________________
(૨૧) ૩૭ એકથી મિત્રી કરીશ નહીં, કર તે આખા
જગતથી કરજે. ૩૮ મહા સોંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડાવિલાસ
નિરીક્ષણ કરતાં છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને
ત્રિકાળ નમસ્કાર છે. ૩૯ ભેગના વખતમાં યોગ સાંભરે એ હળુકમનું
લક્ષણ છે. ૪૦ આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતું નથી;
આખી સૃષ્ટિ સશીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંતિ અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યત બાલ્યાવસ્થા, આત્મતત્વનું ચિંતવન. ૪૧ એમ કઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને
જ ઈચ્છું . ૪ર સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે? ૪૩ કેઈ અપેક્ષાએ હું એમ કહુ છું કે સૃષ્ટિ મારા
હાથથી ચાલતી હતી તે બહુ વિવેકી ઘોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org