________________
( ૧૨ ) ૭૮ કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત
કરીને આવ્યું છે તે આનંદ માન, નિરાભિ
માની રહે. ૭૯ જાણતા અજાણતાં પણ વિપરીત થયું હોય તે
હવે તે માટે અટકજે. ૮૦ વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે
સંસારની નિવૃત્તિ શોધજે. ૮૧ આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, તેવી તારી જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા તે
જ આ૦– ૮૨ આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે
જ તારું આયુષ્ય સમજી સદ્દવૃત્તિમાં દોરાજે. ૮૩ સત્પષ વિદૂરના કહ્યા પ્રમાણે આજે એવું
કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. ૮૪ આજ દિવસ સોનેરી છે પવિત્ર છે, કૃતકૃત્ય
થવારૂપ છે, એમ પુરુષોએ કહ્યું છે; માટે
માન્ય કર. ૮૫ જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની
સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org