________________
( ૧૧૫) અવક્તવ્યપણે જે છે તે અહીં “અવક્તવ્ય” જ છે. વક્તવ્યપણે જે જીવ ધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવન વિશુદ્ધ પરિણામે અથવા સત્પષે કરી જણાય એવો જીવ ધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દેહાને વિષે કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફટ સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે. તથાપિ યથાવકાશ અત્ર તેનો અર્થ લખ્યો છે.
[૪૩૮ ]
મુંબઇ, ચિત્ર સુદ ૧, ૧૯૪૯ સમતા, રમતા, ઊરધતા. જ્ઞાયતા સુ ખ ભા સ; વેદકતા, ચે ત ન્ય તા, એ સબ જીવ વિલાસ.”
શ્રી તીર્થકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં છે, તેને વિષે અમારું ઉદા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org