________________
( ૧૪૪ )
આત્મભાંતિ સમ રોગ નહીં, સદ્દગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધવિચાર ધ્યાન. ૧૨૯ જો ઈચ્છા પરમાર્થ તા, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઇ, છેદે નહીં આત્માર્થ. ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં ને'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેાય. ૧૩૧
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહીં, બન્ને સાથ રહેલ. ૧૩૨
ગચ્છમતની, જે કલ્પના, તે નહીં સદ્વ્યવહાર; ભાન નહીં નિજ્રરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હાય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહીં કાય. ૧૩૪
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય, ૧૩૫
ઉપાદાનનું નામ લઇ, એ જે તજે નિમિત્ત; પામે નહીં સિદ્ધત્ત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org