________________
( ૨૭૭). એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમકે આત્મા તે દોષને દવા પિતાની સન્મુખ લાવે છે કે, તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાંખી પિતાને વિષે એકાગ્ર બુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્ર બુદ્ધિ એવા પ્રકારની હોય છે કે, “મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાધ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ; અને કરતાં જાગૃત રહીશ; એ આદિ બ્રાંતદશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી, અથવા તે દોષ વધે છે, તેને લક્ષ તેને આવી શકતો નથી.
એ વિરોધી સાધનને બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે: એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ; બીજે પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું.
વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે, કેમકે તેથી વિચારને અવકાશ પ્રાપ્ત થાય છે. છે તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશે દેશે તેને ત્યાગ કરવો ઘટે; પરિગ્રહ તથા ગોપભેગના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org