________________
(૨૫) ૭૧ એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વ
જ્ઞાન પ્રાપ્ત થાય છે. ૭૨ ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ
બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શેકને સંભાર નહીં;
આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. ૭૩ જગત જેમ છે તેમ તત્વજ્ઞાનની દૃષ્ટિએ જુઓ. ૭૪ શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જેવાને શ્રીમત
મહાવીર સ્વામીએ સમ્યકત્ર આપ્યાં હતાં. ૭૫ ભગવતીમાં કહેલી પુદ્ગલ નામના પરિવ્રાજકની
કથા તત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. ૭૬ વીરનાં કહેલાં શાસ્ત્રમાં સેનેરી વચનો છટક
છટક અને ગુપ્ત છે. ૭૭ સમ્યફનેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો
પણ આત્મહિત પ્રાપ્ત થશે. ૭૮ કુદરત, આ તારો પ્રબલ અન્યાય છે કે મારી
ધારેલી નીતિએ મારો કાલ વ્યતીત કરાવતી નથી ! (કુદરત તે પૂર્વિતકર્મ).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org