________________
(૪૫) . અને કેટલોક ભાગ મહાપુરુષોનાં ચરિત્રકથામાં ઉપગપૂર્વક રોકવો. પરંતુ જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિકીકાળ વ્યતીત કરવો. કંઈ સાહિત્ય ન હોય તો પંચ પરમેષ્ઠીમંત્રને જાપ જ ઉત્સાહપૂર્વક કરવો. પણ વ્યર્થ કાળ કાઢી નાખે નહીં. ધીરજથી, શાંતિથી અને યત્નાથી સામાયિક કરવું જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્રપરિચય વધાર.
સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી સામાયિક તે ભાવથી કરવું.
સામાન્ય નિત્યનિયમ. - પ્રભાત પહેલાં જાગૃત થઈ, નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું. પાપવ્યાપારની વૃત્તિ રેકી રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપગપૂર્વક પ્રતિક્રમણ કરવું.
પ્રતિક્રમણ કર્યા પછી યથાવસર ભગવાનની ઉપાસના સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજજવલ કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org