________________
( ૭૫ )
હે જીવ, તું ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે; તે બહાર શોધવાથી નહીં મળે.
અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્યપદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ.
- સ્થિતિ રહેવી બહુ વિકટ છે; નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એનો દઢ ઉપયોગ રાખવો જોઈએ.
એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તે તું મૂંઝાઈશ નહીં. નિર્ભય થઈશ.
હે જીવ! તું ભૂલ મા. વખતે વખતે ઉપગ ચૂકી કોઈને રંજન કરવામાં, કેઈથી રંજન થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે. તે ન કર. [ પ૭ર ] ૧૧૫ [ વર્ષ ૧૮મું ] | સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં, એ સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org