________________
(૭૯) કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી; મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી; અલાકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાન ધારો, ખરેખરી ખાંતથી. ૨ દિનકર વિના જેવ, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી પ્રજ પુરતણી પેખે, સરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી સરિતાની શોભા અને, ભર્તાર વિહીન જેવી ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના. માનવી મહાન તેમ, કુકમ કળાય છે. ૩ ચતુરો ચાંપેથી ચાહી ચિંતામણી ચિત્ત ગણે. પંડિતો પ્રમાણે છે. પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી કલ્પતરૂ કર્થ જેને, સુધાને સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org