________________
(૪૬) માતાપિતાને વિનય કરી, આત્મહિતને લક્ષ ભુલાય નહીં, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું.
પતે ભજન કરતાં પહેલાં સત્પાત્રે દાના દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતાં યથોચિત પ્રવૃત્તિ કરવી.
આહાર વિહારને નિયમિત વખત રાખવો તેમજ સત શાસ્ત્રના અભ્યાસ અને તાવિક ગ્રંથના મનનને પણ નિયમિત વખત રાખવો.
સાયંકાળે સંધ્યાવશ્યક ઉપયોગપૂર્વક કરવું. ચેવિહાર પ્રત્યાખ્યાન કરવું. નિયમિત નિદ્રા લેવી.
સૂતા પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશવ્રતદોષ અને સર્વ જીવને ક્ષમાવી, પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી, મહાશાંતિથી સમાધિભાવે શયન કરવું.
આ સામાન્ય નિયમે બહુ લાભદાયક થશે. એ તમને સંક્ષેપમાં કહ્યા છે. સૂક્ષ્મ વિચારથી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગળદાયક થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org