________________
(૧૭૨ ) ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષો તે કર્મસંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વ સંયોગે સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભેગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્થ શ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તન માન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે.
કઈ પણ આત્મા ઉદયી કમને ભેગવતાં સમત્વશ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે, તે ખચીત ચેતનશુદ્ધિ પામશે.
આત્મા વિનયી થઈ, સરળ અને લધુત્વભાવ પામી સદેવ સત્પષના ચરણકમળ પ્રતિ રહ્યો, તે જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય.
અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સદ્દગુરૂત્વ, સત્સંગ અને સત્યથા એ રહ્યાં છે.) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે, કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org