________________
(૧૬) વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવશે. ૧૦૬ સતશીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે.
એ વાત જે માન્ય ન હોય તો અત્યારથી તમે
લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. ૧૦૭ આ સઘળાંને સહેલો ઉપાય આજે કહી દઉં : છું કે દોષને ઓળખી દોષને ટાળવા. ૧૦૮ લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ
મારી કહેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિઓ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું?
વચનામૃત. ૧ આ તે અખંડ સિદ્ધાંત માનજે કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણુરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યાં છે. ૨ એકાંત ભાવી કે એકાંત ન્યાયદોષને સન્માન ન
આપજો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org