________________
( ૧૦ )
અજવાળારૂપ હોય; તેમ જ આવરણતિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “સત’ જણાતી નથી, અને “સત” ની નજીક સંભવતી નથી. “સ” છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિત (જુદું) છે; કલ્પનાથી “પર” (આધે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતા નથી એ દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરે, અને પછી “સ” ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય.
આ જે વચન લખ્યાં છે, તે સર્વ મુમુક્ષને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક પ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બંધનું બીજ સ ક્ષેપ કહ્યું છે માટે ફરીફરીને તેને સંભાર, વિચારજો; સમજજે; સમજવા પ્રયત્ન કરજે; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજે; એમાં જ વૃત્તિને લય કરજે. એ તમને અને કોઈ પણ મમક્ષને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે; એમાં સત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org