________________
સત્સ્વરૂપને અભેદભાવ અને અનન્ય ભક્તિએ નમાનમ:
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરૂષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્ત્રતીતિ આવ્યા વિના સત્સ્યરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સ જ્ઞાનીઆએ સેવ્યા છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિના એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોના માધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કાઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવા. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતુ નથી. ( અંધત્વ ટળવા માટે ) જીવે એ માર્ગના વિચાર કરવો; દૃઢ માÀચ્છા કરવી; એ વિચારમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org