________________ અધ્યયન-૪ 8 મહાપ્રાતિહાર્યો कंकिल्लि'-कुसुमबुट्ठी, સેવા -ચામરેT-ડડસUડું . ભાવન-એરિ-છત્ત, जयंति जिणपाडिहेराई / 1 અશોક વૃક્ષ, 2 પુષ્પવૃષ્ટિ, 3 દિવ્યધ્વનિ, 4 ચામર, 5 સિંહાસન, 9 ભામંડલ, 7 દુંદુભિ અને 8 ત્રણ છત્ર એ જિનપ્રાતિહાર્યો સદા જય પામે છે. - પ્રવચન સારોદ્ધાર, ગાથા-૪૪૦. अशोकवृक्षः' सुरपुष्पवृष्टिः - दिव्यो ध्वनि चामर मासनं च / भामंडलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् / / શ્રી યાકિનીમહત્તરારૂનુશ્રી હરિભદ્રસૂરિ–સૂત્રિત નેસ્તનાપતાપ્ર - ગાથા ૧ની સ્વપજ્ઞ વ્યાખ્યામાં આપેલ પૂર્વાચાર્યોનું અવતરણ 1 અશોકવૃક્ષ, 2 સુરપુષ્પવૃષ્ટિ, 3 દિવ્યધ્વનિ, 4 ચામર, 5 સિંહાસન, કે ભામંડલ, 7 દુંદુભિ અને 8 ત્રણ છત્ર - આ આઠ શ્રી જિનેશ્વરોના સત્કાતિહાર્યો છે. સત્ એટલે વિદ્યમાન, વાસ્તવિક, સત્ય; પણ અવિદ્યમાન, અવાસ્તવિક, અસત્ય કે કાલ્પનિક નહીં. પ્રાતિહાર્યો દેવનિર્મિત હોય છે. તે વિશે ઉપમિતિમાં કહ્યું છે કે - इत्येवमादिभिर्देव ! देवदानवनिर्मितैः / / प्रातिहार्यमहाभागः, स वरिष्ठो विराजते / / હે દેવ !' એવી રીતે દેવો અને અસુરોથી નિર્મિત આ પ્રાતિહાર્યો વડે તે મહાન ભાગ્યશાળી રાજાધિરાજ વરિષ્ઠ (તીર્થકર ભગવાન) શોભે છે. 1. “હે દેવ !', એ તે રાજાનું સંબોધન છે કે જેને ઉદ્દેશીને આ વાક્ય કહેવાઈ રહ્યું છે, જુઓ ઉપમિતિ પૃ. 602, શ્લો. ક૨૫. અરિહંતના અતિશયો 43