________________
જગદુ ભૂષણ જિનવરા, જગદુ વંઘ જગમાંય; યણ કર્મના દૂષણને, પાવન કરે પળમાંય.
સ્વધર્મબંધુ!
કીધાં હશે કુકર્મ દેહે, તમ પ્રતિ આ વરસમાં, છોડ્યાં હશે વળી વાફશસ્ત્રો, તમ પ્રતિ આ વરસમાં; ચિંતવ્યું હશે બૂરૂ તમારૂં, મન મહીં આ વરસમાં, દોષ અગણિત મમ થકી, એવા થયા આ વરસમાં.
દેષને દેણદાર હું, દેવું પતાવા મરૂં મથી, માફી મૂડી વિણ લાજ પ્રભુજી, હાથ મુજ રહેવી નથી; બાંધવ બની બંધ વાળ, હિસાબ એ મૂડી થકી, જંજીર જડેલાં હાલ તેડા, કાલ મૃત્યુ છે નકી.
સ્મૃતિનું સરવર જોઈએ તેવું નિર્મળ નહીં હોવાથી - જન્મ પામેલી “હશે” એવી ઉડાઉ કબૂલાત માફીની પરમ જિજ્ઞાસાને લેશ પણ ક્ષીણ કરતી નથી, એમ વિચારશે.
દેષના દાવાનલને બુઝાવનાર પરમ શીતળમય પર્વને - ' અદ્ભુત અનુભવ માત્ર દેષ રહિત વિરલાને જ થાય. મમ જેવા રાંકને શું?
એજ નામું માંડી વાળવા વિનંતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org