________________
( ૪૪ ) ભારે કમી ઓ એ અવસરમાં વ્યવહારના પ્રપંચો પણ ઘડી રાખે છે. આથી સામાયિક બહુ દોષિત થાય છે.
વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. સાઠ ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. અસંખ્યાત દિવસથી ભરેલાં અનંતાં કાળચક્ર વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે સામાયિકમાં પ્રવેશ કર્યા પછી ચાર લોગસ્સથી વધારે લોગને કાયોત્સર્ગ કરી ચિત્તની કંઇકસ્વર થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું. વૈરાગ્યનાં ઉત્તમ કાવ્ય બલવા, પાછળનું અધ્યયન કરેલું
સ્મરણ કરી જવું. નૂતન અભ્યાસ થાય તો કરો. કેઈને શાસ્ત્રાધારથી બંધ આપવો; એમ સામાયિકીકાળ વ્યતીત કરે. મુનિરાજને જે સમાગમ હોય તો આગમવાણી સાંભળવી અને તે મનન કરવી, તેમ ન હોય અને શાસ્ત્રપરિચય ન હોય તો વિચક્ષણ અભ્યાસી પાસેથી વૈરાગ્યબાધક કથા શ્રવણ કરવું; કિવા કંઈ અભ્યાસ કરવો. એ સઘળી યોગવાઈ ન હોય તો કેટલોક ભાગ લક્ષપૂર્વક કાર્યોત્સર્ગમાં રેક;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org