________________
( ૨૦ ) ૧૦૯ ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ
ન્યાય છે, સમજવું દુર્લભ છે. ૧૧૦ પવિત્ર પુરુષની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યક
દર્શન છે. ૧૧૧ ભર્તુહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચા
રતાં ઘણી ઊર્ધ્વજ્ઞાનદશા થતાં સુધી વર્તે છે. ૧૧ર કેઈધર્મથી હું વિરુદ્ધ નથી. સર્વ ધર્મ હું પાળું
છું. તમે સઘળાધર્મથી વિરુદ્ધ છે એમ કહેવામાં
મારો ઉત્તમ હેતુ છે. ૧૧૩ તમારે માનેલો ધર્મ મને કયા પ્રમાણુથી બંધ
છે તે મારે જાણવું જરૂરનું છે. ૧૧૪ શિથિલ બંધ દષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ
જાય. (–જે નિર્જરામાં આવે છે.) * ૧૧૫ કઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હૈ. ૧૧૬ દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો
ભૂમાવે છે. ૧૧૭ અત્યારે, હું કેણછું એનું મને પૂર્ણ ભાન નથી. ૧૧૮ તું સપુરુષને શિષ્ય છે. ૧૧૯ એ જ મારી આકાંક્ષા છે. ૧૨૦ મને કોઈ ગજસુકુમાર જે વખત આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org