________________
( ૧૬૯ )
શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રીકૃષ્ણ તરશે. જેવાટેથી શ્રીકૃષ્ણ તરશે તે વાટેથી શ્રીમહાવીર તર્યો છે. એ વટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે યાગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીદ્રિય સુખના અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભિવત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતાં અટકયા છે, તથા અટકશે અને અટકયા હતા.
કાઈ પણ ધર્મ સબંધી મતભેદ રાખવેા છેાડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક્ષેાગે જે માર્ગ સાધન કરવાના છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદાભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે ખાધ દેનારાને, મેક્ષને માટે જેટલા ભવના વિલંબ હશે, તેટલા સમયના (ગાણુતાએ ) સ ંશોધકને તે માર્ગના દ્વાર પર આવી પહેાંચેલાને વિલંબ નહીં હશે.
વિશેષ શુ કહેવું ? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વપ્રાપ્ય પુરુષ–નિગ્રંથ આત્મા–જયારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે–ઉદય આપશે–ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org