________________ આદિ મંગલ-૧ પ્રારંભમાં શ્રી અરિહંત ભગવંતોને 108 નમસ્કાર કરવામાં આવ્યા છે. આ રિહંતનમોહકારાવલિયા (ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૧૮૪)નો લગભગ અક્ષરશઃ અનુવાદ છે. આ 108 નમસ્કાર દ્વારા ભગવંતની 108 સર્વોત્તમ અવસ્થાઓનું સહજ ધ્યાન થઈ જાય છે. રોજ પ્રાતઃકાળમાં કરાયેલા આ નમસ્કાર મહામંગલકારી છે. આ કૃતિ કોઈક (અજ્ઞાત નામ) મહાન પૂર્વાચાર્યની છે. જેઓને પ્રાકૃતમાં પાઠ ફાવે તેઓએ નમસ્કાર સ્વાધ્યાય-પ્રાકૃત વિભાગ અથવા શ્રી તિતસ્તોત્રસિંહોદ ગ્રંથ દ્વારા તે જરૂર કરવો, જેઓને પ્રાકૃત પાઠ ન ફાવે, તેઓએ અહીં આપેલો ગુજરાતી પાઠ કરવો. અરિહંતના અતિશયો