________________
(૧૫૦ ) ઉપર બતાવેલાં મધ્યેનું એક પણ આ જીવનું નથી, છતાં પિતાનું માની બેઠે છે, તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્ય તાની ભૂલ છે, તે સુધારવાથી બની શકવા ગ્ય છે. તે ભૂલ શાથી થઈ છે? તે વિચારતાં, રાગ દ્વેષને અજ્ઞાનથી. ત્યારે તે રાગાદિને કાઢવા. તે શાથી નીકળે? જ્ઞાનથી. તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય?
પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા ત્રણ યોગ અને આત્મા અર્પણ કરવાથી. તે જે પ્રત્યક્ષ સગુરુની હાજરી હોય તો શું કરવું? ત્યાં તેમની આજ્ઞાનુસાર વર્તન કરવું.
પરમ કરૂણાશીલ, જેના દરેક પરમાણુમાં દયાનો ઝરો વહેતે રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થને વિચાર કરતાં છતાં અનાદિકાળથી દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી, તથાપિ કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગવેષણ કરવામાં આવે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org