________________
( ૨૭૮ ) પદાર્થને અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે, અને આશ્રયભક્તિ દઢ થાય તથા જ્ઞાનીનાં વચનનું આત્મામાં પરિણામ થઈ તીવજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.
જીવ કેઈક વાર આવી વાતને વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય. એજ વિનંતિ.
[ કરર ]
૧૧૬ [ વર્ષ ૨૬ મું ! ..જિનાગમમાં આ કાળને દુષમ' એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે, કેમ કે “દુષમ’ શબ્દને અર્થ “દુ:ખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો થાય છે. તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એ એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જોકે પરમાર્થમાર્ગનું દુર્લભ પણું તો સર્વ કાળને વિષે છે, પણ આવા કાળને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org