________________
(૨૮૧ ) અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ ક છે; અથવા સ્વમતિકલ્પનાએ અધ્યાત્મ ગ્રંથ વાંચી કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષમાર્ગ કો. છે. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમાદિ હેતુમાં તે તે માન્યતાને આગ્રહ આડે આવી પરમાર્થ પામવામાં થંભભૂત થાય છે.
જે જીવે શક્કક્રિયાપ્રધાનપણામાં મોક્ષમાર્ગ કલ્પ છે, તે જીવોને તથારૂપ ઉપદેશનું પોષણ પણ રહ્યા કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તે તેમણે વિચાર્યા જેવું હોય છે, અને ચારિત્ર શબ્દને અર્થ વેષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય છે. તપ શબ્દનો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું; તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજયા જેવું હોય છે; વળી કવચિત્ જ્ઞાન, દર્શન, પદ કહેવાં પડે તો ત્યાં લૈકિક કથન જેવા ભાવોના કથનને જ્ઞાન અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શન શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે.
જે જીવો બાહ્યક્રિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ સમજે છે, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org