________________
૧૯
કડયા હોત તેા આપણે કેટલીક લુટ મેળવી શકતે, આપણે કેવી ૩લટભેર આવ્યા હતા. અને એટલીવારમાં આપણે હતાશ થઇ ગયા. આપણી આશાએ ખરેખર હણાઇ ગઇ. અરે ! પણ હરામનું ખાવાવાળા આપણા જેવા સેવકાના ઉપર કુદરત શામાટે ક્ા નહિ થાય! પણ અમારા સરખા અભાગીયાઓને આવા વિચારા કયાંથી આવે ! જેની તેની પાસેથી ગ્રહણ કરવાનેજ અમેા જન્મેલા છીયે, કાણુ જાણે દિવસમાં કેટલાએ અન્યાયે અમારા હાથે બનતા હશે. ખેર ! જે અને તે ખરૂં ! ચાલો રાજાને જઇને નિવેદન કરીયે, દેદાશાહને ઘેર રાજાના નામનુ સીલ કરીને નિરાશથી શેાકાતુર યુક્ત વદનવાળા સુભટે રાજા પાસે જને તેના ધરના સવિસ્તર તિહાસ જણાવતા હવા, રાજૂ પણ આશ્ચર્ય પામતા ચ વિચાર રૂપી ઘટમાળમાં વીટાવા લાગ્યા, ને આવેલા સુભટાને રજા આપી પાતાના અન્તઃપુરમાં વિચાર કરતા તે ચાહ્યા ગયા.
પ્રકરણ ૪ શું “ કારાગ્રથી મુક્તિ *
}}
कृतकर्मक्षयो नास्ति, कल्प कोटि शतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ १ ॥
ભાવાથે—ક્રોડા ગમે ઉપાય કર્યો છતાં પણ કરેલાં કર્મોના નાશ થતા નથી, પ્રાણીયાને શુભ અથવાં અશુભ કર્મ અવસ્યું કરીને ભોગવવું પડે છે.
સુખની શિતલ અને શાંતિદાયક લહેરીમાં વળી આ દુ:ખનું વાદળ કર્યાંથી તુટી પડયુ! માણસને માથે દુઃખતા લાગેલુ છે. દુ:ખ એક માણસના જીવનની કસેાટી છે. માનવનુ જીવન તે દુઃખને ક્રીડા કરવાની એક શાલા છે. હા ! રાજાએ મને અન્યાયે કરીને શીક્ષા કરેલી છે. નરકના દ્વાર સરખા આ કારાગ્રહથી હવે કયારે મુક્તિ ચશે ! રાષાયમાન થએલા રાજા શું હવે મને મુક્ત કરવાના હતા !