________________
( ૧૨ ) વાળાં રૂપ લય પામ્યાં જાય છે. મહાત્માના વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે, પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ “સતુ” નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે બ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી, એમ સમજાય છે. બાળજીવ તો તે સ્વરૂપને શાશ્વતરૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કઈ જેગજીવ એવી અનેકતાની કહેણીથી મુંઝાઈ જઈ “સત્' તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. “ભ્રાંતિ” નું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણન વવાને મોટા પુરુષને એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપને વિચાર કરતાં પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું? આમ
અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું, અને મને શું કલ્યાણકારક? એમ વિચારતાં વિચારતાં એને એક ભ્રાંતિને વિષય જાણી, જયાંથી “સ” ની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી, એમ સમજી તે શેધી, શરણાપન્ન થઈ “સ” પામી “સત” રૂપ હોય છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org