________________
વાંચનારને ભલામણ વાચનાર! હું આજે તમારા હસ્ત કમળમાં આવું છું. મને યત્નાપૂર્વક વાંચજો. મારાં કહેલાં તત્તવને હૃદયમાં ધારણ કરજો. હું જે જે વાત કહું તે તે વિવેકથી વિચારજે; એમ કરશે તે તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સગુણ અને આત્મશાંતિ પામી શકશે.
તમે જાણતા હશે કે, કેટલાંક અજ્ઞાન મનુષ્યો નહીં વાંચવા યોગ્ય પુસ્તકો વાંચીને પિતાને વખત ખાઈ દે છે, અને અવળે રસ્તે ચઢી જાય છે. આ લેકમાં અપકીર્તિ પામે છે, તેમજ પલકમાં નીચ ગતિએ જાય છે.
તમે જે પુસ્તકે ભણ્યા છે, અને હજુ ભણો છે, તે પુસ્તકે માત્ર સંસારનાં છે; પરંતુ આ પુસ્તક તે ભવ પરભવ બન્નેમાં તમારું હિત કરશે; ભગવાનનાં કહેલાં વચનને એમાં થોડો ઉપદેશ કર્યો છે.
તમે કઈ પ્રકારે આ પુસ્તકની અશાતના કરશે નહીં, તેને ફાડશો નહીં, ડાધ પડશે નહીં કે બીજી કોઈપણ રીતે બિગાડશો નહીં. વિવેકથી સઘળું કામ લેજે. વિચક્ષણ પુરૂષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે.
તમને એક એ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં નહીં આવડતું હોય અને તેની ઈચ્છા હોય તે આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું.
તમે જે વાતની ગમ પામો નહીં તે ડાહ્યા પુરૂષ પાસેથી સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશે નહીં.
તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંત ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું.
“મેક્ષમાળા” શિક્ષાપાઠ ૧
–શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org