________________
(૧૦૧) એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જે. અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ છે; શુદ્ધ નિરંજન ચેતન્યમૂર્તિ અનન્યમય, અગુરૂ, લધુ, અમૂર્ત સહજપદરૂપ છે. અપૂર્વ ૧૮ પૂર્વપ્રયાગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જે. અપૂર્વ ૧૯ જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અપુર્વ ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભઆશાએ થાશું તે જ સ્વરૂપ છે. અપૂર્વ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org