________________
(૨૪૧) ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ”.
મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે “સંવેગ.
જયારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણુ થઈ, અરે જીવ ! હવે થોભ, એ “નિર્વેદ.
માહાસ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરૂષનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા–“આસ્થા.
એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે “અનુકંપા.
આ લક્ષણે અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા ગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અધિક અન્ય પ્રસંગે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org