________________
(૮) અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. ૪૭ એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુક્ત
થઈ ભગવદ્ભક્તિમાં લીન થઈ ક્ષમાપના યાચ. ૪૮ સંસાર પ્રજનમાં જે તું તારા હિતને અર્થે
અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો
અટકજે. ૪૯ જુલ્મીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો
હે તે અટકજે. પ૦ ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મ કર્તવ્ય
અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. ૫૧ જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે. માટે
જંજાળ ટૂંકી કર તે સુખરૂપે જિંદગી લાંબી
લાગશે. પર સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઈત્યાદિ બધાં સુખ
તારે ઘેર હોય તો પણ એ સુખમાં ગૌણતાએ દુ:ખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં
પ્રવેશ કર. પ૩ પવિત્રતાનું મૂળ સદાચાર છે. ૫૪ મન દેરંગી થઈ જતું જાળવવાને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org