________________
( ૧૧૧ )
આત્મારૂપ પુરુષ વિના જાણ્યા જાય એવા નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઇ, તે તીર્થં કરના માર્ગખાધને નમસ્કાર કરીએ છીએ.
ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવના વિચાર થવા અર્થે તે જીવ પ્રાપ્ત થવા અર્થે યાગાદિક અનેક સાધને ને બળવાન પરિશ્રમ કર્યે છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે. તે જ કહેવા વિષે જેના ઉદ્દેશ છે, તે તીથંકરનાં ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ.
[ અપૂર્ણ ]
[ ૪૩૭ ]
આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચાસહિત વર્તે છે, એવાં મનુષ્યપ્રાણી કલ્યાણના વિચાર કરવાને સર્વથી અધિક યાગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યાં છતાં તે કલ્યાણુ સિદ્ધ થયું નથી, જેથી વત માન સુધી જન્મ મરણના માર્ગ આરાધવા પડયો છે. અનાદિ એવા આ લાકને વિષે જીવની અનંત કાટી સ ંખ્યા છે; સમયે સમયે અનંત પ્રકારની જન્મ મરણાદિ સ્થિતિ તે જીવાને વિષે વો કરે છે, એવા અનંતકાળ પૂર્વે વ્યતીત થયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org