________________
( ૧૧૬ )
સીનપણુ' છે, જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્ય અમે જાણ્યા છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના ખાધે કરી રહિત એવા કહ્યો છે. અમે તે આત્મા એવ જાણ્યા છે, જોયા છે, સ્પષ્ટ અનુભવ્યા છે, પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા ‘સમતા ’ નામના લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કાઇ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણ એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવુ જે સમપણુ, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે.
પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે વૃક્ષાદિને વિષે જે કઇ રમણીયપણુ જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફુર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણુ છે લક્ષણ જેનું તે જીવ નામના પદાર્થ છે. જેના વિધમાનપણા વિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org