________________
(૧૭) વ્યવહારશુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે; વ્યવહારશુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિશંક છે. ૧ જેને ધર્મ સંબંધી કંઈ પણ બંધ થયા છે, અને રળવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઈએ. ૨. જેને ધર્મ સંબંધી બોધ થયો છે, છતાં સ્થિતિનું દુ:ખ હોય તો બનતી ઉપાધી કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ.”
૩. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝાવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પિતાને પૂછવું. જે ઉત્તરમાં પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવત હોય, કિવા પરિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તે મનને સંતોષી લેવું; તેમ છતાં ન વળી શકે તેમ હોય તે અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ.
* (સર્વસંગપરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમથી સંબંધ નથી.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org