________________
(૨૩) [ ૧૩૩ ]
૬૮ [ વર્ષ ૨૩ મું ] ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતને રસ્ત છે. ચિત્તના સંકલ્પવિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. અલિપ્તભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે.
[ ૧૯૯ [
૬૯ [ વર્ષ ૨૪ મું ] ઉપાધિના યોગને લીધે શાસ્ત્રવાંચન જે ન થઈ શકતું હોય તે હમણું તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિને લક્ષ રાખવાનું સ્મરણ રાખજે.
જેટલો વખત આયુષ્યને તેટલો જ વખત જીવ ઉપાધિને રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે ? મનુષ્યત્વના સફળ પણ માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિનિત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org