બીજ ગ્લાનિ કહે, નિજક અનુભ બતલાઈ દિયે.
૮
(દેહરા) જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કઈ કઈ પલટે નહીં, છડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ? ૨ જે જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહીં ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હાય. ૩ બંધ મોક્ષ સંગથી, જ્યાં લગી આત્મ અભાન; પણનહીં ત્યાગ સ્વભાવને, ભાખે જિને ભગવાન ૪ વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહીં આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫
For Personal & Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
( ૯૧) ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. ૬ પ્રથમ દેહ દષ્ટિ હતી, તેથી ભાસ્ય દેહ . હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ. ૭ જડ ચેતન સંગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહને ભાખે જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હેય તેહને નાશ નહીં, નહીં તેહ નહીં હોય; એક સમય તે સિ સમય, ભેદ અવસ્થા . ૧૦
પરમ પુરુષ પ્રભુ સર, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧
(હરિગીત) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. જે હેય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણે નહીં; તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમઅહીં;
For Personal & Private Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
(૯૨) એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળ, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. ૧
નહીં ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહીં મંત્ર – જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહીં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળે; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. ૨ આ જીવ ને આ દેહ એવો, ભેદ બે ભાસ્ય નહીં; પચખાણ કીધાં ત્યાં સુધી, મેક્ષાથે તે ભાખ્યાં નહીં;
એ પાંચમે અગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળ, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. ૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી, ........................... કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. ૪ શાસ્ત્ર વિશેષ સહિત પણ જે જાણિયું નિજરૂપને; કાં તેહ આશ્રય કરજો, ભાવથી સાચા મને તો જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. ૫
For Personal & Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
(૯૩) આઠ સમિતિ જાણીએ જે, જ્ઞાનીના પરમાર્થથી; તે જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી. નિજ કલ્પનાથીકેટિ શાસ્ત્ર, માત્ર મનને આમળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૬ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સિ મિથ્યાત્વનાં,
જ્યાં નંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ વ્રત નહીંપચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈને, મહાપદ્મતીર્થંકર થશે, શ્રેણિક ઠાણુંગ જોઈ લ્યો; છે અનંતા .....
......... ૮
o
o
o
•
•
•
•
•
•
•
•
•
મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ૦ નેય પૂજાદિની બે કામના રે, નેય વહાલું અંતર ભવદુઃખ મૂળ૦ ૧ કરી જોજો વચનની તુલના રે, જેજે શોધીને જિનસિદ્ધાંત, મૂળ,
For Personal & Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
( ૯૪)
માત્ર કહેવું પરમારથહેતુથી રે, કઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરૂદ્ધ, મૂળ, જિનમારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદો જે વૃતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તે ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણ પરમાર્થ, મૂળ૦ તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ ૫. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ૦ એમ જાણે સદ્ગ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦ ૬
For Personal & Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
(૯૫)
જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકત. મૂળ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણે સર્વેથી ભિન્ન અસંગ, મૂળ૦ તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે,
જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ, તેહ મારગ જિનને પામિયે રે, કિંવા પામ્યા તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ, ઉપદેશ સદ્દગુરુને પામવા રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનંદ ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ
For Personal & Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
( ૨૬ )
ભવ્ય જનાના હિતને કારણે રે, કહ્યું
સંક્ષેપે
સ્વરૂપ, મુળ॰ ૧૧
( ગીતિ )
પથ પરમપદ માધ્યા, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. ૧ મૂળ પરમપદ કારણ, સમ્યક્દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ, ૨ જે ચેતન જડ ભાવેા, અવલાકયા છે મુનીદ્ર સર્વો; તેવી અંતર આસ્થા, પ્રગટયે દર્શન કહ્યું છે તત્ત્વજ્ઞે ૩ સમ્યક્ પ્રમાણપૂર્વક, તે તે ભાવા જ્ઞાન વિષે ભાસે; સમ્યગ જ્ઞાન કહ્યું તે, સંશય,વિભ્રમ, માહ ત્યાં નાગ્યે. ૪ વિષયાર’ભ—નિવૃત્તિ, રાગ-દ્વેષના અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્દર્શન, શુદ્ધ ચરણુ ત્યાં સમાધિ સદુપાય. ત્રણે અભિન્ન સ્વભાવે,પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય.
எ
For Personal & Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
(૯૭) જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસ્રવ તથા બંધ સંવર, નિર્જરા, મેક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ, અજીવ વિષે તે, ન તત્વને સમાવેશ થાય વસ્તુવિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય.૮
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ ને? સર્વ સંબધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરૂષને પંથ ને? અપૂર્વ ૧ સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય છે; અન્ય કારણે અન્ય કશું કલ્પ નહીં, દેહે પણ કિંચિત્ મૂછી નવ બેય જે. અપૂર્વ ૨ દર્શનમોહ વ્યતીત થઈ ઉપ બધ જે, દેહ ભિન્ન કેવલ ચતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષીણ ચારિત્રમેહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જે. અપૂર્વ૩
For Personal & Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
( ૮ ) આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તે વર્તે દેહપર્યત જો; ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે. અપૂર્વ સંયમના હેતુથી યુગપ્રવર્તન, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જે. અપૂર્વ પચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને લેભ જે; દ્રવ્ય, ક્ષેત્રને કાળ, ભાવ પ્રતિબંધવણ, વિચરવું ઉદયાધીન પણ વિતાભજે. અપૂર્વક ક્રોધ પ્રત્યે તે વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન છે. અપૂર્વ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન છે;
For Personal & Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
( ૯૯ )
દેહ જાય પણ માયાથાય ન રોમમાં, લાભ નહીં છે। પ્રબળ સિદ્ધિ નિદાન બે. અપૂર્વ ૮
નગ્નભાવ, મુંડભાવ સહુ અસ્નાનતા, અદતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જે; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સયમમય નિગ્રંથ સિદ્ધ ને. અપૂર્વ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વતે તે જ સ્વભાવ ો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ માલે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વે ૧૦
એકાકી વિચરતઃ વળી સ્મશાનમાં, વળી પતમાં વાઘ સિંહ સયાગ જે; અડાલ આસન, ને મનમાં નહીં લેભતા, પરમ મિત્રના જાણે પામ્યા યોગ જો. અપૂર્વ ૧૧
ધાર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સર્સ અને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૨
For Personal & Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
(૧૦૦ ) એમ પરાજ્ય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધસ્વભાવજે. અપૂર્વ ૧૩ મહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ ગુણસ્થાન જે; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપવીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવછેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ ; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર છે. અપૂર્વ ૧૬ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો;
For Personal & Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જે. અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ છે; શુદ્ધ નિરંજન ચેતન્યમૂર્તિ અનન્યમય, અગુરૂ, લધુ, અમૂર્ત સહજપદરૂપ છે. અપૂર્વ ૧૮ પૂર્વપ્રયાગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જે. અપૂર્વ ૧૯ જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અપુર્વ ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભઆશાએ થાશું તે જ સ્વરૂપ છે. અપૂર્વ૨૧
For Personal & Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) જડ ને ચેતન્ય બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, * સુપ્રતીતપણે બને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર,
અથવા તે ફેય પણ પરદ્રવ્યમાંય છે, એ અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા,
નિગ્રંથને પંથ ભવ અંતને ઉપાય છે. દેહ વ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે,
ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુ:ખ, મૃત્યુ,
દેહને સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપને મિથ્યાત્વભાવ,
જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચિતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન,
બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
For Personal & Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
( ૧૦૩ )
શ્રી જિન પરમાત્મને નમ:
૧ ઈચ્છે છે જેોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ઘ તે આત્મપદ, સયેાગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયા, તેહ સ્વરૂપ પ્રકાર. ર જિનપદનિજપદ એકતા, ભેદભાવ નહીં કાંક; લક્ષ થવાને તેહના, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિન પ્રવચન દુર્ગમ્યતા,થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ,સુગમ અને સુખખાણુ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સયમ યાગ ધતિ. ૫ ગુણપ્રમાદ અતિશય રહે, રહે અંતર્મુખયાગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયાગ ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૈાદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭
For Personal & Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
( ૧૦૪) વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા, તેને યોગ યોગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરણ કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહીં આત્મથી,મધ્ય પાત્રમહાભાગ્ય. ૧૦ નહીં તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ભ મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧
૨ આચ્ચે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ;
આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર. ૨
૩ સુખધામ અનંત સુસંત ચહી,
| દિન રાત્ર રહે તધ્યાનમહિં પરશાંતિ અનંત સુધામય જે,
પ્રણમું પદ તે વરતે જય તે.
For Personal & Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
(૧૦૫ )
મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિછે સબ સરલહૈ, બિનૂ સમજ મુશકીલ; વે મુશકીલી કયા કહું ?...................................... ખેજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; હિં બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ......... આપ આપકું ભુલી ગયા, ઈનસેં કયા અંધેર ? સમર સમર અબ હસત હૈ, નહીં ભૂલેગે ફેર. જહાં કલપના-જલપના, તહાં માનું દુ:ખ છાંઈ, મિ. કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. હે જીવ! કયા ઈચ્છત હવે? હૈ ઈચ્છા દુ:ખ ભૂલ, જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. એસી કહાંસે મતિ ભઈ, આપ આપ હે નાહિં, આપનકું જબ ભૂલ ગયે, અવર કહાંસે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપ મિલ જાય; આપ મિલન નય બાપકો,........
-
-
For Personal & Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
( ૧૦૬ ) હ।ત આસવા પરિસા, નહીં ઇનમેં સદેહ; માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત અહિ. રચના જિન ઉપદેશકી, પરમાત્તમ તિનુ કાલ; ઇનમેં સબ મત રહત હૈ, કરતે' નિજ સભાલ.
જિન સેાહી હું આતમા, અન્ય હાઇ સા કર્મ; કર્મ કંટે સા જિન વચન, તત્વજ્ઞાનીકેા મર્મ,
જબ જાન્યા નિજરૂપા, તબ જાન્યો સબ લેાક; નહીં જાન્યા નિજરૂપા, સબ જાન્યા સાફાક. એહિ દિશાકી મુદ્રતા, હૈ નહીં જિનપે ભાવ; જિનસે` ભાવ બિનુ કર્યું, નહીં છૂટત દુ:ખદાવ વ્યવહારસે દેવ જન, નિહચેસે હૈ આપ; અહિ બચનસે' સમજ લે, જિનપ્રવચનકી છાપ.
એહિ નહીં હૈ કલ્પના, એહિ નહીં વિભગ; જબ જાગેંગે આતમા, તબ લાગે`ગે રંગ.
For Personal & Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
( ૧૦૭ )
આ અહા,
ધન્ય રે દિવસ જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે ૨ે ધારા ઉલસી, મટયો ઉદયકર્મના ગ રે.
એગણીસસે’ ને એકત્રીસે, આવ્યા અપૂર્વ અનુસાર રે; આગણીસસે ને ધ્યેતાલીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય
એગણીસસે ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે;
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય
ત્યાં આવ્યા હૈ ઉદય કારા,
પરિગ્રહ કાર્ય પ્રપંચ રે;
ધન્ય
જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે રચ રે. ધન્ય
વધતુ એમ જ ચાલિયુ, હવે દીસે ક્ષીણુ કાંઇ રે;
For Personal & Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮ )
ક્રમે કરીને કરે તે જશે, એમ ભાસે મનમાંહિ રે. ધન્ય
યથા હેતુ જે ચિત્તના,
સત્ય ધર્મના ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયા નિરધાર રે. ધન્ય
આવી અપૂર્વ વૃત્તિ અડ્ડા, થશે. અપ્રમત્ત યાગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયેાગ રે. ધન્ય
અવશ્ય કર્મના ભાગ છે, ભાગવવેા અવશેષ રે; તેથી હુ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય
अवधान प्रसंगे रचेला काव्यो.
એમ સુચવે કાંકરો, દિલ ખેાલીને દેખ; મનખા કેરા મુજ સમા, વિના ધર્મથી લેખ.
For Personal & Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) સંસારમાં મન અરે! કયમ મોહ પામે? વૈરાગ્યમાં ઝટ પથે, ગતિ એજ જામે માયા અહ! ગણી લહે, દિલ આપ આવી, આકાશ પુષ્પ થકી વંધ્ય સુતા વધાવી.”
વડોદરે વસેલ આ સયાજીરાવ સાંભરે, અધિપતિ નશીબની ગતિવતી થયો ખરે! ધણી છતાં મલ્હારરાવ, કેદમાં ગયા અરે! ગતિ વિચિત્ર કર્મની, તું હર્ષ શોક શું ધરે?
eling
Us .
For Personal & Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
૪૩૬ ]
મુંબઇ, ચિત્ર સુદ ૧, ૧૯૪૮
સમતા, રમતા, ઊરધતા. જ્ઞાયકતા સુ ખભા સ; વેદકતા, ચૈ ત વ તા, એ સબ જીવ વિલાસ.”
જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્મા પણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
પૂર્વે ઘણાં શાસ્ત્રોને વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરના વચનને નમસ્કાર કરીએ છીએ.
ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ
For Personal & Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
( ૧૧૧ )
આત્મારૂપ પુરુષ વિના જાણ્યા જાય એવા નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઇ, તે તીર્થં કરના માર્ગખાધને નમસ્કાર કરીએ છીએ.
ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવના વિચાર થવા અર્થે તે જીવ પ્રાપ્ત થવા અર્થે યાગાદિક અનેક સાધને ને બળવાન પરિશ્રમ કર્યે છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે. તે જ કહેવા વિષે જેના ઉદ્દેશ છે, તે તીથંકરનાં ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ.
[ અપૂર્ણ ]
[ ૪૩૭ ]
આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચાસહિત વર્તે છે, એવાં મનુષ્યપ્રાણી કલ્યાણના વિચાર કરવાને સર્વથી અધિક યાગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યાં છતાં તે કલ્યાણુ સિદ્ધ થયું નથી, જેથી વત માન સુધી જન્મ મરણના માર્ગ આરાધવા પડયો છે. અનાદિ એવા આ લાકને વિષે જીવની અનંત કાટી સ ંખ્યા છે; સમયે સમયે અનંત પ્રકારની જન્મ મરણાદિ સ્થિતિ તે જીવાને વિષે વો કરે છે, એવા અનંતકાળ પૂર્વે વ્યતીત થયા છે.
For Personal & Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૧ર) અનંત કોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે એવા જીવ અત્યંત થોડા થયા છે. વર્તમાને તેમ છે, અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે, એ જે શ્રી તીર્થકર દેવાદિ જ્ઞાનીને ઉપદેશ તે સત્ય છે. એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ છે; તે ભ્રાંતિ એ કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે; એક પારમાર્થિક અને એક વ્યાવહારિક. અને તે બે પ્રકારને એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી; પુરૂષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી; તેવા તેવા ભેગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે અને તેનું સૌથી મોટું કારણ અસસંગની વાસનાઓ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું, અને અસત્કર્શનને વિષે સદર્શનરૂપ ભ્રાંતિ તે છે. આત્મા નામને કઈ પદાર્થ નથી,’ એ એક અભિપ્રાય ધરાવે છે. “આત્મા નામનો પદાર્થ સંયે
For Personal & Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
(૧૧૩) ગિક છે, એવો અભિપ્રાય કઈ બીજા દર્શનને સમુદાય સ્વીકારે છે; “આત્મા દેહસ્થિતિરૂપ છે, દેહની રિથતિ પછી નથી,' એવો અભિપ્રાય કેઈ બીજા દર્શનને છે. “આત્મા અણુ છે, “આત્મા સર્વવ્યાપક છે,” “આત્મા શૂન્ય છે,” “આત્મા સાકાર છે,” “આત્મા પ્રકાશરૂપ છે, “આત્મા સ્વતંત્ર નથી, “આત્મા કર્તા નથી,” “આત્મા કર્તા છે, ભક્તા નથી,” “આત્મા કર્તા નથી, ભક્તા છે,” આત્મા કર્તા નથી, ભક્તા નથી.” “આત્મા જડ છે, “આત્મા કૃત્રિમ છે,” એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસત્કર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. તે તે ઉપર જણાવ્યાં એકાંત–અયથાર્થ પદે જાણી આત્માને વિષે અથવા આત્માને નામે ઈશ્વરાદિ વિષે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે, એવું જે અસત્સંગ, નિજેચ્છાપણું, અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં, ત્યાં સુધી આ જીવ કલેશરહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવા ઘટતો નથી, અને તે અસત્સંગાદિટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની
For Personal & Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૪) આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે.
પૂર્વે થયા એવા જે તીર્થકરાદિ જ્ઞાની પુરુષો તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ તેને અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે, તન્મયપણે જીવસ્વરૂપને વિચારી, વસ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે, તે આત્મા અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થ કરાદિએ સર્વ પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યા છે. આત્માને એક પણ અણુના આહારપરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે સ્પષ્ટ એ અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એ જે છે. તેજોનાર એવા જે તીર્થકરાદિ જ્ઞાની પોતે પોતે જ શુદ્ધાત્મા છે, તો ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જોકે ઘટતું નથી, તથાપિ વાણધર્મ એમ કહ્યું છે. એ જે અનંતપ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ચૈતન્યઘન જીવ” તે બે પ્રકારે તીર્થકરે કહ્યો છે કે જે પુરુષથી જાણી, વિચાર, સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિષે સ્થિતિ કરે. પદાર્થ માત્ર તીર્થંકરાદિ જ્ઞાનીએ “વક્તવ્ય અને અવક્તવ્ય એવા બે વ્યવહારધર્મવાળા માન્યા છે,
For Personal & Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
( ૧૧૫) અવક્તવ્યપણે જે છે તે અહીં “અવક્તવ્ય” જ છે. વક્તવ્યપણે જે જીવ ધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવન વિશુદ્ધ પરિણામે અથવા સત્પષે કરી જણાય એવો જીવ ધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દેહાને વિષે કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફટ સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે. તથાપિ યથાવકાશ અત્ર તેનો અર્થ લખ્યો છે.
[૪૩૮ ]
મુંબઇ, ચિત્ર સુદ ૧, ૧૯૪૯ સમતા, રમતા, ઊરધતા. જ્ઞાયતા સુ ખ ભા સ; વેદકતા, ચે ત ન્ય તા, એ સબ જીવ વિલાસ.”
શ્રી તીર્થકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં છે, તેને વિષે અમારું ઉદા
For Personal & Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
( ૧૧૬ )
સીનપણુ' છે, જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્ય અમે જાણ્યા છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના ખાધે કરી રહિત એવા કહ્યો છે. અમે તે આત્મા એવ જાણ્યા છે, જોયા છે, સ્પષ્ટ અનુભવ્યા છે, પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા ‘સમતા ’ નામના લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કાઇ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણ એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવુ જે સમપણુ, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે.
પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે વૃક્ષાદિને વિષે જે કઇ રમણીયપણુ જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફુર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણુ છે લક્ષણ જેનું તે જીવ નામના પદાર્થ છે. જેના વિધમાનપણા વિના
For Personal & Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
(૧૧૭ ) આખું જગત શુન્યવત સંભવે છે, એવું રમ્યપણું જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે.
કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાઈને પિતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવાગ્યા નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તે જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવે છે. તેને પૈણુ કરીને એટલે તેના વિના કેઈ કંઈ પણ જાણવા ઈચ્છે છે તે બનવા ગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એ જે પ્રગટ “ઊર્ધ્વતા ધર્મ” તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે.
પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવન જ્ઞાયકપણું નામને ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કેઈ પણ પદાર્થને
For Personal & Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
( ૧૧૮ ) વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થકરે જીવ કહ્યો છે.
શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જેમાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થકરે જીવનું કહ્યું છે, અને વ્યવહારદષ્ટાંતે નિદ્રાથી પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વળે એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત
સ્પષ્ટ છે; તે જેનાથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી.
આ મેળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે કરું છું તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટજ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું
For Personal & Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
( ૧૧૯ )
તે જો કેાઈમાં પણ હાય તેા તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનુ લક્ષણ હાય છે તે પદાર્થ જીવ હાય છે, એ જ તીર્થં કરાદિના અનુભવ છે.
સ્પષ્ટ પ્રકાશપ, અનત અનત કેાટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યાગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઇ છે તે જીવ છે. અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીઞનું તે જીવપ્રત્યે ઉપયાગ વાળતાં પ્રગટ
દેખાય છે.
એ જે લક્ષણો કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યા જાય છે, જે જાણવાથી છત્ર જાણ્યા છે તે લક્ષણા એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે.
For Personal & Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
( ૧૨૦ ) [ ૪૯૩)
મુંબઈ, ફાગણ, ૧૯૫૦ અનન્ય શરણુના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી
નમસ્કાર. - શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુર ષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ :–
આત્મા છે.” જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમાં આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટ. પટઆદિ હવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ :– - “આત્મા નિત્ય છે.” ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવતી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સામે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ
ગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા
For Personal & Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
( ૧૨૧ )
પ્રગટ થવાયોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેને કોઈને વિષે લય પણ હેય નહીં. ત્રીજું પદ –
“આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ લેવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવાયોગ્ય, વિશેષ સંબંધસહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મને કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. શું પદ –
“આત્મા ભક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવે છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હીમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના
For Personal & Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
( ૧૧૨ )
રહેતુ નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાના આત્મ કર્તા હેાવાથી ભાક્તા છે.
પાંચમું ૫૬ :
‘ મેાક્ષપદ છે.’ જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથ ભાક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનુ તીવ્રપણું હોય પણ તેન અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કર વાથી તેનું મદપણું દેખાય છે, તે ક્ષીણ થવાયે દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બધભાવ ક્ષીણ થઇ શકવાયોગ્ય હાવાથી તેથી રહિત એવે જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેાક્ષપદ છે.
છઠ્ઠું પદ :
તે ‘મેાક્ષના ઉપાય છે. ' જો કદી કબ ધમાત્ર થયા કરે એમ જ હાય, તા તેની નિવૃત્તિ કાઈ કાળે સંભવે નહીં; પણ કબ'ધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય
For Personal & Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
( ૧૧૩ )
છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સયમાદિ મેક્ષપદના ઉપાય છે.
શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શનના મુખ્યનિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવાયાગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેના સર્વ વિભાગે વિસ્તાર થઇ તેના આત્મામાં વિવેક ચવાયેાગ્ય છે. આ છ પદ અત્યંત સ ંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદના વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વમદશાને લીધે ઉત્પન્ન થયેલા એવા જીવના અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષાએ દેશના પ્રકાશી છે. તે સ્વમદશાથી રહિત માત્ર પેાતાનુ સ્વરૂપ છે, એમ જો જીવ પિરણામ કરે, તા સહજમાત્રમાં તે જાગૃત થઇ સમ્યક્દર્શનને પ્રાસ થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઇ સ્વસ્વભાવરૂપ મેાક્ષને પામે. કેઇ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શાક, સયેાગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત
For Personal & Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૨૪ ) તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ–પ્રત્યક્ષ–અત્યંત પ્રત્યક્ષ -અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંગને વિષે તેને ઈષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાત્મ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પt સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચન આત્માને નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.
જે સત્પષોએ જન્મ, જરા, મરણને નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કહ્યો છે, તે સપુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણકણુને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ પુરુષ, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો!
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં
For Personal & Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
( ૧૨૫)
વચનને અ’ગીકાર કર્યું સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ છત્ર સંપૂર્ણ આનદને પ્રાપ્ત થઇ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમકે જેના પ્રત્યુપકાર ન થઇ શકે એવા પરમાત્મભાવ તે જાણે કઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યા, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિના કર્તા છે, માટે મારે છે, એમ કદી બેયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હા!
જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબાધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હા!
જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયેાગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધા
For Personal & Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૨૬). પણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, છછાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજમાત્રમાં જીવ પામવા યોગ્યથ, તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હે !!
[૪૧૭ ]
આશ્વિન, ૧૯૪૮ હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખને અત્યંત ક્ષય કરનારો એ વીતરાગ પુરૂષને મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરૂષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહે એટલું માગું છું તે સફળ થાઓ.
છે શાંતિ: શાંતિ: શાંતિ:
For Personal & Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
આત્મ-સિદ્ધિ.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્ય દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. ૧
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગેખ. ૨ કઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કેઈ; માને મારગ મોક્ષને, કરુણા ઉપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંહી. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ૫ વૈરાગ્યાદિ સકળ તો. એ સહ આતમજ્ઞાનઃ તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણું નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજભાન. ૭
For Personal & Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
જ્યાં જ્યાં જે જે યાગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.. સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદના લે લક્ષ. ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયાગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યાગ્ય. ૧૦ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવા લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ સદ્ગુરુના ઉપદેશવણુ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણુ ઉપકાર શે? સમજ્યું જિતસ્વરૂપ, ૧૨ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. ૧૩
અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યા. ૧૪
રાકે જીવ સ્વચ્છંદ તા, પામે અવશ્ય મેક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યુ` જિન નિર્દોષ, ૧૫
For Personal & Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૨૯) પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય ક્ય થકી, પ્રાયે બમણું થાય. ૧૬ સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સગુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ દે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ જે સદ્દગુરુ ઉપદેશથી, પાપે કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ એવો માર્ગ વિનયત, ભાગે શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગને, સમજે કંઈ સુભાગ્ય. ૨૦ અસદ્દગુરુ એ વિનયન, લાભ લહે જે કાંઈ મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ હેય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાથી જીવ તે, અવળે નિર્ધાર. ૨૨ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાથી લક્ષણે, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩
For Personal & Private Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
( ૧૩૦ )
( મતાર્થીલક્ષણ. ) બાહ્યત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મ ના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪
જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સદ્ગુરુયાગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દૈવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષના, આગ્રહ મુક્તિનિદાન. ર લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૈાકિક માન. ર અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; àાપે સદ્વ્યવહારને સાધનરહિત થાય. ર૯ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઇ; પામે તેના સગ જે, તે ખૂડે ભવ માંહિ. ૩૦ એ પણ જીવ મતાર્થમાં નિજમાનાદિ કાજ; પામે નહીં પરમાર્થને, અનુ અધિકારીમાં જ. ૩
For Personal & Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
( ૧૩૧ )
નહીં કષાય ઉપશાંતતા, નહીં આંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય. ૩૨ લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ ( આત્માર્થીલક્ષણ )
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હાય; બાકી કુળગુરુ કલ્પના, આત્મા નહીં જોય. ૩૪ પ્રત્યક્ષ સદ્ગુરૂ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે યાગ એકત્વથી, વર્ષે આજ્ઞાધાર. ૩૫ એક હાય ત્રણ કાળમાં, પરમારથના પંથ; પ્રેરે તે પરમાને, તે વ્યવહાર સમત. ૩૬ એમ વિચારી અંતરે, શેાધે સદ્ગુરૂયેાગ; કામ એક આત્માનું, બીજો નહીં મનરોગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીયા, ત્યાં આત્મા નિવાસ. ૩૮
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જોગ; મેક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ, ૩૯
For Personal & Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૩ર ) આવે જ્યાં એવી દશા, સદ્દગુબેધ સહાય તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪
જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪ ઊપજે તે સુવિચારણા, મેક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષસ્પદ આંહી. ૪૨
(ષદનામકથન.) “આત્મા છે,” “તે નિત્ય છે, “છે કર્તા નિજકર્મ',
છે ભક્તા, વળી મિક્ષ છે,” “મોક્ષ ઉપાય સુધર્મ.' ૪૩ ષટ્રસ્થાનક સંક્ષેપમાં, દર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪
| (શંકા-શિષ્ય ઉવાચ.) (આત્માના હેવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે. નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂ૫; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જવસ્વરૂપ. ૪ અથવા દેહ જ આતમા, અથવા ઈન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદી માનો, નહીં જુદું એંધાણ. ૪
For Personal & Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
( ૧૩૩) વળી જે આત્મા હોય તે, જણાય તે નહીં કેમ? જણાય જે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહીં આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮ | (સમાધાન-સદગુરુ ઉવાચ.)
(આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે.) ભાયે દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે બન્ન ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને માન. ૫૦ જે દષ્ટિ છે દષ્ટાનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈન્દ્રિના વિષયનું, પણ આત્માને ભાન પર દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિ, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણુ. પ૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય, પ્રગટરૂપ ચિંતન્યમય, એ એંધાણુ સદાય. ૫૪
For Personal & Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
( ૧૩૪ )
ઘટ, પટ આદિ જાણતું, તેથી તેને માન; જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન ? ૫૫ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થુળ દેહ મતિ અલ્પ; દેહ હાય જો આત્મા, ટે ન આમ વિકલ્પ. ૫૬ જડ ચેતનના ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ હ્રય ભાવ. ૫૭ આત્માની શ ંકા કરે, આત્મા પોતે આપ; શંકાના કરનાર તે, અચરજ એહ અમાપ. ૧૮
( શ’કા-શિષ્ય ઉવાચ. )
( આત્મા નિત્ય નથી એમ શિષ્ય કહે છે ) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનેા થાય છે, અંતર કર્યું વિચાર. ૫૯
ખીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ; દેહયાગથી ઊપજે, દેહવિયેાગે દેહવિયેાગે નાશ. ૬૦
અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧
For Personal & Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
( ૧૩૫ )
સમાધાન—સદ્ગુરુ ઉવાચ.
( આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે:- ) દેહ માત્ર સયેાગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કાના અનુભવ વશ્ય? ૬૨
જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન ૬૩ જે સયાગા દેખિએ, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહીં સયેાગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવા અનુભવ કાઇને, કયારે કદી ન થાય. ૬૫ કોઈ સયાગાથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેના કાઇમાં, તેથી નિત્ય સદાય. ૬૬ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭ આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય; ખાળાદિ વય ત્રણ્યનું, ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારા તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. ૬૯
For Personal & Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
( ૧૩૬ ) કયારે કાઇ વસ્તુને, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તા, કેમાં ભળે તપાસ ૭૦ શકા-શિષ્ય ઉવાચ.
( આત્મા કર્મના કર્તા નથી, એમ શિષ્ય કહે છે:- ) કર્તા જીવ ન કના, કર્મ જ કર્તા ક; અથવા સહજ સ્વભાવ કાં, ક જીવના ધર્મ. ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઇશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ, ૭૨ *માટે મેાક્ષ ઉપાયનેા, કાઈ ન હેતુ જણાય, કતણું કર્તાપણું, કાં નહીં, કાં નહીં જાય. ૭૩
સમાધાન—સદ્ગુરુ ઉવાચ.
( કર્મીનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે
તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે:- ) હાય ન ચેતન પ્રેરણા, કાણુ ગ્રહે તેા ક? જડસ્વભાવ નહીં પ્રેરણા, જુએ વિચારી ધ. ૭૪
જો ચેતન કરતું નથી, નથી થતાં તેા ક; તેથી સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં જીવધ. ૭૫
કેવળ હેાત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે . પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬
For Personal & Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
( ૧૩૭ ) કર્તા ઇશ્વર કાઇ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગળ્યે, ઈશ્વર દોષ પ્રભાવ. ૭૭ ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ–પ્રભાવ. ૭૮ શકા-શિષ્ય ઉવાચ.
(તે કર્મીનું ભાકતાપણું જીવને નહીં હોય ? એમ શિષ્ય કહે છે:-) જીવ કર્મ કર્તા કહેા, પણ ભેાક્તા નહીં સાય; શુ' સમજે જડ કર્યું કે, ફળ પરિણામી હાય ? ૭૯ ફળદાતા ઇશ્વર ગણ્યે, ભેાક્તાપણું સધાય; એમ કહે ઇશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ ઇશ્વર સિદ્ધ થયા વિના, જગત્ નિયમ નહીં હાય; પછી શુભાશુભ કર્મનાં, ભાગ્યસ્થાન નહીં કાય. ૮૧
સમાધાન—સદ્ગુરુ ઉવાચ.
(જીવને પાતાનાં કરેલાં કર્મનુ ભાકતાપણું છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે:- ) ભાવક નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફુરણા, ગ્રહણ કરે જડવૂપ. ૮૨ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભેાક્તાપણું જણાય. ૮૩
For Personal & Private Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
( ૧૩૮ )
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભાગથી દુર. ૮૫ તે તે ભાગ્ય વિશેષના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સક્ષેપે સાવ. ૮૬ શકા-શિષ્ય ઉવાચ.
( જીવના તે કાઁથી મેાક્ષ નથી, એમ શિષ્ય કહે છે.-) કર્તા ભેાક્તા જીવ હા, પણ તેનેા નહીં મેાક્ષ; વીત્યા કાળ અનત પણુ, વર્તમાન છે દોષ. ૮૭
શુભ કરે ફળ ભાગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મરહિત ન કર્યાંય. ૮૮
સમાધાન—સદ્ગુરુ ઉવાચ.
( તે કર્મથી જીવના મેાક્ષ થઇ શકે છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે:– )
જેમ શુભાશુભ ક પદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મેાક્ષ સુજાણુ. ૮૯
For Personal & Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧૩૮) વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ દેહાદિક સંયોગને, આત્યંતિક વિયેગ; સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ. ૯૧
શંકા-શિષ્ય ઉવાચ (મોક્ષને ઉપાય નથી, એમ શિષ્ય કહે છે:- ) હાય કદાપિ મોક્ષપદ, નહીં અવિધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨
અથવા મત દર્શન ઘણું, કહે ઉપાય અનેક; તેમાં મત સાચે , બને ન એહ વિવેક. ૯૩
કયી જાતિમાં મોક્ષ છે, ક્યા વેષમાં મોક્ષ; એને નિશ્ચય ના બને, ઘણુ ભેદ એ દોષ. ૯૪
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ; સમજું મોક્ષ ઉપાય તે, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬
For Personal & Private Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
( ૧૪૦ ) સમાધાન-સદગુરુ ઉવાચ. (મક્ષ ઉપાય છે એમ સાર સમાધાન કરે છે:-) પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ જે જે કારણ બંધનાં, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, મલપંથ ભવઅંત. ૯૯ રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ ક્ષને પંથ. ૧૦૦ આત્મા સત ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીત. ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ? ૧૦૪
For Personal & Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
(૧૪૧) છોડી મત દર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ ષપદનાં ષપ્રશ્ન તેં, પૂછયા કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિરધાર. ૧૦૬ જાતિ વેષને ભેદ નહિ, કહ્ય માર્ગ જે હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭ કષાયની ઊપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮ તે જીજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરૂધ; તે પામે સમકિતને, વર્તે અંતરશેધ. ૧૦૯
મત દર્શન આગ્રહ તજી, વર્ત સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦
વર્તે નિજસ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગપદ વાસ. ૧૧૨
For Personal & Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૪૨ ) કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય૧૪ છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ, નહીં જોક્તા તું તેહને, એજ ધર્મને મર્મ. ૧૧૫ એજ ધર્મથી મોક્ષ છે, તું છે મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ, બુદ્ધ, ચૈિતન્યધન, સ્વયંતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તે પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય; ધરી મિાનતા એમ કહી, સહજ સમાધી માંય. ૧૧૮
શિષ્યબાધબી જટામિકથન. સદ્ગના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્ય નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશીને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦
For Personal & Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૪૩) કર્તા ભોક્તા કર્મને, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય ૧૨૧
અથવા નિજપરિણામ જે, શુદ્ધચેતનારૂપ; કર્તા ભોક્તા તેહને, નિર્વિકલ્પસ્વરૂપ. ૧૨૨ મિક્ષ કહ્યો નિજસદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ અહો ! અહો ! શ્રી સદ્દગુરુ, કરણસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહે!ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ધ, આત્માથી સે હીન; તે તે પ્રભુએ આપીએ, વત્ ચરણધીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬ ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ; ૧૨૭
ઉપસંહાર દર્શન ષટે શમાય છે, આ ષ સ્થાનક માંહી; વિચારતાં વિરતારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ ,
For Personal & Private Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
( ૧૪૪ )
આત્મભાંતિ સમ રોગ નહીં, સદ્દગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધવિચાર ધ્યાન. ૧૨૯ જો ઈચ્છા પરમાર્થ તા, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઇ, છેદે નહીં આત્માર્થ. ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં ને'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેાય. ૧૩૧
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહીં, બન્ને સાથ રહેલ. ૧૩૨
ગચ્છમતની, જે કલ્પના, તે નહીં સદ્વ્યવહાર; ભાન નહીં નિજ્રરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હાય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહીં કાય. ૧૩૪
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય, ૧૩૫
ઉપાદાનનું નામ લઇ, એ જે તજે નિમિત્ત; પામે નહીં સિદ્ધત્ત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬
For Personal & Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૪૫) મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ ન મેહ, તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હેય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ સકલ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહીં સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હે વંદન અગણિત. ૧૪૨
શ્રી સદ્દગુરુચરણપણમસ્તુ. (સં. ૧૫ર ને આ વદ ૧, ગુરુવાર : નડિયાદ)
For Personal & Private Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
હાથોંધ ૧, પૃષ્ઠ ૧. પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે.
શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદામ્યવત અધ્યાસે પોતાના સ્વરૂપને લક્ષ પામતું નથી. યત્કિંચિત પર્યાયાંતરથી એ જ પ્રકારે જેન, વેદાંત, સાંખ્ય, ગાદિ કહે છે.
૧ પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી આ
જીવને તેમાંથી વ્યાવૃત્ત કર. ૨ જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિંદ્રિય વડે જે દશ્યમાન થાય છે તેનો વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી એટલું જ નહીં પણ તેના તરફ રાગાદિ ભાવા થાય તો તેથી તે જ દુ:ખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે.
For Personal & Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
(૧૪૭) ૩ જે પદાર્થો ચક્ષુરિંદ્રિયથી દશ્યમાન નથી અથવા
ચક્ષુરિંદ્રિયથી બંધ થઈ શક્તા નથી પણ ધ્રાણેદ્રિયથી જાણી શકાય છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ.
૪ તે બે ઈંદ્રિયથી નહીં પણ જેનો બોધ રસેંદ્રિયથી
થઈ શકે છે તે પદાર્થો પણ આ જીવના નથી, ઈત્યાદિ. ૫ એ ત્રણ ઇંદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન સ્પશેન્દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઈત્યાદિ. ૬ એ ચાર ઇંદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન કણે દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઈત્યાદિ. છે તે પાંચે ઈદ્રિય સહિત મનથી અથવા તે પાંચ
માંની એકાદ ઇંદ્રિય સહિત મનથી વા તે ઈંદ્રિય વિના એકલા મનથી જેને બંધ થઈ શકે એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી; પણ તેનાથી પર છે, ઈત્યાદિ.
For Personal & Private Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૪૮) ૮ તે રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ આકાશાદિ છે જે
મન વડે માન્યા જાય છે, તે પણ આત્માના નથી
પણ તેથી પર છે ઈત્યાદિ. ૯ આ જગતના પદાર્થ માટે વિચાર કરતાં તે
તમામ નહીં પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે તે પણ આ જીવના નથી; અથવા તેનાથી પર છે, ઈત્યાદિ. જેવાં કે :૧ કુટુંબ અને સગાંસંબંધી, મિત્ર, શત્રુઆદિ
મનુષ્ય વર્ગ. ર નેકર, ચાકર, ગુલામ આદિ મનુષ્ય વર્ગ. ૩ પશુ પક્ષી આદિ તિર્યચ. ૪ નારકી દેવતા આદિ. ૫ પાંચ જાતના એકેંદ્રિય. ૬ ઘર, જમીન, ક્ષેત્રાદિ, ગામગરાસાદિ, તથા
પર્વતાદ. ૭નદી, તળાવ, કૂવા, વાવ, સમુદ્રાદિ. ૮ હરેક પ્રકારનાં કારખાનાદિ.
For Personal & Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
(૧૪૯) ૧૦ હવે કુટુંબ અને સગા સિવાય સ્ત્રીપુત્રાદિ જે અતિ
નજદીકનાં અથવા જે પોતાનાથી ઉત્પન્ન થયેલાં
છે તે પણ. ૧૧ એમ બધાને બાદ કરતાં છેવટ પિતાનું શરીર
જે કહેવામાં આવે છે તેને માટે વિચાર કરવામાં આવે છે. ૧ કાયા, વચન, અને મન એ ત્રણે યોગ ને
તેની ક્રિયા. ૨ પાંચે ઈંદ્રિય વગેરે. ૩ માથાના વાળથી પગના નખ સુધીના દરેક
અવયવ, જેમકે – ૪ બધાં સ્થાનના વાળ, ચર્મ (ચામડી),
પરી, મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ, કાન, આંખ, નાક, મુખ, જિલ્લા, દાંત, ગળું, હોઠ, હડપચી, ગરદન, છાતી, વસો, પેટ, કરડ, બરડે, ગુદા, કુલા, લિંગ, સાથળ, ગોઠણુ, હાથ, બાવડા, પંચા, કોણી, ઘૂંટી, ઢાંકણી, પાની, નખ ઈત્યાદિ અનેક અવયવે યાને વિભાગે.
For Personal & Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૫૦ ) ઉપર બતાવેલાં મધ્યેનું એક પણ આ જીવનું નથી, છતાં પિતાનું માની બેઠે છે, તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્ય તાની ભૂલ છે, તે સુધારવાથી બની શકવા ગ્ય છે. તે ભૂલ શાથી થઈ છે? તે વિચારતાં, રાગ દ્વેષને અજ્ઞાનથી. ત્યારે તે રાગાદિને કાઢવા. તે શાથી નીકળે? જ્ઞાનથી. તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય?
પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા ત્રણ યોગ અને આત્મા અર્પણ કરવાથી. તે જે પ્રત્યક્ષ સગુરુની હાજરી હોય તો શું કરવું? ત્યાં તેમની આજ્ઞાનુસાર વર્તન કરવું.
પરમ કરૂણાશીલ, જેના દરેક પરમાણુમાં દયાનો ઝરો વહેતે રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થને વિચાર કરતાં છતાં અનાદિકાળથી દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી, તથાપિ કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગવેષણ કરવામાં આવે તે
For Personal & Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઇ શકે તેમ સંભવે છે, કારણ કે જેમ જેમ વિચારની શ્રેણિની દઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાત્રી થતી જાય છે.
બધા સોગા અને સબધા યથાશક્તિ વિચારતાં એમ તા પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એવા કેાઈ પદાર્થ છે.
આવા વિચાર કરવામાં એકાંતાદિ જે સાધનેા જોઇએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણિને વારંવાર કોઈ નહીં તેા કોઇ પ્રકારે વ્યાધાત થાય છે ને તેથી વિચારની શ્રેણિ ચાલુ થઇ હેાય તે ત્રુટી જાય છે. આવા ભાંગ્યા છુટયા વિચારની શ્રેણિ છતાં ક્ષયાપશમ પ્રમાણે વિચારતાં જડ પદાર્થ ( શરીરાદિ ) સિવાય તેના સબધમાં કાઇ પણ વસ્તુ છે, ચાક્કસ છે એવી ખાત્રી થાય છે. આવરણનુ જોર અથવા તેા અનાદિકાળના દેહાત્મબુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે, ને ભુલવાળા રસ્તા ઉપર દારવાઈ જવાય છે.
For Personal & Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
ક્ષમાપના.
હે ભગવાન્ ! હું બહુ ભૂલી ગયા, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વના મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં આળખ્યાં નહીં.
હે ભગવાન! હું ભૂલ્યા, આથડયા,રઝળ્યા અને અનત સંસારની વિટમ્બનામાં પડયા છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારે મેાક્ષ નથી. હું નિર ંતર પ્રપંચમાં પડયો છું ! અજ્ઞાનથી અંધ થયા છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મુદ્ર છું, હું નિરાશ્રિત છુ, અનાથ છું. નિરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણુ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ
For Personal & Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
(૧૫૩) પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોને હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તવના ચમત્કારો મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપથી ક્ષમા ઈચ્છું છું. ૩૪ શાંતિ: શાંતિ: શાંતિ:
For Personal & Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
અહે સત્પષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુષુપ્ત ચેતનાને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત; –છેલે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તા! શાંતિ: શાંતિ: શાંતિ:
For Personal & Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર દર્શિત
કલ્યાણનો માર્ગ.
For Personal & Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
[ ૭૫૪ ]
સંવત ૧૯૫૩ કલ્યાણને માર્ગ” બેધવાની શ્રીમન્ની ભાવના.
હે જ્ઞાતપુત્ર ભગવાન ! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુણી મનુષ્યોને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય? થવામાં આવાં વિઘ્ન ઉત્પન્ન થયાં; તારાં બોધેલાં શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગાં ખંડયાં. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદષ્ટિએ લાખેગમે લોકે વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરૂષ થયા તેના વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત દઈ કૂટી તારું શાસન નિંદાવ્યું.
શાસનદેવિ ! એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણને માર્ગ હું બીજાને બેધી શકું, દર્શાવી શકે ખરા પુરુષે દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથપ્રવચનના બે ભણી વાળી આ આત્મવિરાધક પથથી પાછા ખેંચવામાં સહાયતા આપ!! તારો ધર્મ છે કે સમાધિ અને બેધિમાં સહાયતા આપવી.
[ અંગત. ]
For Personal & Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવિક બે બેલ. સપુરૂષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ?' આ વાક્ય શ્રીમદે એક પત્રની શરૂઆતમાં મૂકયું છે. શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતના અભ્યાસીઓ તેમને એકેક પત્ર જેમ જેમ વધુ ને વધુ વાંચવાનું કરે છે તેમ તેમ તેમાં રહેલા ગંભીર આશય અપૂર્વ રીતે ક્ષયોપશમાનસાર તેમને સમજાય છે, અને એ જ ઉપરના વાક્યની ગંભીરતાની પ્રતીતિ કરાવે છે.
શ્રીમદ ભગવાન મહાવીરને મોક્ષમાર્ગ પ્રચલિત રૂઢિ કરતાં જુદા જ સ્વરૂપમાં જનસમુદાયપાસે મૂકે. છે. જે તેમના વચનામૃતના અભ્યાસથી જણાશે.
“શ્રીમદ્ રાજચંદ્ર” માંથી માર્ગદર્શક વચનામૃત સંગ્રહિત કરી આપીએ છીએ.
ગમે તે વાંચકને વાંચવાનું વિચારવાનું અને માર્ગ તરફ વલણ કરવાનું સહેજે લક્ષ થાય એવું આમાંથી મળી રહેશે.
ઈચ્છું છું કે સત્યના જિજ્ઞાસુઓ આ પુસ્તકને આત્માર્થે લાભ લેશે. સં. ૧૯૯૭
હેમચંદ કરશી મહેતા.
For Personal & Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
શ્રીમ કે પરિચય. મારી ઉપર ત્રણ પુરુષોએ ઉંડી છાપ પાડી છે. ટોલ્સ્ટોય, રસ્કિન અને રાયચંદભાઈ ટોલ્સ્ટોયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના છેડા પત્ર વ્યવહારથી, રસ્કિનની તેના એક જ પુસ્તક “અત્યુધિસ લાસ્ટ થી,–જેનું ગુજરાતી નામ ‘સર્વોદય’ મેં રાખ્યું છે અને રાયચંદભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી. હિંદુ ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા.
આપણે સંસારી જીવ છીએ ત્યારે શ્રીમદ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ્ વાયુવેગે મેક્ષ તરફ ધસી રહ્યા હતા.
શ્રીમદ્ભાં લખાણ અધિકારીને સારું છે. બધા વાંચનાર તેમાં રસ નહીં લઈ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણું મળશે; પણ શ્રદ્ધાવાન તે તેમાંથી રસ જ લૂંટશે.
For Personal & Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૫૯) તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહીં. ચહેરો હસમુખ ને પ્રફુલ્લિત હતો. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પિતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગોતવો પડયો છે એમ મને યાદ નથી, કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહીં લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે. આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકત. વિતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી.
તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારૂ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું.
For Personal & Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
(૧૬૦) તેમનાં લખાણમાં સત નીતરી રહ્યું છે એ મને હમેશાં ભાસ આવ્યો છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારું એક અક્ષર પણ લખ્યો નથી. લખનારને હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મકલેશ ટાળવે છે, જે પિતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદ્દનાં લખાણોમાંથી બહુ મળી રહેશે એ મને વિશ્વાસ છે. પછી ભલે તે હિંદુ છે કે અન્યધમી.
રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહતો. વેદાંત પ્રત્યે પક્ષપાત પણ હતો. વેદાંતીને તે કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ચર્ચા કરતાં મને કઈ દિવસે તેમણે એવું તે કહ્યું જ નહીં કે મારે મોક્ષ મેળવવા સારૂં અમુક ધર્મને અવલંબેવો જોઈએ.
ઘર્મના ઝગડાથી તેમને હમેશાં કંટાળો આવતે, તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મોની ખૂબીઓ પૂરી જોઈ જતા ને તે તે ધર્મીની પાસે મૂકતા. દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી.
– મહાત્મા ગાંધીજી (“શ્રીમદ્ રાજચંદ્ર”ની પ્રસ્તાવનામાંથી)
For Personal & Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
કલ્યાણનો માર્ગ
૧ [વર્ષ ૩૦ મું]
[ ૭પ૭ ]
નમઃ સિદ્ધભ્યઃ
મેક્ષસિદ્ધાંત. અનંત અવ્યાબાધ સુખમય પરમપદ તેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વ નિરૂપણ કરેલો “મોક્ષસિદ્ધાંત” તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને
કહુ છું.
દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગના મહાનિધિ એવા વીતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું.
કર્મરૂપ વૈરીને પરાજય કર્યો છે એવા અહંત ભગવાન; શુદ્ધ ચિતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન છે એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને . ૧૧
For Personal & Private Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) વીર્ય એવા મેક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય ને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન; મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું.
શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પર્યત વર્તમાન ભરતક્ષેત્રના ચોવીસ તીર્થકરોના પરમ ઉપકારને વારંવાર સંભારું છું.
શ્રીમાન વર્ધમાનજિન વર્તમાનકાળના ચરમ તીર્થકર દેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરુષે વારે વાર આશ્ચર્યમય દેખે છે.
કાળના દોષથી અપાર શ્રુતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયે અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે.
ઘણાં સ્થળે વિસર્જન થવાથી, ઘણાં સ્થળોમાં
For Personal & Private Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૬૩) સ્થળ નિરૂપણ રહ્યું હોવાથી નિગ્રંથભગવાનના તે મૃતને પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યને આ ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી.
ઘણું મતમતાંતરાદિ ઉત્પન્ન થવાને હેતુ પણ એ જ છે, અને તેથી જનિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ
શ્રુત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણું છતાં, સમાધાનનાં કેટલાંક સાધને પરોક્ષ છતાં, મહાત્માપુરુષોનું કવચિતત્વ છતાં, હે આર્યજન! સમ્યકદર્શન, શ્રુતનું રહસ્ય એ પરમપદને પંથ, આત્માનુભવના હેતુ, સખ્યારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હર્ષનું કારણ છે.
વર્તમાનકાળનું નામ દુષમકાળ છે. તેથી દુઃખે કરીને,–ઘણા અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હોવાથી, –મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે; પણ વર્તમાનમાં મેક્ષમાર્ગને વિવેદ છે, એમ ચિંતવવું જોઈતું નથી.
પંચમકાળમાં થયેલા મહર્ષિઓએ પણ એમજ કહ્યું છે. તે પ્રમાણે પણ અત્રે કહું છું..
For Personal & Private Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૬૪) [ ૮૦ ]
વર્ષ રર ] - નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરકતબુદ્ધિના અંકુરો જેને ફૂટયા છે; કલેશનાં કારણ જેણે નિર્મળ કર્યા છે; અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંતદૃષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો.
આપણે તેવા થવાને પ્રયત્ન કરવો જોઈએ.
[ ૮૧]
૩ [વર્ષ રર મું] અહોહો! કર્મની કેવી વિચિત્ર બંધસ્થિતિ છે? જેને સ્વપ્ન પણ ઈચ્છતો નથી, જે માટે પરમ શેક થાય છે; એ જ અગાંભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે.
તે જિન–વદ્ધમાનાદિસપુરુષો કેવા મહાન મનેજયી હતા ! તેને મન રહેવું–અમન રહેવું બન્ને સુલભહતું; તેને સર્વ અનુકૂળ–પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ-હાનિ સરખી હતી; તેને ક્રમ માત્ર આત્મસમતાર્યો હતો. કેવું આશ્ચર્યકારક કે, એક કલ્પનાને જય એક કલ્પ થવો દુર્લભ, તેવી તેમણે
For Personal & Private Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
( ૧૬૫ )
અનત કલ્પનાએ કલ્પના અનતમાં ભાગે શમાવી
દીધી !
[ પર ]
[ વર્ષે ૨૨ મુ* ]
નિર્ગ થ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યુન જ છે. આત્મા અનતકાળ રખડયા, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રોમમાં કિચિત પણ અજ્ઞાન, મોહ, કે અસમાધિ રહી નથી તે સત્પુરુષનાં વચન અને ખાધ માટે કઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુન: પુન: પ્રસક્ત થવું એ પણ આપણુ સર્વોત્તમ શ્રેય છે.
શી એની શૈલી ! જયાં આત્માને વિકારમય થવાના અનતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજજવળ શુકલ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્ર થતાં પવિત્ર વચનેાની મને–તમને ત્રિકાળ શ્રદ્ધા રહેા !
એજ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના!
For Personal & Private Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
(૧૬૬ ) [૪૦].
વિર્ષ ૨૧ મું) ( વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તાવ, પામવાનું ઉત્તમ પાત્ર છે.
અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણું તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મ મુક્ત થવાને જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાની પુરુષાથમાં યોજાય છે.
જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છેદ વર્તનાથી મુક્ત થયા નથી, પણ આત પુરુષે બધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે.
અનાદિકાળને મહાશત્રુરૂપ રાગદ્વેષ અને મહિના બંધનમાં તે પિતાસંબંધી વિચાર કરી શકી નથી. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે.
એમ જે સુલભધિપણની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે, જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાનદશાએ વિચરે છે
For Personal & Private Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
(૧૬૭) તેમણે ઉપદેશેલા માર્ગમાં નિ:સંદેહપણે શ્રદ્ધાશીલ
થાય....
જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધે.
[ ૮૭ ]
[ વર્ષ ર૩ મું 1 | સર્વ સતપુરુષે માત્ર એક જ વાટેથી કર્યો છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિ પર્વત સતક્રિયા કે રાગદ્વેષ અને મેહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે....
ક્ષણભંગુર દુનિયામાં પુરુષને સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. "[ ૧૩૫ ]
૭ [વર્ષ ૨૩ મું ] “સાપ સંગતિ,
भवति भवार्णवतरणे नौका." ક્ષણવારનો પણ પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે..
For Personal & Private Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
[૫૪]
વર્ષ રર મું]
નિગ્રંથ મહાત્માઓને નમસ્કાર
મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મેક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સપુષે એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળ પામશે નહીં.
શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશ એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશ ગ્રહણ થાય તો સે નિષ્ફળ છે.
For Personal & Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
( ૧૬૯ )
શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રીકૃષ્ણ તરશે. જેવાટેથી શ્રીકૃષ્ણ તરશે તે વાટેથી શ્રીમહાવીર તર્યો છે. એ વટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે યાગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીદ્રિય સુખના અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભિવત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતાં અટકયા છે, તથા અટકશે અને અટકયા હતા.
કાઈ પણ ધર્મ સબંધી મતભેદ રાખવેા છેાડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક્ષેાગે જે માર્ગ સાધન કરવાના છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદાભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે ખાધ દેનારાને, મેક્ષને માટે જેટલા ભવના વિલંબ હશે, તેટલા સમયના (ગાણુતાએ ) સ ંશોધકને તે માર્ગના દ્વાર પર આવી પહેાંચેલાને વિલંબ નહીં હશે.
વિશેષ શુ કહેવું ? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વપ્રાપ્ય પુરુષ–નિગ્રંથ આત્મા–જયારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે–ઉદય આપશે–ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે.
For Personal & Private Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૦) મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળે, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્ચત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.
કોઇપણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયે હોય તે તે ક્ષમ થાઓ.
[૬૮]
૯ [ વર્ષ રર મું] ... સર્વ દર્શન પરિણામિકભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિ:સંશય છે, પણ યથાર્થદષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સમ્મત થવાં જોઈએ....
[ ૭૬ ]
૧૦ [વર્ષ રર મું] બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્તે જા. પછી જે મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.
સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી,
For Personal & Private Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે. બાકી તે કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકે થનાર નથી; આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણુ.
એક પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર વે અવશ્ય ક્ષે જઈશ.
[૫૫]
૧૧ [ વર્ષ ૨૨ મું] નિરાગી મહાત્માઓને નમસ્કાર.
કર્મ એ જડ વરતુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે, કે પિતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે!
For Personal & Private Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૭૨ ) ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષો તે કર્મસંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વ સંયોગે સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભેગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્થ શ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તન માન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે.
કઈ પણ આત્મા ઉદયી કમને ભેગવતાં સમત્વશ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે, તે ખચીત ચેતનશુદ્ધિ પામશે.
આત્મા વિનયી થઈ, સરળ અને લધુત્વભાવ પામી સદેવ સત્પષના ચરણકમળ પ્રતિ રહ્યો, તે જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય.
અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સદ્દગુરૂત્વ, સત્સંગ અને સત્યથા એ રહ્યાં છે.) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે, કે
For Personal & Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
( ૧૯૩ )
મેાક્ષ હથેળીમાં છે, ઇષત્પાારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વશાસ્ત્ર પણ સંમત છે, ( મનન કરશે।. ) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.
[ ૪૭ ]
૧૨
[ વર્ષે ૨૨ મું ]
અનંતાનુબંધી ક્રોધ, અનતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લાભ એ ચાર તથા મિથ્યાત્વમાહિની, મિશ્રમાહિની, સમ્યક્ત્વમેહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયાપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક્ દૃષ્ટિ થવુ` સંભવતુ` નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વના ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવા સુલભ છે. તત્ત્વજ્ઞાનીએએ એ જ ગ્રંથિને ભેદવાને ફરી ફરીને મેાધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી ષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિ:સદેહ છે....
સદ્ગુરૂના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા
For Personal & Private Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૯૪) વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરે એ જ કૃતકૃત્યતા છે....
ધર્મ' એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્યસંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર્સંશોધનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતર્લંશોધન કોઈક મહાભાગ્યા સદ્ગુરુ અનુગ્રહે પામે છે....
એક ભવનાથડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવા પ્રયત્ન સત્યુ કરે છે....
સ્વાતષદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તે પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જેવાં જોઈએ.
સપુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
[ ૮૮ )
૧૩ [ વર્ષ ર૧ મું ] | ""આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસારપ્રવૃત્તિથી થાય તેનું નામ
For Personal & Private Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
(૧૭) વ્યવહારશુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે; વ્યવહારશુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિશંક છે. ૧ જેને ધર્મ સંબંધી કંઈ પણ બંધ થયા છે, અને રળવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઈએ. ૨. જેને ધર્મ સંબંધી બોધ થયો છે, છતાં સ્થિતિનું દુ:ખ હોય તો બનતી ઉપાધી કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ.”
૩. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝાવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પિતાને પૂછવું. જે ઉત્તરમાં પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવત હોય, કિવા પરિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તે મનને સંતોષી લેવું; તેમ છતાં ન વળી શકે તેમ હોય તે અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ.
* (સર્વસંગપરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમથી સંબંધ નથી.)
For Personal & Private Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
( ૧૭૬ ) ૪. પરિણામે આર્તધ્યાન ધ્યાવાની જરૂર પડે, તેમ કરીને બેસવાથી રળવું સારું છે.
૫. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હેતું નથી તેથી કાયાને કે વચનને ન હોય, અનાચારથી મન સુખી થતું નથી, આ સ્વત: અનુભવ થાય તેવું કહેવું છે....
[ ૮૪]
૧૪ [ વર્ષ ર૩ મું] ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે :
૧. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુ:ખી? એ સંભારી લે.
૨. દુઃખ લાગશે જ, અને દુ:ખનાં કારણે પણ તને દષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તે મારા , કઈ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાત્યંતરરહિત થવું.
૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું.
For Personal & Private Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૭૭) ૪. તે સાધન માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિર્ચ થ સદ્ગના ચરણમાં જઈને પડવું યોગ્ય છે.
૫. જેવા ભાવથી ચડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તો અત્યાગી, દેશત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. .
૬. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણુ. જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવું.
૭. તે આયુષ્યને માનસિક આત્મોપગ તો, નિર્વેદમાં રાખ.
૮. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તો, નીચેની વાત પુનઃ પુન: લક્ષમાં રાખ.
૧ જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. * ૨ સંસારને બંધન માનવું
૩ પુર્વકર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા
For Personal & Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
(૧૮) જો તેમ છતાં પૂર્વક નડે તે શોક કરવો નહીં.
૪. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે.
૫ ન ચાલે તે પ્રતિશ્રોતી થા. ૬ જેમાંથી જેટલું થાય તેટલું કર. ૭ પરિણામિક વિચારવાળો થા. ૮ અનુત્તરવાસી થઈને વર્ત. ૯ છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એજ ભલામણ અને એજ ધર્મ
[ ૫૮ ]
૧૫ [ વર્ષ ૨૨ મું ! ...આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશે, કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તે સપુરુષના અંતરાત્મામાં રહ્યો છે....
[ ૧૦૩ ]
૧૬ [ વર્ષ ૨૩ મું] કુટુંબરૂપી કાજળની કેટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણ કરશો તે પણ
For Personal & Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૭૯) એકાંતથી જેટલો સંસારક્ષય થવાને છે, તેનો સામે હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાને નથી કષાયનું તે નિમિત્ત છે; મેહને રહેવાને અનાદિકાળને પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પપરિચયી થવું, અલ્પઆવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે.
[૮૫]
૧૭ [ વર્ષ ર૩ મું ] ...સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાને થોડે જ અવસર સંભવે છે...
[ ૭૩ ]
૧૮ [ વર્ષ ર૦ મું ] ... સર્વ શાસ્ત્રના બેધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યેગનું અને ભક્તિનું પ્રજનસ્વસ્વરૂપપ્રાપ્તિને અર્થે છે અને એ સમ્યકણિઓ આત્મગત થાય, તે તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા
For Personal & Private Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
( ૧૮૦ )
–યોગભૂમિકામાં વાસ–સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સસંગપરિત્યાગમાં નિયમા વાસિત છે. દેશ ( ભાગ ) સંગપરિત્યાગમાં ભજના સંભવે છે. જયાં સુધી ગૃહવાસ પૂર્વકના બળથી ભોગવવા રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત–ઉદાસીન ભાવે સેવવાં યેાગ્ય છે. બાહ્યભાવે ગૃહસ્થત્રેણિ છતાં અંતરંગ નિગૢ થત્રણિ જોઈએ, અને જયાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે....
[ ૧૫૭/૨ ]
૧૯
[ વર્ષ ૨૩ સુ ]
આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઇ; માનેા કે ૪૬ વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશુ એટલું આયુષ્ય હશે. પણ તેમાં શિથિલદશા સિવાય બીજુ કઇ જોઇ શકીશું નહીં. હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જે માહનીયબળવત્તરતા ન ઘટી તે સુખથી નિદ્રા આવશે નહીં, નિરોગી રહેવાશે નહીં, માઠા સકલ્પ–વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આથડવુ પડશે, અને તે પણ રિદ્ધિ હશે તા થશે, નહીં તે પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. તે ઇચ્છા પ્રમાણે
For Personal & Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
( ૧૮૧). મળી ન મળી તે એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. તેની જ ચિંતામાં, તેના જ વિકલ્પમાં અને તે મેળવીને સુખ જોગવીશું એ જ સંકલ્પમાં, માત્ર દુ:ખ સિવાય બીજું કંઈ દેખી શકીશું નહીં. એ વયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા તે એકદમ આંખ તીરછી થઈ જશે. ન ફાવ્યા તે લોકનો ભેદ અને પિતાને નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળ, રોગના ભયવાળો, આજીવિકાના ભયવાળે, યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, અપયશ હશે તે તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો, દેણું હશે તે તેની હાયના ભયવાળો, સ્ત્રી હશે તે તેની
ના ભયવાળે, નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળ, પુત્રપુત્રાદિક હશે તો તેની કડાકૂટના ભથવાળ, નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલવાળો, ઓછી રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલવાળો, વધારે હશે તે તેને બાથ ભરવાના ખ્યાલનો, એમ જ પ્રત્યેક સાધને માટે અનુભવ થશે. ક્રમે કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે, સુખને સમય હવે ક કહે ? બાલાવસ્થા? યુવાવસ્થા? જરાવસ્થા? નિરોગાવસ્થા?
For Personal & Private Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
( ૧૮૨ ) રોગાવસ્થા? ધનાવસ્થા ? નિર્ધનાવસ્થા? ગૃહસ્થાવસ્થા ? અગૃહસ્થાવસ્થા ?
એ સર્વ પ્રકારની ખાદ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયા તે જ આપણને બીજી દૃષ્ટિ કરાવી, સર્વ કાળને માટે સુખી કરે છે. એટલે કહ્યું શું ? તેા કે વધારે જિવાયું તેા પણ સુખી, આછુ જિવાયું તેા પણ સુખી, પાછળ જન્મવુ હોય તા પણ સુખી, ન જન્મવુ હાય તેા પણ સુખી.
[ ૧૭ ]
२०
કગતિ વિચિત્ર છે. નિરંતર કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશેા.
[ ૬૨ ]
૧
[ વર્ષે ૨૨ મું] મૈત્રી. પ્રમાદ,
[ વર્ષ રર મુ]
સત્પુરૂષોને નમસ્કાર.
પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયેાપાસના વિના પ્રાપ્ત કરી શકતા નથી, એ નિય ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે......
For Personal & Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
( ૧૮૩ )
...આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણવા એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યુ કહેવાતું નથી, લખ્યું લખાતુ નથી અને મને વિચાર્યું વિચારાતું નથી.
આ કાળમાં શુકલધ્યાનની મુખ્યતાના અનુભવ ભારતમાં અસંભિવત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાના રસ કેટલાક પુરુષા પ્રાપ્ત કરી શકે છે; પણ મેાક્ષના માર્ગની અનુકૂળતા ધારી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે.
આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષાને સ્વભાવે, કેટલાકને સદ્ગુરૂરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગઆદિ લઈ અનેક સાધનાથી થઈ શકે છે; પણ તેવા પુરુષા—નિગ્રંથમતના લાખામાં પણ કાઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક ખાદ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યત્કૃષ્ટ અને બીજાનું ગાણાકૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય.
•
For Personal & Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
( ૧૮૪ )
ચેાથે ગુણસ્થાનકે આવેલા પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય; ત્યાં ધર્મ ધ્યાનની ગાણુતા છે. પાંચમે મધ્યમ ગાણતા છે. છઠ્ઠું મુખ્યતા પણ મધ્યમ છે, સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તા આવી શકીએ; આ સિવાય ભાવની અપેક્ષા તેા આર જ છે!
એ ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૃષિત થવુ સભવે છે :
૧ મૈત્રી–સર્વ જગતના જીવ ભણી નિવ્રબુદ્ધિ,
૨ પ્રમાદ–અંશમાત્ર પણ કાઇના ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લુસવાં.
થવુ.
૩ કરુણા—જગતજીવનાં દુ:ખ દેખીને અનુક’પિત
૪ માધ્યસ્થ કે ઉપેક્ષા—શુદ્ધ સમદ્રષ્ટિના ખળવીય ને યાગ્ય થવુ
ચાર તેના આલંબન છે. ચાર તેની રુચિ છે. ચાર તેના પાયા છે. એમ અનેક ભેદે વહેંચાયલુ ધર્મ ધ્યાન છે.
For Personal & Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
(૧૮૫) જે પવન (શ્વાસ) ને જય કરે છે, તે મનને જય કરે છે. જે મનને જ કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચયઅર્થની અપૂર્વજના સપુરુષના અંતરમાં રહી છે.
શ્વાસનો જય કરતાં છતાં સત્પષની આજ્ઞાથી પરાભુખતા છે, તે તે છે સજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસને જય ત્યાં છે કે જ્યાં વાસનાને જ્ય છે. તેના બે સાધન છે; સદ્દગુરુ અને સત્સંગ. તેની બે શ્રેણિ છે; પર્ય પાસના અને પાત્રતા. તેની બે વર્ષમાનતા છે; પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. સઘળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે...
[ ૫૦ ]
૨૨ [વર્ષ ૨ મું ] સત્પુરૂષોને નમસ્કાર. ...બનતી પ્રભુભક્તિ, સત્સંગ, સત્ય વ્યવહારની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થ પ્રાપ્ત કરતા રહે. પ્રયત્ન જેમ આત્મા ઊર્ધ્વગતિને પરિણામી થાય તેમ કરો.
For Personal & Private Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૮૬) સમય સમય જીવનની ક્ષણિક વ્યતીતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામહનીયનું બળ
[ ૪૯૬ ]
વર્ષ ૨૭ મું ) જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે
દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂક્તાં પ્રાણ જાય એવી દશા આવે ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહામ્ય અને રહસ્ય સમજાય છે; અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. - દેશ, કાળ, સંગ આદિને વિપરીત ગ ઘણું કરીને તમને વર્તે છે. માટે વારંવાર, પળે પળે તથા કાર્યું કાર્યો સાવચેતીથી નીતિ આદિ ધર્મોમાં વર્તવું ઘટે છે. તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે
For Personal & Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૮૭). છે અને પ્રત્યક્ષ સત્પષને નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે, જે જીવ સત્પરુષને નિશ્ચય થયો છે એમ માને છે, તેને વિષે ઉપર કહી તે નીતિનું જે બળવાનપણુ ન હોય અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે, તે એ નિશ્ચય માત્ર સપુરુષને વંચવા બરોબર છે. જોકે પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે, તેને છેતરાવાપણું કંઈ છે નહીં, પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધયોગ્ય થાય છે. આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુઓએ લક્ષ કર્તવ્ય છે. કઠણ વાત છે માટે ન બને, એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે.
[ ૮૭ ]
ર૮
[વર્ષ ૩ર મું]
ગૃહવાસને જેને ઉદય વર્તે છે, તે જે કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તે તેના મૂળ હેતુભૂત એવા અમુક સદ્વર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર
For Personal & Private Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
તે પહેલા નિયમ સાધ્ય કરવા ઘટે છે. એક નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણા પ્રાપ્ત કરવાના અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર બે ધ્યાન આપવામાં આવે, અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તેા કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યેાગ્ય થાય છે, અથવા જ્ઞાનીના માર્ગ આત્મપરિણામી થાય છે, જે પર ધ્યાન આપવું યોગ્ય છે.
[ ૮૬૯ ]
૧૫
[ વર્ષ ૩૨ મું ]
આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી વિચારવાન પુરુષા અપ્રમત્તપણે તેની ઉપાસના કરે
છે....
[ ૪૪૩ ]
૨૬
[ વર્ષ ૨૬ મુ]
સંસારસંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થય એવા કેાઈ પુરુષ હાય, તેા તે તીર્થ કર જેવા જાણીએ છીએ; પણ પ્રાયે એવી સુલભ પ્રાપ્તિના ોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવા વૈરાગ્ય
For Personal & Private Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
(૧૮૯) થતું નથી, અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી, એમ જાણી, જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે, તે ઉપકારકારકજાણી સુખે રહેવાયોગ્ય છે.
[ ૪૪૪ ]
૨૭ [ વર્ષ ૨૬ મું ? સંસારીપણે વસતાં કઈ સ્થિતિએ વતી એ તે સારું, એમ કદાપિ ભાસે, તો પણ તે વર્તવાનું પ્રારધ્વાધીન છે. કોઈ પ્રકારનું કંઈ રાગ, દ્વેષકે અજ્ઞાનનાં કારણથી જે ન થતું હોય, તેનું કારણ ઉદય જણાય
છે ...
[ ૪૪૭ ] ૨૮ [ વર્ષ ૨૬ મું]
જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. - ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે; અને તેના ઉપાયને કંઈ વિચાર સૂઝે તે ક્ય રહેવું એટલો માત્ર આપણા ઉપાય છે.
સંસારના પ્રસંગમાં કવચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, ત્યાં સુધી તે સંસા
For Personal & Private Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
( ૧૯૦ )
રનુ સ્વરૂપ વિચારી ત્યાગદ્વેગ છે, એવું પ્રાયે હૃદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જયારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગાની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતેા થઇ પછી વૈરાગ્ય આવે છે; પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગે સુખદાયક માનવા ઘટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે.
અમુક વખત સુધી અનુકૂળપ્રસંગી સંસારમાં કદાપિ સત્સંગના બેગ થયા હોય તેાપણુ આ કાળમાં તે વડે વૈરાગ્યનુ યથાસ્થિત વેદન થવું દુર્લભ છે; પણ ત્યાર પછી પ્રતિકૂળ પ્રતિકૂળ કાઈ કાઇ પ્રસ’ગ બન્યા કર્યા હોય તેા તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે; એવું જાણી જે કઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણરૂપે માની સમાધિ રાખી ઉર્જાગર રહેવુ. કલ્પિત ભાવમાં કોઇ રીતે ભૂલ્યા જેવું નથી.
For Personal & Private Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
[ ૪૭૩ ]
જ
[ વર્ષ ૨૬ મું ]
S«
"મુઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઈ વેપારાદિના એક પછી એક વિચાર કર્યા કરે છે, અને મુઝવણ ટાળવાની ઉતાવળમાં ગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે, પણ વાત યોગ્ય તો એમ છે કે તેવા પ્રસંગમાં કંઈ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મિન જેવો, નિર્વિકલ્પ જેવો કરી નાખ.
મુંઝવણ બહુ લાંબા કાળની સ્થિતિની સમજી બેસવા યોગ્ય નથી; અને ધીરજ વગર જે વેદવામાં આવે છે, તે તે અલ્પકાળની હોય તે કઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે. માટે હાલ તે જેમ બને તેમ “ઈશ્વરેચ્છા” અને “યથાયોગ્ય સમજીમનપણું ભજવું યોગ્ય છે. મનપણાનો અર્થ એમ કરવો કે અંતરને વિષે વિક૯૫, ઉતાપ અમુક અમુક વેપાર કરવા વિષેના કર્યા ન કરવા..
For Personal & Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) [૪૯૦ ]
૩૦ [વર્ષ ૨૭મું ) ઉપાધિ મટાડવાના બે પ્રકારથી પુરુષાર્થ થઈ શકે, એક તો કોઈ પણ વ્યાપારાદિ કાર્યથી; બીજો પ્રકાર વિદ્યા, મંત્રાદિ સાધનથી. જોકે એ બન્નેમાં અંતરાયત્રુટવાને સંભવપ્રથમ જીવને હોવો જોઈએ.
જેટલી આકુળતા છે તેટલો માર્ગને વિરોધ છે, એમ જ્ઞાની પુરુષે કહી ગયા છે....
[ ૩૯ર ]
૩ [ વષ રપ મું ) જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતેષમાં રહેવું એવો હે રામ! પુરુષોને કહેલો સનાતન ધર્મ છે, એમ વસિષ્ઠ કહેતા હતા.
[ ૪૭૬ ]
[વર્ષ ર૬ મું] જે ઇશ્વરેચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છેઅને તેથી જ પિતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ-વિકલ્પ કરવા નહીં.
For Personal & Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
(૧૭) [ ૬૦૯ ]
૩૩ [ વર્ષ ૨૮ મું ] ૧. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ “મેક્ષ' કહે છે.
૨. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.
૩. સંગના ગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.
૪. એ જ માટે સર્વ તીર્થકરાદિ જ્ઞાનીઓએ અસંગાપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે.
૫. સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થેજ તે સર્વ વચને કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચાદ રાજલોકની અને મેમેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્યતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.
૧૩
For Personal & Private Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
( ૧૯૪ )
૬. સર્વ ભાવથી અસ’ગપણુ થવુ તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવુ અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેના આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વપભૂત એવું અસગપણું જીવને ઉત્પન્ન થાય છે.
૭. તે સત્સ ંગ પણ જીવને ધણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયા નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને આળખી, આ જીવે તેને પરમહિતકારી જાણ્યા નથી; પરમસ્નેહે ઉપાસ્યા નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવાયાગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યા છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું.
૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગણ જાણી, નિર્વાણના મુખ્ય હેતુ એવા સત્સંગ જ સર્વાંપણપણે ઉપાસવા યાગ્ય છે; કે જેથી સ સાધન
For Personal & Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
( ૧૯૫) સુલભ થાય છે, એ અમારો આત્મસાક્ષાત્કાર છે.
૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જે આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તે અવય આ જીવને જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોને ત્યાગ ન કર્યો!
૧૦. મિથ્યાગ્રહ. સ્વચ્છેદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. એ એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તે અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.
૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કેઈ મહત્ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સંપુરૂષ છે એ સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકેચવી; પિતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જેવા, જોઈને તે
For Personal & Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
( ૧૯૬ )
પરિક્ષીણુ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાના યોગ થતા હોય તેા તે સ્વીકારવા, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવા યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મદ રહે છે, અને સત્સ’ગ ફળવાન થતા નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગેાપવવુ ઘટે નહીં.
૧૨ સત્સંગનું એટલે સત્પુરૂષનું આળખાણ થયે પણ તે યાગ નિરંતર રહેતા ન હેાય તેા સત્સંગથી પ્રાપ્ત થયા છે એવા જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરૂષ તુલ્ય જાણી વિચારવેા તથા આરાધવા કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
૧૩. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવેા નિશ્ચય રાખવેા, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણુરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યાગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તા થવા દેતાં, પણ છેવટે તે ત્રિયાગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સ કાચતાં સંકેાચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્ત્તવ્ય છે. તે ઉપાય મિથ્યા
For Personal & Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
( ૧૯૭ )
ગ્રહના ત્યાગ, સ્વચ્છ દપણાના ત્યાગ, પ્રમાદ અને ઇંદ્રિયવિષયને ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવાં અને સત્યગના પરોક્ષપણામાં તે અવશ્ય અવશ્ય આરાધન કર્યાં જ કરવાં; કેમકે સત્સંગ પ્રસંગમાં તે જીવનું કંઇક ન્યૂનપણું હોય તેા તે નિવારણ થવાનુ` સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તા એક પેાતાનુ આત્મબળ જ સાધન છે, જે તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા ખાધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તેા કાઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં.
સંક્ષેપમાં લખાયલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાકયો મુમુક્ષુજીવે પોતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવાયેાગ્ય છે; જે પેાતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે.
[ ૪૭ ]
૩૪
[ વર્ષ ૨૮ સુ' ]
અગમ અગેાચર નિર્વાણમાગ છે, એમાં સંશય નથી. પાતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના,
For Personal & Private Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
( ૧૯૮ )
તે માર્ગ શોધવો અશકય છે; એમ વારવાર દેખાય છે, એટલુ જ નહીં, પણ શ્રી સદ્ગુરૂચરણના આશ્રયે કરી બાધબીજની પ્રાપ્તિ થઈ હાય એવા પુરૂષને પણ સદ્ગુરૂના સમાગમનું આરાધન નિત્ય કવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ મેધ સ્થિર રહેવા વિકટ છે.
[ ૬૫૦ ]
૩૫
[ વર્ષ ૨૮ સુ]
અંતર્મુખષ્ટિ જે પુરૂષોની થઈ છે, તે પુરૂષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોના સંગ છે, તે કઈ પણ દૃષ્ટિને આકર્ષે એવા ભય રાખવાયાગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તે! પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તાપણુ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે જે જે પ્રકારે પરઅધ્યાસ થવાયોગ્ય પદાર્થોદિના ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવા ઘટે. તે કે આરંભપરિગ્રહના ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ
For Personal & Private Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
( ૧૯૯ )
અંતર્મુખવૃત્તિના હેતુ હેાવાથી વારંવાર તેના ત્યાગ
ઉપદેશ્યા છે.
[ ૯૭ ]
૩૬
[ વર્ષ ૨૩ મુ* ]
ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એવા ચાર પુરૂષાર્થ પ્રાપ્ત કરવાના સત્પુરૂષોના ઉપદેશ છે. એ ચાર પુરૂષાર્થ નીચેના બે પ્રકારથી સમજવામાં આવ્યા છે.
૧. વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યા છે. ૨. જડચૈતન્ય સ ંબંધીના વિચારોને અર્થ કહ્યો છે. ૩. ચિત્તનિરોધને કામ.
૪. સર્વ બંધનથી મુક્ત થવું તે મેાક્ષ.
એ પ્રકારે સર્વસંગપરિત્યાગીની અપેક્ષાથી ઠરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણે:
ધર્મસંસારમાં અધાતિમાં પડતા અટકાવી ધરી રાખનાર તે ‘ધર્મ.’
અર્થ –વૈભવ, લક્ષ્મી,ઉપજીવનમાં સાંસારિક સાધન.
કામ–નિયમિત રીતે સ્ત્રીપરિચય.
મેાક્ષસ બંધનથી મુક્તિ તે ‘ મેાક્ષ.’
―
For Personal & Private Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) “ધર્મને પહેલાં મૂકવાનો હેતુ એટલો જ છે કે, “અર્થ” ને “કામ” એવાં હોવાં જોઈએ કે, “ધર્મ” જેનું મૂળ હોવું જોઈએ.
એટલા જ માટે “અર્થ” અને “કામ” પછી મૂકવામાં આવ્યા છે.
ગૃહસ્થાશ્રમી એકાંત ધર્મસાધન કરવા ઈચ્છે તે તેમ ન થઈ શકે, સર્વસંગપરિત્યાગ જ જોઈએ. ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃત્ય યોગ્ય નથી. અને ગૃહસ્થાશ્રમ જે–
( અપૂર્ણ )
[ ૧૦૧ ]
૩૭ [ વર્ષ ર૩ મું ] ... આ જગતમાં વિચિત્ર પ્રકારના દેહધારીઓ છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણથી એમ સિદ્ધ થઈ શક્યું છે કે, તેમાં મનુષ્યરૂપે પ્રવર્તતા દેહધારી આત્માઓ એ ચારે વર્ગ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) સાધી શકવાને વિશેષ યોગ્ય છે. મનુષ્યજાતિમાં જેટલા આત્માઓ છે, તેટલા બધા કંઈ સરખી વૃત્તિના, સરખા વિચારના કે સરખી જિજ્ઞાસા અને ઈચ્છાવાળા નથી, એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પ્રત્યેકે પ્રત્યેક
For Personal & Private Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
(૨૦૦૧) સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં વૃત્તિ, વિચાર, જિજ્ઞાસા અને ઈચ્છાની એટલી બધી વિચિત્રતા લાગે છે કે આશ્ચર્ય! એ આશ્ચર્યનું બહુ પ્રકારે અવલોકન કરતાં, સર્વ પ્રાણીની અપવાદ સિવાયસુખપ્રાપ્તિ કરવાની જે ઈચ્છા, તે બહુ અંશે મનુષ્યદેહમાં સિદ્ધ થઈ શકે છે તેવું છતાં તેઓ સુખને બદલે દુઃખ લઈ લે છે; એમ માત્ર મહદષ્ટિથી થયું છે.
[ ૯૨ ]
૩૮ [વર્ષ ર૩ મું] | સર્વ દર્શનથી ઉંચ ગતિ છે. પરંતુ મેક્ષને માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યું નથી, ગણતાએ રાખે છે. તે ગણુતાનું સર્વોત્તમ તત્વ આ જણાય છે –
નિશ્ચય,નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ,તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે.
[૧૫૭- ] ૩૯ [વર્ષ રર મું]
નાના પ્રકારને મેહ પાતળા થવાથી આત્માની દષ્ટિ પિતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે,
For Personal & Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
( ૨૦૨ )
અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દૃષ્ટિ
તેને તેની સિદ્ધિ આપે છે.
[ ૩૬ ]
૪
[વર્ષ ૨૧ સુ]
..મતભેદથી અન’ત કાળે, અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો, માટે સત્પુરુષા તેને ઇચ્છતા નથી; પણ સ્વરૂપશ્રેણિને ઇચ્છે છે...
ન
[ ૧૧૨ ]
૪૧
[ વર્ષ ૨૩ મુ′ ]
માહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરૂં. નહી તે વસ્તુગતે એ વિવેક ખો છે. ઘણું જ સૂક્ષ્મ અવલેાકન રાખેા. ૧. સત્યને તે સત્ય જ રહેવા દેવું. ૨. કરી શકે! તેટલું કહેા. અશકયતા ન છુપાવા ૩. એકનિષ્ઠિત રહેા.
ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એક નિષ્ઠિત રહો. વીતરાગે ખરું કહ્યું છે.
અરે આત્મા ! સ્થિતિસ્થાપક દશા લે.
આ દુ:ખ કયાં કહેવું? અને શાથી ટાળવું? પેાતે પાતાના વૈરી, તે આ કેવી ખરી વાત છે !
For Personal & Private Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
[ ૫૧ ]
**
નિરાગી પુરૂષાને નમસ્કાર.
ઉદય આવેલાં કર્મોને ભાગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવા એ સત્પુરૂષોના મહાન ખાધ છે.
......જિનભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશે, અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશાધન કરતા રહેશે.
( કાઈ વેળા ) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશાકમાં નહીં પડતાં ભાગવ્યે છૂટકે છે, અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણિ વધારતા રહેશે।....
[ ૪૩ ]
[ વર્ષે ૨૨ મું
૪૩
[ વર્ષે ૨૨ મું ]
જિનાય નમ:
..સૃષ્ટિમાં અનેક સત્પુરુષા ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણુને સ્મરો, તેમના
For Personal & Private Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
( ૪ ) પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્યભવને સાર્થક કરો એ મારી નિરંતર પ્રાર્થના છે.
[૧૫૯-૬ ]
વર્ષ ર૩ મું] ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઈચ્છા, આશા
જ્યાં સુધી અતૃપ્ત છે, ત્યાં સુધી તે પ્રાણી અવૃત્તિવત છે ઈચ્છાજયવાળું પ્રાણી ઊર્ધ્વગામીવત છે.
[ ૭૩ ].
૪૫ [વર્ષ રર મું] બાહ્યભાવે જગતમાં વર્નો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત–નિર્લેપ રહે એ જ માન્યતા અને બેધના છે.
[ ૧૫/૧ર ]. ૪૬ [ વર્ષ ર૩ મું]
કળિકાળે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મેહવશ કર્યો.
જેનું હૃદય શુદ્ધ, સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે.
For Personal & Private Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
( ૨૦૫) સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણિ ઘણું કરીને પતિત થાય છે.
[ 8 ].
[ વર્ષ ર૩ મું ] ..બંધાયેલાને છોડવો.” એ બંધન જેથી છૂટે તેથી છેડી લેવું, એ સર્વમાન્ય છે.
[ ૧૨૧ ]
૪૮ [ વર્ષ ૨૩ મું ? પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં મેગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાને વિશેષ પરિચય રાખો.
ધર્મકથા લખવા વિષે જણાવ્યું તે ધાર્મિક કથા મુખ્ય કરીને તે સત્સંગને વિષે જ રહી છે. દુષમકાળપણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું માહામ્ય પણુ જીવના ખ્યાલમાં આવતું નથી.
કલ્યાણના માર્ગનાં સાધન ક્યાં હોય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી.
For Personal & Private Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
( ૨૦૬ )
ત્યાગવા યાગ્ય એવાં સ્વચ્છંદાદિ કારણેા તેને વિષે તા જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સત્પુરુષા વિષે કાં તા વિમુખપણું અને કાં તા અવિશ્વાસપણું વર્તે છે, અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કાઈ કોઇ મુમુક્ષુઆને પણ રહ્યા કરવુ પડે છે. તે દુ:ખીમાંના તમે અને મુનિઆદિ પણ કાઈ કાઇ અંશે ગણવા યોગ્ય છે. અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તના ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તી નથી અતવૃત્તિ રાખવાના વિચાર રાખ્યા જ કરવા એ સુગમ
સાધન છે.
સત્પુરુષનાં ચિરત્ર એ દર્પણરૂપ છે.
[ ૪૧ ]
૪૯
[ વર્ષ ૨૨ મું ]
......નિરંતર સત્પુરુષની કૃપા દૃષ્ટિને ઇચ્છા; અને શાક રહિત રહે એ મારી પરમ ભલામણ છે. તે સ્વીકારશે....
For Personal & Private Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
(૨૦૭) [ ૧૩૦ |
૫૦ [ વર્ષ ર૩ મું] ૧. આત્મા છે. ૨. તે બંધાયો છે. ૩. તે કર્મને કર્તા છે. ૪. તે કર્મને ભકતા છે. ૫. મોક્ષને ઉપાય છે.
૬. આત્મા સાધી શકે છે. આ જે છ મહા પ્રવચને તેનું નિરંતર સંશોધન કરજે.
બીજાની વિટંબના અનુગ્રહ નહીં કરતાં પિતાની અનુગ્રહતા ઈચ્છનાર જય પામતે નથી; એમ પ્રાયે થાય છે. માટે ઈચ્છું છું કે તમે સ્વાત્માના અનુગ્રહમાં દષ્ટિ આપી છે તેની વૃદ્ધિ કરતા રહેશે; અને તેથી પરની અનુગ્રહતા પણ કરી શકશો.
ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઈન્દ્રિય છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેને આહાર
For Personal & Private Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
( ૨૦૮ )
છે, ધર્મ જ જેના વિહાર છે, ધર્મ જ જેનેા નિહાર[] છે, ધર્મ જ જેના વિકલ્પ છે, ધર્મ જ જેના સંકલ્પ છે. ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા ? ઈચ્છીએ છીએ; તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દૃષ્ટિ નથી દેતા. આત્મભાવની વૃદ્ધિ કરો; અને દેહભાવને
ઘટાડો
[ ૨૧૨ ]
૫૧
સતને નમાનમ:
જેના વચનબળે જીવ નિર્વાણમાને પામે છે, એવી સજીવન મૂર્તિના પૂર્વકાળમાં જીવને બેગ ધણી વાર થઈ ગયા છે; પણ તેનુ આળખાણ થયું નથી; જીવે આળખાણ કરવા પ્રયત્ન કચિત્ કર્યું" પણ હશે, તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયાગાદિ, રિદ્ધિયાગાદિ અને બીજી તેવી કામનાએથી પોતાની દૃષ્ટિ મિલન હતી; દૃષ્ટિ તે મિલન હાય તા તેવી સન્મુતિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી આળખાણુ પડતુ નથી; અને જ્યારે આળખાણ પડે છે, ત્યારે જીવને
[ વર્ષ ૨૪ મું ]
For Personal & Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
( ૨૦૯ )
કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવા કે તે મૂર્તિના વિયેાગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટખના લાગે છે, અર્થાત્ તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે; ખીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બન્ને અને સમાન થઈ ગયાં હૈાય છે. આવી દશા જયારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હાય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે; પણ એ જ દશા આણવી એવા જેના નિશ્ચય દઢ છે તેને ઘણુ કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે.
[ ૨૧૧ ]
પર
[ વર્ષ ૨૪ સુ ]
‘ સત્ ’ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે
છે, અને એ જ જીવના માહુ છે.
′
'
સત્ ’ જે કંઇ છે, તે ‘ સત્ ’ જ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હેાય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હાય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઇ એવા પ્રકાર નહીં આવે કે જે
૧૪
For Personal & Private Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
અજવાળારૂપ હોય; તેમ જ આવરણતિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “સત’ જણાતી નથી, અને “સત” ની નજીક સંભવતી નથી. “સ” છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિત (જુદું) છે; કલ્પનાથી “પર” (આધે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતા નથી એ દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરે, અને પછી “સ” ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય.
આ જે વચન લખ્યાં છે, તે સર્વ મુમુક્ષને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક પ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બંધનું બીજ સ ક્ષેપ કહ્યું છે માટે ફરીફરીને તેને સંભાર, વિચારજો; સમજજે; સમજવા પ્રયત્ન કરજે; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજે; એમાં જ વૃત્તિને લય કરજે. એ તમને અને કોઈ પણ મમક્ષને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે; એમાં સત
For Personal & Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
( ૨૧૧ )
જ કહ્યું છે; એ સમજવા માટે ઘણા જ વખત ગાળશે.
[ ૧૮ ]
[ વ` ૨૪૩ ]
૧૩
સર્વાત્મા હરિને નમસ્કાર.
‘ સત્’ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે.
‘ સત્ ’ છે. કાળથી તેને ખાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે; અને તે પ્રાપ્તિના ઉપાય છે.
ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓના લક્ષ એક ‘ સત્ ’ જ છે. વાણીથી અકથ્ય હાવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે; જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે; વાસ્તવિક રીતે ભેદ નથી.
લાકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે; અનેક રૂપ નવાં થાય છે; અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયુ નહોતુ,તે દેખાય છે; અને ક્ષણમાં ઘણાંદીધું વિસ્તાર
For Personal & Private Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) વાળાં રૂપ લય પામ્યાં જાય છે. મહાત્માના વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે, પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ “સતુ” નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે બ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી, એમ સમજાય છે. બાળજીવ તો તે સ્વરૂપને શાશ્વતરૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કઈ જેગજીવ એવી અનેકતાની કહેણીથી મુંઝાઈ જઈ “સત્' તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. “ભ્રાંતિ” નું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણન વવાને મોટા પુરુષને એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપને વિચાર કરતાં પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું? આમ
અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું, અને મને શું કલ્યાણકારક? એમ વિચારતાં વિચારતાં એને એક ભ્રાંતિને વિષય જાણી, જયાંથી “સ” ની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી, એમ સમજી તે શેધી, શરણાપન્ન થઈ “સ” પામી “સત” રૂપ હોય છે...
For Personal & Private Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
(૧૩) ગમેતેમ છે, પણ આ કાળમાં જૈનમાં તીર્થકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી કે દુર્લભ સંભવે છે, કારણ કે ખરાબે ચઢેલું વહાણ અને તે પણ જાનું, એ ભયંકર છે. તેમ જ જૈનની કથની ઘસાઈ જઈ, અધિષ્ઠાન' વિષયની ભ્રાંતિરૂપ ખરાબે તે વહાણ ચઢયું છે.....
[ ૧૪૭
૫૪ [ વર્ષ ર૩ મું] આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે.
[૨૯].
૫૫ [ વર્ષ ર૪ મું ] અનંતકાળથી જીવને અસત્ વાસનાને અભ્યાસ છે. તેમાં એકદમ સત સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પણ સત સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; કવચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળને જે મિથ્યા અભ્યાસ છે, તેના
For Personal & Private Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
( ૨૧૪) વિકલ્પમાં પડી જાય છે, એટલે તે કવચિત સના અ શો પર આવરણ આવે છે. સત્ સંબંધી સંસ્કારોની દઢતા થવા સર્વ પ્રકારે લોકલજજાની ઉપેક્ષા કરી સત્ય ગનો પરિચય કરે શ્રેયકર છે. લોકલજજા તે કઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગને લોકસમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજજા દુ:ખદાયક થતી નથી. માત્ર ચિત્તને વિષે સત્સગના લાભને વિચાર કરી નિરંતર અભ્યાસ કરે; તે પરમાર્થને વિષે દઢતા થાય છે.
[ ર૨૬ ]
૫૬ [ વર્ષ ૧૪ મું ! વાસનાના ઉપશમાર્થે તેમનું વિજ્ઞાપન છે; અને તેને સર્વોત્તમ ઉપાય તે જ્ઞાની પુરુષને બેગ મળ તે છે. દઢ મુમુક્ષતા હોય, અને અમુક કાળ સુધો તેવો જેગ મળ્યો હોય તો જીવનું કલ્યાણ થઈ જાય આ નિઃશંક માનજો.
તમે બધા સત્સંગ સશાસ્ત્રાદિક સંબંધી હાલ કેવા ભેગે વર્તે છે તે લખશો. એ જોગ માટે પ્રમાદ ભાવ કરવો ગ્ય જ નથી; માત્ર પૂર્વની કોઈ ગાઢી પ્રતિબદ્ધતા હોય, તો આત્મા તો એ વિષયે અપ્રમત્ત હોવો જોઈએ...
For Personal & Private Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
[ ર૩ર ]
[વર્ષ ર૪ મું] પરેચ્છાનુસારીને શબ્દ–ભેદ નથી.
કાર્યની જાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાત્તાપયુક્ત હોય છે. કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દઢ રહે એમ રહેવું બહુ વિકટ છે, એમ જે ડાહ્યા મનુષ્યો કહે છે તે ખરું છે. કાર્યનું પરિણામ, પશ્ચાતાપથી તે, આવ્યું હોય તેથી અન્યથા ન થાય; તથાપિ બીજા તેવા પ્રસંગમાં ઉપદેશનું કારણ થાય. એમ જ હાવું યોગ્ય હતું એમ માની શકને પરિત્યાગ કરવો અને માત્ર માયાના પ્રબળનો વિચાર કરવો એ ઉત્તમ છે. માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને “સત ” સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે, તો પછી હજુ મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભુલામણીવાળું, ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી એમ જરૂર જાણજે.
માયાને પ્રપંચ ક્ષણે ક્ષણે બાધક છે; તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે;
For Personal & Private Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
(૧૬) અને કાં કેવળદશા છે; તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે; તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા આવે એગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધકર્તા એ આ માયાપ્રપંચ છે જેને પરિચય જેમ ઓછો હોય તેમ વર્યા વિના જોગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યું કેટયવધિ યોજને ચાલ્યા કરે છે, ત્યાં જેગ્યતાને અવકાશ ક્યાંથી હોય? આમ ન થાય તેટલા માટે થયેલાં કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે નિવૃત્તિ (એ વિષેની) કરી યોગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. “ન ચાલતાં કર જોઈએ, અને તે પણ પ્રારબ્ધવશાત્ નિઃસ્પૃહ બુદ્ધિથી, એવે જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો.
[ ૪૮૭ ]
વર્ષ ૨૭મું )
... આટલી વાતને નિશ્ચય રાખવો યોગ્ય છે, કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધકર્મ ભોગવ્યા વિના નિવૃત થતાં
For Personal & Private Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) નથી, અને અભોગવ્ય નિવૃત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાંક કર્મ છે, કે જે ભેગચે જ નિવૃત થાય, અર્થાત તે પ્રારબ્ધ જેવાં હોય છે, તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂવોપાર્જિત કારણથી માત્ર છે, અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારને હેતુ છે, માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધને એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિરૂપે જ ઉદય આવે. જેમ શ્રી કૃષ્ણદિક જ્ઞાની પુરુષ, કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાનદશા હતી, જેમ ગૃહઅવસ્થામાં શ્રી તીર્થકર. એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભગવ્યાથી સંભવે છે. કેટલીક પ્રારબ્ધસ્થિતિ એવી છે કે જે જ્ઞાની પુરુષને વિષે તેના સ્વરૂપ માટે જેને અંદેશાને હેતુ થાય; અને તે માટે થઈ જ્ઞાનીપુ ઘણું કરી જડમૈનદશા રાખી પિતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે; તથાપિ પ્રારબ્ધવશાત્ તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે, તે પછી તે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદે- શાને હેતુ થતો નથી.
For Personal & Private Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) [ ૫૦૦ ]
પદ [ વર્ષ ૨૭મું ). ...જેમ બને તેમ જીવના પિતાના દોષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવપ્રત્યે નિર્દોષદષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધના થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવાયોગ્ય વાત છે.
[ પ પ ] ૬૦
૬૦ [ વર્ષ ૨૭ મું ! ..જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સદ્વાંચનાને પ્રસંગ નિત્ય પ્રત્યે કરવાગ્યા છે. તેને વિષે પ્રમાદ કર્તાવ્ય નથી, અવશ્ય એમ કર્તવ્ય નથી....
[ ૪૨]
૧૧ [ વર્ષ ૨૭ મું ) અમારા ચિત્તમાં તો એમ આવે છે કે, મુમુક્ષુ જીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલો એ આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા ગ્ય છે. એ પ્રસંગ જે સમતાએ વેદવામાં આવે તે જીવન નિર્વાણ સમીપનું સાધન છે. વ્યાવહારિક પ્રસંગેનું નિત્યચિત્રવિચિત્રપણું
For Personal & Private Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
( ૨૧૯ )
છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુ:ખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાનીપુરુષોએ તે બે ય કલ્પના કરવાની ના કહી છે. વિચારવાનને શાક ઘટે નહીં, એમ શ્રી તીર્થ - કર કહેતા હતા.
[ ૪૯૫ ]
૬૨
[ વર્ષ ૨૦ મું ]
. . .જો કાઇ પણ પ્રકારે બને તા આ ત્રાસરૂપ સસારમાં વધતા વ્યવસાય ન કરવા; સત્સંગ કરવા યેાગ્ય છે.
મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં જો મુમુક્ષુતા આવી હોય તે નિત્ય પ્રત્યે તેનું સ ંસારખળ ઘટયા કરે. સંસારમાં ધનાદિ સોંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે માળી પડયા કરે; અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય; આ કાળમાં એ વાત ઘણું કરી જોવામાં આવતી નથી. કાઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ, અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઇ વિચાર થાય છે કે આવા સગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં; પણ અધેાદશા થવી ઘટે. વળી સત્સંગના કઈ
For Personal & Private Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
( રર૦)
પ્રસંગ થયે છે એવા જીવની વ્યવસ્થા પણ કાળષથી પલટતાં વાર નથી લાગતી.
[ ૧૭ ].
૬૩ [ વર્ષ ૨૮ મુ) અનંત કાળથી પિતાને પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? - નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવ; પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; પુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું, સહુનાં લક્ષણનું ચિંતન કરવું, પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિતવવા યેગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રને, સર્વ સંતના
For Personal & Private Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
(૨૧) હૃદયને, ઈશ્વરના ઘરનો મર્મ પામવાને મહા માર્ગ છે, અને એ સઘળાનું કારણ કેઈ વિદ્યમાન સંપુરષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.
અધિક શું લખવું? આજે, ગમે તે કાલે, ગમે તે લાખ વર્ષે અને ગમે તે તેથી મોડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશ મને તો એ જ સમ્મત છે.
[ ર૧૦ ]
૬૪ [ વર્ષ ૨૪ મું | સર્વેએ એટલું જ હાલ તે કરવાનું છે કે જુનું મૂક્યા વિના તો છૂટકો જ નથી; અને એ મૂકવા ગ્ય જ છે એમ દ્રઢ કરવું.
માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે.... [ ૨૧૪ ]
[ વર્ષ ૨૪] અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જેવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે તે પ્રાણીએ તેરચનાના કારણુ પ્રત્યે પ્રીતિ કરવી; અને પિતાની અહંરૂપ ભ્રાંતિને પરિત્યાગ કરે. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભેગની ઈચ્છા ત્યાગવી
ગ્ય છે અને એમ થવા માટે પુરુષના શરણુ જેવું
For Personal & Private Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
( ૨૨૨ ) એકકે ઐષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારાં મોહાંધ પ્રાણીએ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઇ પરમ કરુણા આવે છે. હે નાથ, તુ અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે.
[ ૨૦૧ ]
૬૬
[ વર્ષ ૨૪ મું ]
ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્વ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તે ક્ષણવારમાં મેાક્ષ કરી દે તેવા પદાર્થ છે.
[ ૧૩૧ ]
[ વર્ષ ૨૩ સુ ]
યથાયાગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જે ન થઇ હોય તે જે પ્રત્યાખ્યાન કર્યાં હેાય તે દેવાદિક ગતિ આપી સ’સારનાં જ અંગભૂત થાય છે. એ માટે તેને દુ:પ્રત્યા ખ્યાન કહ્યાં; પણ એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવાં એમ કહેવાના હેતુ તીર્થંકર દેવના છે જ નહીં. પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે, ઉંચ ગાત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે, તે પછી જ્ઞાનની પ્રાપ્તિ યાય છે; માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જેઈએ છે.
ی؟
For Personal & Private Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
(૨૩) [ ૧૩૩ ]
૬૮ [ વર્ષ ૨૩ મું ] ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતને રસ્ત છે. ચિત્તના સંકલ્પવિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. અલિપ્તભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે.
[ ૧૯૯ [
૬૯ [ વર્ષ ૨૪ મું ] ઉપાધિના યોગને લીધે શાસ્ત્રવાંચન જે ન થઈ શકતું હોય તે હમણું તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિને લક્ષ રાખવાનું સ્મરણ રાખજે.
જેટલો વખત આયુષ્યને તેટલો જ વખત જીવ ઉપાધિને રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે ? મનુષ્યત્વના સફળ પણ માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિનિત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે.
For Personal & Private Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
(૨૨૪) ઘર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન. થયું છે; એ મહા લક્ષ રાખી તેવી મિથ્યાવાસના કેમ ટળે એ માટે વિચાર કરવાને પરિચય રાખશે.
[ ર૫૮ ]
૭૦ [ વર્ષ ૨૪ મું] તૃષાતુરને પાયાની મહેનત કરજે. '
અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજે, જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજે.
ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી. પરમેશ્વરને નહીં પાલવતું હોય ત્યાં શું કરવું ?...
[ ર૦૭ ]
૭ [વર્ષ ૨૪ મું]. .. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ. સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તેવો જોગ બને બહુ વિકટ છે, માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કર યોગ્ય છે, અને તે એ કે “ અનાદિ કાળથી જેટલું જાયું છે, તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ કરવું.'
For Personal & Private Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
[ ૪૬૦ ]
[ વર્ષે ૨૬ મુ* ]
શારીરિક વેદનાને દેહના ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સભ્યપ્રકારે અહિયાસવાયાગ્ય છે. ઘણી વાર શારીરિક વેદનાનું ખળ વિશેષ વર્તતું હાય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યપ્રકાર રૂડા જીવાને પણ સ્થિર રહેવા કઠણ થાય છે, તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતના વિચાર કરતાં અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સભ્યપ્રકારના નિશ્ચય આવે છે. મેટા પુરુષાએ અહિંયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિષહના પ્રસંગાની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમના રહેલા અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવાયાગ્ય જાણવાથી જીવને તે સમ્યíરણામ ફળીભૂત થાય છે, અને વેદના,વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઇ કર્મોનું કારણ થતી નથી. વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી માહ–મમત્વાદિ ત્યાગ્યાં હોય, તા તે માઢું શ્રેય છે;
૧૫
...
K
For Personal & Private Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
(૨૨૬) તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે. જો કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મોડે ફળીભૂત થાય છે.
જયાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી એગ્ય છે; એટલે કે આ દેહના કેાઈ ઉપચાર કરવા પડે છે તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઈચ્છાએ નહીં, પણ તે દેહ કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એ કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચાર પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપારિણામિક મમતા છે, એટલે પરિણામે સમતાસ્વરૂપ છે; પણ તે દેહની પ્રિયતાથે, સાંસારિક સાધનમાં
For Personal & Private Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
( રર૭), પ્રધાન ભેગને એ હેતુ છે, તે ત્યાગ પડે છે, એવા આર્તધ્યાને કઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાની પુરુષના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણને તેવા પ્રસંગે લક્ષ રાખવો યોગ્ય છે. | સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મેહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્દવિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.
તેને પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.
[૪૫૭ ] ૭૩ [ વર્ષ ર૬ મું] ' રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂછ્યું કંઈ જતું નથી, એ પરમાર્થ વિચારી કઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં.
For Personal & Private Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
[ ૪૬૬ ]
૯૪
[ વર્ષ ૨૬ સુ]
૧. જેની પાસેથી ધર્મ માગવા, તે પામ્યાની પૂર્ણ ચાકસી કરવી એ વાકયને સ્થિર ચિત્તથી વિચારવુ.
૨. જેની પાસેથી ધર્મ માગવા તેવા પૂર્ણજ્ઞાનીનુ ઓળખાણ જીવને થયુ હાય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવા અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યાય સમજવા. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલા શિક્ષાબેાધ ગ્રહણ કરવા એટલે જેથી કદાગ્રહ, મતમ તાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિને તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવાં નહીં. મતનો આગ્રહ મુકી દેવા. આત્માના ધર્મ આત્મામાં છે. આત્મત્વપ્રાપ્ત પુરુષના બેાધેલે ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં,
૩. આટલુ થતાં છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મુકી શકાતા હોય તેા પછી તેણે છુટવાની આશા કરવી નહીં.
અમે પોતે કાઈ ને આદેશવાત એટલે આમ કરવુ એમ કહેતા નથી. વારંવાર પુછે તાપણ તે સ્મૃતિમાં
For Personal & Private Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
( ૨૨૯ )
હોય છે. અમારા સગમાં આવેલા કોઇ જીવોને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તી, કે આમ કરો. માત્ર શિક્ષાબેાધ તરીકે જણાવ્યું હશે.
૪. અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશવાત કરતાં વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે તે તેમાં વાણી પ્રકાશ કરે છે; અને ઉપદેશવાતમાં તા થાણી પાછી ખેંચાઈ જાય છે, તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તેવા ઉદય નથી.
૫. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઇ જીવના દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હેાય તે પૂર્વે થઇ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીના કળશા અત્રે હાય તા તેથી તૃષા છીપે.
1. ૬. જીવ પેાતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી ક્લ્યાણ થાય કે સમાધિથી કે યાગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં.
For Personal & Private Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
( ર૩૦) જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરુષના લક્ષમાં હેય છે, અને તે પરમસત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.
૭. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયેલ હોય તે સત્સગમાં સાંભળેલ શિક્ષાબંધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષો તે છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બેલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં.
૮. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એ યોગાનુયોગ કોઈક જ વેળા ઉદયમાં આવે છે. તેવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે; પણ કોઈ વેળા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ અને તેવી પ્રવૃત્તિ થઈ ચૂકી, તો પણ તે જ વાંછા જે અસપુરુષમાં કરી હોય અને જે ફળ થાય છે, તે કરતાં આનું ફળ નું શું થવાનો સંભવ છે. પુરુષ પ્રત્યે તેવા કાળમાં જે નિઃશકપણું રહ્યું હોય, તે કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે.
For Personal & Private Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
( ૨૩૧ )
એક પ્રકારે અમને પોતાને એ માટે બહુ શાચ રહેતા હતા, પણ તેનું કલ્યાણુ વિચારીને શાચ વિસ્મરણ કર્યો છે.
૯. મન વચન, કાયાના બેગમાંથી જેને કેવળીસ્વરૂપભાવ થતાં અહંભાવ મટી ગયા છે, એવા જે જ્ઞાનીપુરૂષ, તેના પરમઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઇચ્છા કર્યાં કરો એવા ઉપદેશ કરી, આ પત્ર પૂરા કરું છું.
વિપરીત કાળમાં એકાકી હાવાથી ઉદાસ!!!
[860]
[ વર્ષ ૧૬ મુ* ]
આર’ભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારાં કારણેામાં જેમ બને તેમ એછે પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યાગ્ય છે.
૭૫
[ ૧૭ ]
gt .
[ વર્ષ ૨૪ સુ ]
ભવસ્થિતિની પરિપકવતા થયા વિના, દીનબંધુની
For Personal & Private Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
( ૨૩ર ) કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળ દુર્લભ છે.
જીવને સંસાર પરિભ્રમણનાં જે જે કારણે છે, તેમાં મુખ્ય પોતે જે જ્ઞાન માટે શંકિત છીએ, તે જ્ઞાનને ઉપદેશ કરે, પ્રગટમાં તેમની રક્ષા કરવી, હૃદયમાં તે માટે ચળવિચળપણું છતાં પિતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથાયોગ્ય જ છે એમ ઉપદેશવું, તે સર્વથી મોટું કારણ છે. આમ જ આપ તે મુનિના સંબંધમાં વિચારશો, તે લાગી શકશે.
પોતે શંકામાં ગળકા ખાતે હોય, એવો જીવ નિઃશંક માર્ગ બેધવાને દંભ રાખી આખું જીવન ગાળે એ તેને માટે પરમ શોચનીય છે. મુનિના સંબંધમાં આ સ્થળે કંઈક કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે તો પણ તે હેતુ નથી જ જેમ છે તેમ કરણ ચિત્તે લખ્યું છે. એમ જ મજા અનંતા જીવ પૂર્વકાળે રખડ્યા છે. વર્તમાનકાળે રખડે છે, ભવિષ્યકાળે રખડશે. - જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવતે નથી. આ વાકય નિઃશંક અનુભવનું છે. બંધનને ત્યાગ,
For Personal & Private Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
(૩૩) કર્યો છુટાય છે, એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પિતાનું મહત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે, અને તેવા જીવો સમર્થ ચક્રવર્તી જેવી પદવીએ છતાં તેને ત્યાગ કરી, કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે,
અને જરૂર તે છૂટે છે. | દીનબંધુની દષ્ટિ જ એવી છે કે છટવાના કામીને બાંધવો નહીં; ને બંધાવાના કામીને છેડવો નહીં. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઊઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને ટવાની ઈચ્છા છે, તો પછી બંધાય છે કાં? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો છે કે, જેને છૂટવાની દઢ ઈચ્છા થાય છે, તેને બંધનનો વિકલ્પ મટે છે; અને એ આ વાતને સત્સાક્ષી છે...
For Personal & Private Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૭૭ ]
ce
[ વર્ષ ૨૪ સુ* ]
જે જે વાટેથી અનંતકાળથી ગ્રહાયેલા આગ્રહના. પોતાપણાના, અને અસત્સંગના નાશ થાય તે તે વાટે વૃત્તિ લાવવી; એ જ ચિંતન રાખવાથી, અને પરભવના દઢ વિશ્વાસ રાખવાથી કેટલેક અંશે તેમાં જય પમાશે.
[ ૧૮૩ ]
er
[ વર્ષ ૨૪ મુ` ]
...... એ ઇચ્છાની સર્વ પ્રકારની રકુરણા તેા સાચા પુરુષના ચરણકમળની સેવામાં રહી છે. અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે. આ નિ:શંક વાકય સર્વ અનંતજ્ઞાનીઆએ સમ્મત કરેલું આપને જણાવ્યુ છે.
પરિભ્રમણ કરતા જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યા નથી. જે પામ્યા છે, તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાના ત્યાગ કરવાના અભ્યાસ કરશે!. દઢ પ્રેમથી અને પરમેાલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપુની પ્રાપ્તિ કરાવશે.
સર્વ પ્રકારની ક્રિયાના, યાગના, જપના, તપના, અને તે સિવાયના પ્રકારના લક્ષ એવા રાખજો કે
For Personal & Private Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
( ૨૩૫ )
આત્માને છેાડવા માટે સર્વે છે; બધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં યાગાદિક પર્યંત ) ત્યાગવા યાગ્ય છે.
[ ૧૭૮ ]
૯૯
[ વર્ષ ૨૪ સુ* ]
પ્રથમ મનુષ્યને યથાયાગ્ય જિજ્ઞાસુપણું આવવુ જોઈ એ છે. પૂર્વના આગ્રહે। અને અસત્સંગ ટળવાં જોઇએ છે. એ માટે પ્રયત્ન કરશે.
જેની પાસેથી ધર્મ માગવા તે પુરુષ ધર્મ પામ્યા. વિષેની પૂર્ણ ચાકસી કરવી, આ સતની સમજવા જેવી વાત છે.
[ ૧૪૩ ]
૮૦
નીચેના અભ્યાસ તા રાખ્યા જ રહેા :–
[ વર્ષ ૨૩ મું ]
૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કાયાને શમાવે.
૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહેા. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકા.
For Personal & Private Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
( ૨૩૬ )
૪. તમે પરિપૂર્ણ સુખી છે એમ માના, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.
૫. કાઈ એક સત્પુરુષ શેાધા, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખેા.
એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનેા. અધિક શું કહ્યું` ? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનના કિનારો આવવાને નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયના, તેની પ્રાપ્તિ સિવાયના બીજો કોઇ નિર્વાણમા મને સૂઝતા નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયુ હશેસૂઝયુ છે. )
હવે જેમ તમને યાગ્ય લાગે તેમ કરો. એ બધાની તમારી ઇચ્છા છે, તેાપણુ અધિક ઈચ્છા; ઉતાવળ ન કરો. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ
તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરો.
For Personal & Private Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
( ૨૩૭) ધર્મને રસ્તો સરળ સ્વચ્છ અને સહજ છે; પણ તે વિરલ, આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે.
[ ૧૮ ].
૮૧ [ વર્ષ ર૪ મું ] આપ હૃદયના જે જે ઉદ્દગાર દર્શાવે છે; તે તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે. આપ પણ જાણો છો કે આ કાળમાં મનુષ્યોનાં મન માયિક સંપત્તિની ઈચ્છાવાળાં થઈ ગયાં છે. કેઈક વિરલ મનુષ્ય નિર્વાણમાર્ગની દઢ ઈચ્છાવાળું રહ્યું સંભવે છે, અથવા કેઈકને જ તે ઈચ્છા સહુષનાં ચરણસેવન વડે પ્રાપ્ત થાય તેવું છે.
મહધકારવાળા આ કાળમાં આપણે જન્મ એ કંઈક કારણ યુક્ત હશે જ, એ નિઃશંક છે; પણ શું કરવું, તે સંપૂર્ણ તે તે સુઝાડે ત્યારે બને તેવું છે.
[૧૬]
૮૨ [ વર્ષ ૨૪ મું ] સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે?
For Personal & Private Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
( ૨૩૮ )
નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સપુરુષની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે :
૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડયા વિના છૂટકો થવો નથી; તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમને અભ્યાસ કર ગ્ય જ છે એમ સમજવું.
૨. કોઈ પણ પ્રકારે સદ્દગુરુને શોધ કરે શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું અને તો જ સર્વ માયિક વાસનાને અભાવ થશે એમ સમજવું.
૩. અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણુ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, “સેતુ” મળ્યા નથી, “સત’ સુપ્યું નથી, અને સ” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુષ્ય, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.
For Personal & Private Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
(ર૩૯) - ૪. મોક્ષને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલ માર્ગ પમાડશે.
૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયે નથી તે વિચારો...
[ ૧૩૬ ]
૮૩ [ વર્ષ ર૩ મું ] જયાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ કરશે, હું રિદ્ધિ ઈત્યાદિકે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળરૂપે સમજશે, મર્મને માટે મિથ્યા મોહ કરશે, ત્યાંસુધી તેની શાંતિ થવી દુર્લભ છે એ જ આ પત્તાથી જણાવું છું. તેમાં જ બહુ સમાયું છે. ઘણે સ્થળેથી વાંચ્યું હોય, સુર્યું હોય તે પણ આ પર અધિક લક્ષ રાખશે.
[ ૧૨૪ ]
૮૪ [ વર્ષ ર૩ મું ] ___ 'जणं जणं दिसं इच्छइ तणं तणं दिसं अपडिबद्धे.' - જે જે દિશા ભણી જવું ઈચછે તે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત્ ખુલ્લી છે. (રેકી શકતી નથી.)
For Personal & Private Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
આવી દશાને અભ્યાસ જ્યાં સુધી નહીં થાય; ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે ?
પગલિક રચનાએ આત્માને ખંભિત કરે ઉચિત નથી.
કે
[ ૧૩૫ ]
૮૫ [ વર્ષ ૨૩ મું] | મુમુક્ષુતાના અંશોએ ગૃહાયલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે.
નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશે. અને નીચેની ઘર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશો.
સમ્યફદશાનાં પાંચ લક્ષણ છે :શમ. સંવેગ. નિર્વેદ,
અનુકંપા.
For Personal & Private Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
(૨૪૧) ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ”.
મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે “સંવેગ.
જયારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણુ થઈ, અરે જીવ ! હવે થોભ, એ “નિર્વેદ.
માહાસ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરૂષનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા–“આસ્થા.
એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે “અનુકંપા.
આ લક્ષણે અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા ગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અધિક અન્ય પ્રસંગે.
For Personal & Private Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬]
૮૬ [ વર્ષ ૨૩ મું] ઉંચ નીચને અંતર નથી, સમજ્યા તે પામ્યા સદ્ગતિ.
તીર્થકર દેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેને રાગ તમને બધાને હિતકારક કેમ થશે?
[ ૧૮ ]
૮૭ [ વર્ષ ર૩ મું || પાંચેક દિવસ પહેલાં પત્ર મળ્યું, જે પત્રમાં લમ્માદિકની વિચિત્ર દશા વર્ણવી છે. તે એવા અનેક પ્રકારના પરિત્યાગી વિચારો પાલટી પાલટીને જ્યારે આત્મા એકત્વ બુદ્ધિ પામી મહાત્માના સંગને આરાધશે, વા પિતે કઈ પૂર્વના સ્મરણને પામશે તે ઇચ્છિત સિદ્ધિને પામશે. આ નિઃસંશય છે.....
[ ૧૪ ]
૮૮ [ વર્ષ ર૪ મું] જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ?
..અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિને યોગ મળવો દુર્લભ છે.
For Personal & Private Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
સત્સ્વરૂપને અભેદભાવ અને અનન્ય ભક્તિએ નમાનમ:
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરૂષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્ત્રતીતિ આવ્યા વિના સત્સ્યરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સ જ્ઞાનીઆએ સેવ્યા છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિના એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોના માધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કાઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવા. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતુ નથી. ( અંધત્વ ટળવા માટે ) જીવે એ માર્ગના વિચાર કરવો; દૃઢ માÀચ્છા કરવી; એ વિચારમાં
For Personal & Private Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
( ૨૪૪) અપ્રમત્ત રહેવું, તે માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.
સૂયગડાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે :
હે આયુષ્યમનો ! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે સપુરુષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.
સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે –ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરૂષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા,
For Personal & Private Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
( ૨૪૫ )
એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સ શાસ્ત્રમાં એ જ વાત કહેવાના લક્ષ છે.
आणा धम्म आणाए तवेो ।
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. ( આચારાંગ સૂત્ર)
સર્વ સ્થળે એ જ મોટા પુરૂષોના કહેવાના લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયા નથી. તેના કારણમાં સથી પ્રધાન એવું કારણુ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરૂષને પ્રતિબદ્ધતા (લેાકસંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પ વિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાના સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારે. અને એ વિચારતાં અમને જે કંઈ યાગ્ય લાગે તે પૂછજો, અને એ માર્ગે જે કંઈ યોગ્યતા લાવશે। તેા ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષને ખાજ રાખો.
બાકી બીજા બધાં સાધન પછી કરવાં યેાગ્ય છે. આ સિવાય બીજે કાઈ મેાક્ષમાર્ગ વિચારતાં લાગશે
For Personal & Private Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
( ૨૪૬ )
નહીં. (વિકલ્પથી ) લાગે તા જણાવશેા કે જે કઈ યેાગ્ય હોય તે જણાવાય.
[ ૨૧૩ ]
te
देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि ।
यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ॥
[ વર્ષ ૨૪ મું ]
હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુ:ખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યા છે, તેનુ મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.
આપે એક વાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યું” હતુ, તે સંબ ંધમાં વધારે વાત તેા સમાગમે થઈ શકે તેમ છે, અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે. તાપણ ધણા જ ટ્ર કે ઉત્તર લખું છું.
પરમાત્મા અને આત્માનું એકરૂપ થઇ જવુ” (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાત્મ્યા ગાપાંગના મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી;
For Personal & Private Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
( ૨૪૭ )
પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિતવ્યે જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયા છે, એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચરિત્રમાં અકયભાવના લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માના અકયભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તેા પરમાત્મા જ છે; અને તેના આળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઇ નથી; માટે સ પ્રકારે ભક્તિ કરવા યાગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ –જ્ઞાનીરૂપ પરમાત્માની—તે નમકારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવા શાસ્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયા છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ભાગવતમાં ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યા છે; અધિક શુ કહેવુ...? જ્ઞાની તીથંકરદેવમાં લક્ષ થવા જેનમાં પણ પંચપરમેષ્ટિ મત્રમાં “તમે
For Personal & Private Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
(ર૪૮ ) અરિહંતાણં' પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.
બીજું એક પ્રશ્ન (એકથી અધિક વાર) આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપારાદિ વિષે આ વર્ષ જેવું જોઈએ તેવું લારૂપ લાગતું નથી, અને કઠણાઈ રહ્યા કરે છે.
પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈન હોય તો પછી ખરા પરમાત્માની ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તો ચાહીને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહિ અને મહાત્મા કૃષ્ણ વિષે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનક વિદેહીની કઠણાઈ વિષે કંઈ અત્ર કહેવું જોગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટમહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે; તથાપિ કઠણાઈ તે ઘટારત જ હતી, અને
For Personal & Private Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
(૨૪૯ ) હેવી જોઈએ. એ કઠણાઈ માયાની છે; અને પરમાત્માના લક્ષની તો એ સરળાઈ છે, અને એમ જ હે. ... રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું; અને દેહધારીરૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે રાજાએ માગ્યું કે હે ભગવાન! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તે પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ “તથાસ્તુ' કહી સ્વધામ ગત થયા.
કહેવાને આશય એ છે કે એમ જ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાને પ્રતિબંધ દર્શરૂપ નથી.
આપને તે એ વાર્તા જાણવામાં છે; તથાપિકુટુંબાદિકને વિષે કઠણાઈ હેવી ઘટારત નથી એમ ઊગતું હોય તે તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના
For Personal & Private Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
( ૨૫૦ )
પ્રત્યે સમભાવી થઇ પ્રતિબધ રહિત થાઓ; તે તમારું છે એમ ન માનેા, અને પ્રારબ્ધયોગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં માકલી છે. અધિક શુ કહેવુ’? એ એમ જ છે.
[ ૨૫૦ ]
૯૦
[ વર્ષ ૨૪ મું }
ભક્તિપૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણુમાત્ર પણ હરિપ્રત્યે યાચવું નહીં, સદશામાં ભક્તિમય જ રહેવું.
વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયેાગથી કાઇ પ્રકારે શાંતિ નથી હાતી એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. તથાપિ વ્યવહાર ચિંતાનું અકળામણુ તા યેાગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે. એ દઢ કરાવવા માટે હિરએ આમ કર્યું છે, અમ આપે નિ:શંકપણે સમજવુ'; માટે જે થાય તે જોવું; અને પછી જો આપને અકળામણુ જન્મ પામે, તેા જોઇ લઈશું. હવે સમાગમ થશે ત્યારે એ વિષે વાતચીત કરીશુ.
For Personal & Private Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
(૨૫) અકળામણ રાખશે નહીં. અમે તે એ માર્ગથી તર્યા છીએ..
સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લખું છું.
[ પ પ ]
૯૧ [ વર્ષ ૨૪ મું ] | સર્વશક્તિમાન હરિની ઈચ્છા સદેવ સુખરૂપ જ હેય છે, અને જેને કોઈ પણ ભક્તિના અંશો પ્રાપ્ત થયા છે એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરે કે “હરિની ઈચ્છા સદેવ સુખરૂપ જ હોય છે.
[ ર૪૬ ]
[ વર્ષ ર૪ મું ] વિરહ પણ સુખદાયક માનવો.
અતિશય વિરહાગ્નિ હરિપ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. ઇશ્વરેચ્છાથી આપણા સંબંધમાં તેમ જ માનશો.
- પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારત
For Personal & Private Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
( ૨૫૨ )
ક્ષેત્ર પ્રાયે શૂન્યવત્ થયુ' છે. માયા માહ સત્ર ભળાય છે. કવિચત મુમુક્ષુ જોઈ એ છીએ; તથાપિ મતાંતરાદિકનાં કારણેાથી તેમને પણ જોગ થવા દુર્લભ થાય છે.
[ ૨૪૧ ]
૯૩
[ વર્ષ ૨૪ મું ]
જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ’' પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જયાં વાણીના પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેનાજ ચરણસ’ગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હાય છે. એ વિના બીજે સુગમ મેાક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતુ નથી! મેાહ બળવાન છે !
[ વર્ષ ૧૩ મું ]
[ ૧૪૧ ]
૯૪
વ્યાસ ભગવાન વદે છે કે:'इच्छाद्वेषविहीनेन सर्वत्र समचेतसा, भगवद्भक्तियुक्तेन प्राप्ता भागवती गतिः । .‘ ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમ દૃષ્ટિથી જોનાર એવા પુરુષા ભગવાનની ભક્તિથી યુક્ત થઇને ભાગવતી ગતિને પામ્યા,અર્થાત નિર્વાણ પામ્યા.’
For Personal & Private Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
(૫૩) [ ૧૮૦ ]
[વર્ષ ર૪ મું } ... વ્યવહારચિંતા માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. રિમ રેમ ભક્તિ તો એ જ છે કે, એવી દશા આવ્યું
અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. દઢજ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે.
રોમ રોમ ખુમારી ચઢશે, અમરવરમયજ આત્મદષ્ટિ થઈ જશે, એક “તું હિ તુહિ” મનન કરવાને પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરના આનંદને અનુભવ થશે....
[૧૯૬ ]
૯૬ [ વર્ષ ર૪ મું ] જીવને બે મોટાં બંધન છે; એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંધનને નાશ થતું નથી. સ્વછંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે, આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે...
For Personal & Private Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૫ ]
[ વર્ષ ૨૪ સુ ]
तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः । તેને મેહ શેશ, અને તેને શાક શા, કે જે સત્ર એકત્વ (પરમાત્મસ્વરૂપ)ને જ જુએ છે.
વાસ્તવિક સુખ જે જગતની દૃષ્ટિમાં આવ્યુ` હોત તા જ્ઞાની પુરુષાએ નિયત કરેલું એવું મેાક્ષસ્થાન ઊર્ધ્વ લેાકમાં હાત નહીં; પણ આ જગત્ જ મેાક્ષ હાત.
જ્ઞાનીને સર્વત્ર મેાક્ષ છે; આ વાત જો કે યથાર્થ છે; તેાપણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત્, વિચારી પગ મૂકવા જેવુ તેને પણ કંઇ લાગે છે; માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, કાં તમારા સ`ગને ઇચ્છીએ છીએ એ યોગ્ય જ છે.
p
[ ૧૯૮ ]
૯૮
સતને અભેદભાવે ના નમ:
બીજી બધી પ્રવૃત્તિ કરતાં જીવને યાગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે; અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામભાગથી વેરાગ્યસમેત સત્સંગ છે.
[ વર્ષ ૨૪ મુ* ]
For Personal & Private Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
(૨૫૫)
સત્સંગ (સમવયી પુરુષોને, સમગુણી પુરુષોને યોગ) માં, સનો જેને સાક્ષાત્કાર છે એવા પુરૂષનાં વચનનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સતની પ્રાપ્તિ થાય છે.
કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પના કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતને માર્ગ મળે છે, સતુ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે.
આ કાળ સુલભબોધીપણું પ્રાપ્ત થવામાં વિક્તભૂત છે. કંઇક (બીજા કાળ કરતાં બહુ) હજુ તેનું વિષમપણું ઓછું છે; તેવા સમયમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા માયિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે...સને માર્ગ કેઈ સ્થળે દેખાતું નથી.
તમને બધાને હમણાં જે કંઈ જેનના પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તે ભાગ વાંચવાને લક્ષ
For Personal & Private Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
( ૨૫૬ )
.
આછા કરો; અને જીવે શું નથી કર્યું ? ને હવે શું. . કરવું? એ ભાગ વાંચવાના, વિચારવાના વિશેષ લક્ષ રાખો.
કોઈપણ બીજાઓ, ધર્મક્રિયાને નામે જે તમારા સહવાસીએ ( શ્રાવકાદિક ) ક્રિયા કરતા હોય તેને નિષેધશા નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઇચ્છા અ`ગીકાર કરી છે, તે પુરુષને કાઇ પણ પ્રકારે પ્રગટ કરશે નહીં. માત્ર કાઈ દઢ જિજ્ઞાસુ હોય તા તેના લક્ષ માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મ કથા કરશેા (તે પણ જો તે ઈચ્છા રાખતા હોય તેા ). બાકી હાલ તેા તમે સર્વ પાતપાતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મવાસનાઓના, વિષયાદિકની પ્રિયતાના, પ્રતિબંધને ત્યાગ કરતાં શીખો. જે કઇ પ્રિય કરવા જેવુ છે, તે જીવે જાણ્યું નથી; અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી, આ અમારે નિશ્ચય છે. યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટુ સાધન છે અસ ત્સંગ એ માટુ વિશ્ર્વ છે....
For Personal & Private Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
૯૯
[. વર્ષ ૨૪ મું ]
પૂર્ણ પદને જ્ઞાની પરમ પ્રેમથી ઉપાસે છે.
[ ૨૩૮ ]
ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને ‘ સત્ ’ પ્રાપ્ત હાવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થયાં પરમ દુર્લભ છે; અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એવા ‘ સત્સંગ’ તે પ્રાપ્ત થવા એ તેા પરમ પરમ દુર્લભ છે. મેટેરા પુરુષાએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તા એ છે કે ‘સત્સ’ગ’ ના જોગ થવા જીવને બહુ કઠણ છે; અને એમ હેાવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી ચાદે રાજલેાક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિધ તાપ-અગ્નિથી ખયા કરે છે; તેને પરમ કારુણ્યમુર્તિના બોધ એ જ પરમ શીતળ જળ છે; તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હેાવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિ’તના રાખવી. ‘સત્’ને વિષે પ્રીતિ, ‘સત્’ રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યાગ્ય છે. તે સ્મરણુ રહે
૧૭
For Personal & Private Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
| ( ર૫૮) વામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તકે અને વૈરાગી, સરળ ચિત્તવાળાં મનુષ્યને સંગ અને પિતાની ચિત્તશુદ્ધિ એ સારાં કારણે છે. એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. અત્ર સમાધિ છે.
[ ર૪ર ]. ૧૦૦ [ વર્ષ ર૪ મું]
સુદઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષહ આવવાને સ્વભાવ છે. પણ જો તે પરિષહ શાંત ચિત્તથી દવામાં આવે છે, તે દીધ કાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પકાળમાં સાધ્ય થાય છે.
તમે સૌ એવા શુદ્ધ આચરણથી વર્તજે કે વિષમ દષ્ટિએ જેનાર માણસેમાંથી ઘણાને પોતાની તે દષ્ટિને કાળ જતાં પશ્ચાત્તાપ કરવાનો વખત આવે.
ર્ય રાખી, આત્માર્થમાં નિર્ભય રહેજો.
[ ૭૪ ]
૧૦૧ [વર્ષ ૨૪ મું] સત” હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે
For Personal & Private Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
( ર૫૯) છે, (યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંતશુષ્ક વગેરેથી) પણ તે તેવું નથી.
જિનને સિદ્ધાંત છે કે જડ કેઈ કાળે જીવ ન થાય, અને જીવ કઈ કાળે જડ ન થાય તેમ “સત્ કોઈ કાળે સત સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હેઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુકાઈ જીવ પોતાની કલ્પનાએ “સત કરવાનું કહે છે, પ્રરૂપે છે, બધે છે, એ આશ્ચર્ય છે.
જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.
[ રહ૫ ] • ૧૦૨ [ વર્ષ ર૪ મું ]
...એમની ઈચ્છા “સતુ” પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તે પણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે.
૧૦૩
[ રહ].
[ વર્ષ ૨૪ મું 1 જીવને જ્યાં સુધી સંતને જોગ ન થાય ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું ગ્ય છે. "
For Personal & Private Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૪ ]
૧૦૪
[ વર્ષ ૨૪ ]
નિ:શંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિ:સગતા પ્રાપ્ત હોય છે.
પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી માટે। દોષ એ છે કે જેથી ‘ તીવ્ર મુમુક્ષુતા’ ઉત્પન્ન ન જ હોય, અથવા
"
મુમુક્ષુતા ' જ ઉત્પન્ન ન હોય.
ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઇ ધર્મ મતમાં હોય છે, અને તેથી તે ધ મત પ્રમાણે પ્રવવાનુ તે કરે છે, એમ માને છે; પણ એનુ' નામ ‘મુમુક્ષુતા ’ નથી.
(
મુમુક્ષુતા ’ તે છે કે સર્વ પ્રકારની માહાસક્તિથી મુઝાઇ એક ‘માક્ષ’ને વિષે જ યત્ન કરવા અને ‘તીવ્ર મુમુક્ષુતા ’ એ છે કે અનન્ય પ્રેમે મેાક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવુ’.
‘ તીવ્ર મુમુક્ષુતા ’ વિષે અત્ર જણાવવું નથી પણ ‘મુમુક્ષુતા ’વિષે જણાવવુ છે, કે તે ઉત્પન્ન થવાનુ લક્ષણુ પાતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે,
For Personal & Private Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
(૨૬૧) અને તેને લીધે સ્વચ્છંદને નાશ હોય છે.
સ્વછંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યા છે, ત્યાં તેટલી બેધબીજ ગ્ય ભૂમિકા થાય છે.
સ્વછંદ જ્યાં પ્રાયે દબાય છે, ત્યાં પછી “માર્ગ પ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણે મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દેન્યતાની ઓછાઈ અને પદાર્થને અનિર્ણય.
એ બધાં કારણો ટાળવાનું બીજ હવે પછી કહેશું. તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા”, એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હવાનાં કારણે નિઃશંકપણે તે “સત છે એવું દઢ થયું નથી, અથવા તે “પરમાનંદરૂપ’ જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તે મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશિાતાનાં કારણે પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અપ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે.
For Personal & Private Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
( ર૬૨) સપુરૂષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહે છે; અને એ બુદ્ધિ પરમ દન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પિતાનું દાસત્વ મનાય છે અને પરમ જેગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ
પરમ દૈન્યત્વ' જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે.
કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જેગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ–નિર્ણય ન થયું હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે “સંત” ની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતું નથી, અને એ જ પરમ જેગ્યતાની હાનિ છે.
આ ત્રણે કારણે ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કોઈ વિષે જોઈ છે, અને જે તેઓમાં સર્વ પ્રકારે (પરમ દિન્યતાની ખામીની)
ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તે થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન
For Personal & Private Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
(૨૬૩) સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે.
અધિક શું કહીએ? અનતંકાળે એ જ માર્ગ છે.
પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી. અને મહાત્માના જોગે તેના અલોકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તો ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.
મહાત્મામાં જેને દઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે. " માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે, તેને પરસ્પર વિચાર કરી વિસ્તાર કરે અને તે સમજવું એમ અમે કહીએ છીએ.
અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન
કર્યો
છે.
For Personal & Private Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
(૨૬૪) તમે વારંવાર વિચારજે. યોગ્યતા હશે તે અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું.
હાલ અમારો સમાગમ થાય તેમ તે નથી; પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તે થાય; પણ તે કયે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી.
કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.
[ ર૪૮ ]
૧૦૫ [ વર્ષ ર૪ મું !
નમઃ કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતું નથી.
સદ્ધર્મને ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે.
સદ્ધર્મને બેગ સપુરૂષ વિના હોય નહીં કારણ કે અસતમાં સત હેતું નથી.
ઘણું કરીને સત્પષનાં દર્શનની અને બેગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે,
For Personal & Private Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
(૨૬૫) ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? અને અમુક કાળ વ્યતીત થયાં છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષતા પણ કેમ રહે?
ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચયરૂપ પિતાને માને છે. જેને પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્યરૂપે પિતાને દઢ માને છે; અને આર્યત્વને વિષે મતિ કરતો નથી.
માટે મોટા પુરાએ અને તેને લઈને અમે એવો દઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે.
પિતાની સન્માર્ગને વિષે ગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોને સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કંઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી.
પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણ
For Personal & Private Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
(૨૬) કારક છે. તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શક્ત નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષmગે વગર સમજાવ્યું પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સપુરૂષ છે.
મોક્ષે ગયા છે એવા ( અહંતાદિક) પુરુષનું ચિંતન ઘણુ કાળે ભાવાનુસાર મેક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષને નિશ્ચય થયે અને જેગ્યતાના કારણે જીવ સમત્વ પામે છે.
[ ૭૩ ]
૧૦૬ [ વર્ષ ૨૪ મું ] કળિયુગમાં અપાર કષ્ટ કરીને પુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાને મહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર.
For Personal & Private Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
[ ર૯૫ ]
૧૦૭ [વર્ષ ર૪ મું ] - ચિત્તની જે સ્થિરતા થઈ હોય તે તેવા સમય પરત્વે પુરુષોના ગુણોનું ચિંતન, તેમનાં વચનનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનો ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શકતું હોય તો મનને નિગ્રહ થઈ શકે ખરે; અને મન જીતવાની ખરેખરી કસેટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પર તેની ખૂબી માલુમ પડે.
[૧ર ] ૧૦૮ [ વર્ષ ર૪ મું] કરના ફકીરી કયા દિલગીરી, સદા મગન મનરહેનાજી.
એ વૃત્તિ મુમુક્ષઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થ ચિંતા હોય એ વિષય જુદે છે; વ્યવહારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે.
તમે જેઓ સમજ્યા છે, તેઓ માર્ગને સાધ્ય કરવા નિરંતર સત્પષનાં ચરિત્રનું મનન રાખજે. સન્શાસ્ત્રને અને સત્કથાને તેમ જ સદ્દવૃતને સેવજે.
For Personal & Private Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
[૧૯૫]
૧૦૯ [ વર્ષ ૨૪મું ] સસ્વરૂપને અભેદરૂપે અનન્ય ભક્તિએ
નમસ્કાર.
માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પ મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરે અવશ્ય છે -
“ અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય?'
આ વાકયમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતા કર્યા વિના, તેને માટે દઢ થઈ ઝર્યા વિના માર્ગની દિશાનું પણ અ૫ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તે એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું? તે જણાય છે.
For Personal & Private Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૭ ]
૧૧૦ [ વર્ષ ર૪ મું ] .જીવ સ્વભાવે (પિતાની સમજણની ભૂલે) દોષિત છે ત્યાં પછી તેના દોષ ભણું જોવું, એ અનુકંપાને ત્યાગ કરવા જેવું થાય છે, અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં અસત્સં. ગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે...
[ ર૯૪ ]
[ વર્ષ ર૪ મું] આર્તધ્યાન ધ્યાન કરવા કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. અને જેને માટે આર્તધ્યાન ધ્યાવવું પડતું હોય ત્યાંથી કાં તો મન ઉઠાવી લેવું અથવા તો તે કૃત્ય કરી લેવું એટલે તેથી વિરકત થવાશે.
જીવને સ્વછંદ એ મહા મેંટે દોષ છે. એ જેને મટી ગયા છે તેને માર્ગને ક્રમ પામવો બહુ સુલભ છે.
[ ૩૨૯ ]
૧૧ર [વર્ષ ૨૫ મું ] ન ગમતું એવું ક્ષણવાર કરવાને કઈ ઈચ્છતું
For Personal & Private Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
નથી. તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વ કર્મનુ નિબ ંધન અવશ્ય છે.
પૂર્વ નિબ’ધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે...અનુક્રમે વેદન કર્યા. જયાં એમ કરવુ ચેાગ્ય લાગ્યુ છે.
...
તમેપણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તાપણુ તેમ પ્રવર્તવાના અભ્યાસ રાખજો અને કોઇ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાના અભ્યાસ આછેા કરો; એમ કરવુ' અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનુ દ્વાર છે.
[ ૩૩૭ ]
૧૧૩
[ વર્ષે ૨૫ મું ]
પૂર્વ કર્મને અનુસરી જે કંઈ પણ સુખદુ:ખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવુ' એ જ્ઞાનીની શિખામણુ સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે.
[ ૧૦૮ ]
૧૧૪
[ વર્ષ ૨૩ મું ]
હે જીવ, તું ભ્રમા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે; બહાર શેાધવાથી મળશે નહીં.
For Personal & Private Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
" (ર૭૧) અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ.
સમશ્રેણી રહેવી બહ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ.
આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યો આવ્યો તે તું જીવન ત્યાગ કરતો રહીશ, મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ.
ત્રમાં મા, તને હિત કહું છું. આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાયે ન કર. આ તેનું છે એમ માની ન બેસે.
આ માટે આમ કરવું છે એ ભવિષ્યનિર્ણય ન કરી રાખ.
આ માટે આમ ન થયું હોત તો સુખ થાત એમ સ્મરણ ન કર.
આટલું આ પ્રમાણે હોય તે સારું એમ આગ્રહ ન કરી રાખ.
આણે મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભારતાં ન શીખ.
For Personal & Private Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
( ૨૭ર ) આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ.
આ મને અશુભ નિમિત્ત છે એ વિકલ્પ ન કર, આ મને શુભ નિમિત્ત છે એવી દઢતા માની ન
બેસ.
આ ન હતી તે હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ.
પૂર્વકર્મ બળવાન છે, માટે આ બધો પ્રસંગ મળી આવ્યું એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં.
પુરુષાર્થને જય ન થયે એવી નિરાશા સ્મરીશ નહીં.
બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતે ભૂલાવ.
તારે દેશે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે.
તારો દોષ એટલો જ કે અન્યને પિતાનું માનવું, પોતે પિતાને ભૂલી જવું.
એ બધામાં તારી લાગણી નથી, માટે જુદે જુદે
For Personal & Private Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
(૨૭) સ્થળે તે સુખની કલ્પના કરી છે. હેમૂઢ, એમ ન કર.
એ તને તેં હિત કહ્યું. અંતરમાં સુખ છે.
જગતમાં કોઈ એવું પુસ્તક વા લેખ વા કોઈ એવો સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતો કે આ સુખનો માર્ગ છે, વા તમારે આમ વર્તવું વા સર્વને એક જ ક્રમે ઉગવું; એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણું રહી છે.
એક ભેગી થવાને બોધ કરે છે. એક યોગી થવાને બોધ કરે છે. એ બેમાંથી કોને સમ્મત કરીશું? બન્ને શા માટે બંધ કરે છે? બન્ને કોને બંધ કરે છે? કોના પ્રેરવાથી કરે છે?
કેઈને કોઈને અને કોઈને કોઈનો બાધ કાં લાગે છે?
એનાં કારણ શું છે? તેનો સાક્ષી કોણ છે? તમે શું વાંચ્યું છે ?
૧૮
For Personal & Private Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
(ર૭૪) તે કયાંથી મળશે વા શામાં છે? તે કોણ મેળવશે?
ક્યાં થઈને લાવશો? લાવવાનું કોણ શીખવશે? વા શીખ્યા છીએ? શીખ્યા છે તે ક્યાંથી શીખ્યા છે? અપુનવૃત્તિરૂપે શીખ્યા છે? નહીં શિક્ષણ મિથ્યા કરશે. જીવન શું છે? જીવ શું છે? તમે શું છે? તમારી ઈચ્છાપૂર્વક કાં નથી થતું? તે કેમ કરી શકશે? બાધતા પ્રિય છે કે નિરાબાધતા પ્રિય છે? તે કયાં કયાં કેમ કેમ છે? એને નિર્ણય કરે. અંતરમાં સુખ છે. બહારમાં નથી. સત્ય કહું છું.
For Personal & Private Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
( ૭૫ )
હે જીવ, તું ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે; તે બહાર શોધવાથી નહીં મળે.
અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્યપદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ.
- સ્થિતિ રહેવી બહુ વિકટ છે; નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એનો દઢ ઉપયોગ રાખવો જોઈએ.
એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તે તું મૂંઝાઈશ નહીં. નિર્ભય થઈશ.
હે જીવ! તું ભૂલ મા. વખતે વખતે ઉપગ ચૂકી કોઈને રંજન કરવામાં, કેઈથી રંજન થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે. તે ન કર. [ પ૭ર ] ૧૧૫ [ વર્ષ ૧૮મું ] | સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં, એ સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે.
For Personal & Private Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
( ૨૭૬ ) કોઈક જીવથી એ ગહન દશાને વિચાર થઈ શકવાયોગ્ય છે, કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ તેની નિવૃત્તિ સૂઝ, એમ બનવું બહુ કઠણ છે; માટે જ્ઞાની પુરુષને આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. - જ્ઞાની પુરુષના ચરણને વિષે મને સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી. જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનને વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દષ્ટિએ જેવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે.
જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે. તે દોષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્તસાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનોમાંથી અહં બુદ્ધિ છેડી દઈ, રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. અનાદિ દેષને
For Personal & Private Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
( ૨૭૭). એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમકે આત્મા તે દોષને દવા પિતાની સન્મુખ લાવે છે કે, તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાંખી પિતાને વિષે એકાગ્ર બુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્ર બુદ્ધિ એવા પ્રકારની હોય છે કે, “મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાધ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ; અને કરતાં જાગૃત રહીશ; એ આદિ બ્રાંતદશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી, અથવા તે દોષ વધે છે, તેને લક્ષ તેને આવી શકતો નથી.
એ વિરોધી સાધનને બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે: એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ; બીજે પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું.
વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે, કેમકે તેથી વિચારને અવકાશ પ્રાપ્ત થાય છે. છે તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશે દેશે તેને ત્યાગ કરવો ઘટે; પરિગ્રહ તથા ગોપભેગના
For Personal & Private Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
( ૨૭૮ ) પદાર્થને અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે, અને આશ્રયભક્તિ દઢ થાય તથા જ્ઞાનીનાં વચનનું આત્મામાં પરિણામ થઈ તીવજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.
જીવ કેઈક વાર આવી વાતને વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય. એજ વિનંતિ.
[ કરર ]
૧૧૬ [ વર્ષ ૨૬ મું ! ..જિનાગમમાં આ કાળને દુષમ' એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે, કેમ કે “દુષમ’ શબ્દને અર્થ “દુ:ખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો થાય છે. તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એ એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જોકે પરમાર્થમાર્ગનું દુર્લભ પણું તો સર્વ કાળને વિષે છે, પણ આવા કાળને
For Personal & Private Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
(૨૭૯) વિષે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણુના કારણરૂપ છે.
અત્ર કહેવાનો હેતુ એ છે કે ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જેણે પરમાર્થમાર્ગ આરાધ્યો છે, તે દેહ ધારણ ન કરે, અને તે સત્ય છે, કેમ કે જો તેવા જીવને સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હતો, તે તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હેત; અને તેથી આ કાળને
દુષમ” કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વારાધક જીવોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાનકાળને વિષે જે કોઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઈચ્છે તો અવશ્ય આરાધી શકે, કેમ કે દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. - સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુ:ખે કરીને જ પ્રાપ્ત થાય, એવો એકાંત અભિપ્રાયવિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેનાં ઘણું કારણે પ્રત્યક્ષ દેખાય છે.
For Personal & Private Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
( ૨૮૦ ) - પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું તેને પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં તે.
બીજું કારણ તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાનદેહે તે આરાધકમાર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, તેથી અનારાધકમાર્ગને આરાઘકમાર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે.
ત્રીજું કારણ ઘણું કરીને ક્યાંક સસમાગમ અથવા ગુરુને યોગ બને, અને તે પણ કવચિત બને.
ચેથું કારણ અસત્સંગ આદિ કારણોથી જીવને સદ્ગુરૂ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદ્દગુરૂ આદિને વિષે સત્યપ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે.
પાંચમું કારણ કવચિત્ સત્સમાગમને વેગ બને તે પણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું કે જીવ તથા માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે; અથવા અસત્સમાગમાદિ કે પિતાની કલ્પનાથી મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય. તે ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણામાં જીવે મોક્ષમાર્ગ કહે છે, અથવા બાહ્યક્રિયા
For Personal & Private Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
(૨૮૧ ) અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ ક છે; અથવા સ્વમતિકલ્પનાએ અધ્યાત્મ ગ્રંથ વાંચી કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષમાર્ગ કો. છે. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમાદિ હેતુમાં તે તે માન્યતાને આગ્રહ આડે આવી પરમાર્થ પામવામાં થંભભૂત થાય છે.
જે જીવે શક્કક્રિયાપ્રધાનપણામાં મોક્ષમાર્ગ કલ્પ છે, તે જીવોને તથારૂપ ઉપદેશનું પોષણ પણ રહ્યા કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તે તેમણે વિચાર્યા જેવું હોય છે, અને ચારિત્ર શબ્દને અર્થ વેષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય છે. તપ શબ્દનો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું; તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજયા જેવું હોય છે; વળી કવચિત્ જ્ઞાન, દર્શન, પદ કહેવાં પડે તો ત્યાં લૈકિક કથન જેવા ભાવોના કથનને જ્ઞાન અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શન શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે.
જે જીવો બાહ્યક્રિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ સમજે છે, તે
For Personal & Private Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
(૨૮૨) શાસ્ત્રોના કેઈ એક વચનને અણસમજણુભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા જે કઈ અહંકારાદિથી, નિદાનબુદ્ધિથી કે જયાં તેવી ક્રિયા ન સંભવે એવા છઠ્ઠી ગુણસ્થાનાદિસ્થાને કરે છે તે સંસારહેતુ છે, એમ શાસ્ત્રોને મૂળ આશય છે, પણ સમૂળગી. દાનાદિ ક્રિયા ઉત્થાપવાને શાસ્ત્રોને હેતુ નથી; તે માત્ર પિતાની મતિકલ્પનાથી નિષેધે છે. તેમ જ વ્યવહાર બે પ્રકારના છે; એક પરમાર્થમૂળહેતુ વ્યવહાર અને બીજો વ્યવહારરૂપ વ્યવહાર. પૂર્વે આ જીવે અને તીવાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે, તે વાયગ્રહણકરી સડો વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજ્યા એવું માને છે, પણ શાસ્ત્રકારે તે તેવું કશું કહ્યું નથી. જે વ્યવહાર પરમાર્થહેતુમૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યું છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા. જવાયોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય. એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં; કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષમાર્ગ
For Personal & Private Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
(૨૮૩) માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે; અને પરમાર્થમૂળહેતુ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદ્દગુરૂ સન્શાસ્ત્ર અને મનવચનાદિ સમિતિ તથા ગુપ્તિ તેને નિષેધ કર્યો નથી; અને તેને જે નિષેધ કરવા યોગ્ય હોય તે શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવા જેવું રહેતું હતું, કે શું સાધન કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યાં? અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે, અને અવશ્ય આવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોને આશય છે. શુષ્કઅધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને તથા પરને દુર્લભબધીપણું કરે છે. - શમ, સંવેગાદિગુણો ઉત્પન્ન થયે,અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડયે તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદ્દગુરૂગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથ, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પિતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતર્ભેદ થયા
For Personal & Private Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
( ૨૮૪ )
વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પેાતાને વિષે જ્ઞાન ક૨ે છે, અને ક્રિયા તથા શુદ્ધવ્યવવહારરહિત થઇ વર્તે છે, એવા ત્રીજો પ્રકાર શુષ્કઅધ્યાભીનેા છે. ઠામ ઠામ જીવને આવા યાગ બાઝે તેવું રહ્યું છે, અથવા તેા જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિઈચ્છક ગુરુઓ, માત્ર પોતાનાં માન-પૂજાદિની કામનાએ કરતા એવા, જીવાને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે; અને ઘણું કરીને કવિચત જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષમપણુ છે. આ દુષમપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થરહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યુ છે. અનુકૂળ સ યાગમાં તેા જીવને કઇંક આછી જાગૃતિ હાય તાપણુ વખતે હિન ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ યાગ વર્તતા હાય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગ્રત રહેવુ જોઇએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કોઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાનકાળ દુષમ કહ્યો છે છતાં તેને વિષે અનત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહેામાં ન
For Personal & Private Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
(૨૮૫) પડતાં યથાશકિત વૈરાગ્યાદિ અવશ્ય આરાધી સદ્દગુરૂને યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળો એ અને અજ્ઞાનથી રહિત થવાને સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. મુમુક્ષુ જીવમાં સમાદિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે; અથવા તે ગુણે વિના મુમુક્ષતા ન કહી શકાય. નિત્ય તે પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં ફરી ફરીને પુરુષાર્થ કરતાં, તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે. [૪૦] ૧૧૭ [ વર્ષ ર૫ મું )
किं बहुणा इह जह जह, रागदोसा लहुं विलिज्जंति, तह तह पयट्टिअळ, एसा आणा · जीणिंदाणम् ।
કેટલુંક કહિએ? જેમ જેમ આ રાગદ્વેષને નાશ વિશેષ કરી થાય છે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે.
-
નામ છે,
[ ૭૪ ]
૧૧૮ [ વર્ષ ૩૦ મું ] ... “જ્ઞાનનું ફળ વિરતિ છે. વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા
For Personal & Private Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
(૨૮૬) વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિગુમથી ઉદાસ ન થયો, વિભાવને ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોને અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાને જ્ઞાનીને પરમાર્થ છે...
[ ૧૮ ]
૧૨૯ [ વર્ષ ૩ મું ] ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મક્ષપાટણ સુલભ જ છે. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવીર્યપણું જોઈને ઘણે જ ખેદ થાય છે,
અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરૂષનાં ચરિત્ર અને વાકયનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શોર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદકરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી એ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.
For Personal & Private Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
[ ૮૪૩ ].
૧૨૦ [ વર્ષ ૩૧ મું ] શ્રીમત્ વીતરાગ ભગવતેએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુ:ખને નિ:સંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એ સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તે,
ત્રિકાળ જયવંત વર્તો. તે શ્રીમત અનંત ચતુષ્ટયસ્થિત ભગવંતને અને તે જયવંત ધર્મનો આશ્રય દેવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યાં છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી.
ચિત્તમાં દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય
નથી.
For Personal & Private Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
(ર૮૮) | દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ દષ્ટિ કર્તવ્ય છે.
હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોને ઘર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ–શુદ્ધ-ચત –સ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરૂષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્દભુત ચરિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણસ્વરૂપ છે.
નિર્વિકલ્પ.
For Personal & Private Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________ For Personal & Private Use Only