________________ દેવકૃત અષ્ઠમ અતિશય અ. પાંચે ઇન્દ્રિયોના વિષયોની પ્રતિકૂલતા ન થવી. “હે વચનાતીત ચરિત્રવાળા સ્વામિન્ ! ત્રણે જગતના પરમગુરુ એવા આપ જ્યાં વિચરતા હો ત્યાં પાંચે ય ઇન્દ્રિયોના વિષયો પ્રતિકૂળ થતા જ નથી, એટલું જ નહીં, કિન્તુ અનુકૂળ જ થાય છે. હે સર્વોત્તમ કન્દ્રિય અને સર્વોત્તમ શબ્દવાળા સ્વામિનું ! આપ જે પ્રદેશમાં વિચરતા હો તે પ્રદેશમાં વેણુ, વીણા, મૃદંગ, મધુર ગીત વગેરેના શબ્દો તથા ‘જય પામો, જય પામો, ‘ઘણું જીવો ઘણું જીવો' વગેરે પ્રશસ્ત ઉચ્ચારો જ સંભળાય. તે બધા શબ્દો કર્ણ ઇન્દ્રિયને સુખકર જ હોય છે, પરંતુ રુદન વગેરેના કરુણ શબ્દો, ગધેડું, ઊંટ, ડી : વગેરેના કકરા શબ્દો, જે કર્ણ ઇન્દ્રિયન દુ:ખદાયક હોય, કદાપિ ન જ સંભળાય. હે સર્વોત્તમ ચક્ષુ ઈન્દ્રિય અને સર્વોત્તમ રૂપવાળા સ્વામિનું ! આપ જ્યાં વિચરતા હો ત્યાં સુંદર સ્ત્રીઓ, પુરુષ, રાજાઓ, દેવતાઓ, દેવવિમાના, ઉત્તમ ફળોથી સહિત ઉદ્યાનો, જલપૂર્ણ સરોવરો, સુંદર કમલખંડો વગેરે પ્રશસ્ત નયનેન્દ્રિયના વિષયો જ નયનપથમાં આવે, કિન્તુ મલિન શરીરવાળાં પ્રાણીઓ, રોગી, મૃત શરીરો નેત્રપથમાં કદાપિ આવતાં નથી. હે સર્વોત્તમ જિલ્લા ઇન્દ્રિય અને સર્વોત્તમ રસવાળા સ્વામિન્ ! આપ જે ભૂમિતલને વિહાર દ્વારા પવિત્ર કરતા હો છો તે ભૂમિતલને વિશે સાકર, ખજૂર, નાળિયેર, શેરડી, આંબા, નારંગી, કેળાં, દાડમ વગેરે વસ્તુઓ અતિમધુર રસમાં જ પરિણત થાય છે, કિન્તુ કડવા રસવાળી વનસ્પતિઓ વગેરે તે પ્રદેશમાં કદાપિ હોતી નથી. હે સર્વોત્તમ સ્પર્શથી સર્વાતિશાયી શરીરને ધારણ કરનાર સ્વામિનું ! આપ જે પ્રદેશમાં વિદ્યમાન હો તે પ્રદેશમાં અત્યંત મુલાયમ અને ઉત્તમ વસ્ત્રોથી સુશોભિત મનોહર સ્પર્શવાળાં સ્ત્રી પુરુષો વગેરે જ વિદ્યમાન હોય, કિન્તુ કઠિન સ્પર્શવાળાં પ્રાણીઓ, પથરાઓ વગેરે વિદ્યમાન ન હોય. હે સર્વોત્તમ ધ્રાણેન્દ્રિય, સર્વોત્તમ સુગંધી શરીર અને સર્વોત્તમ દિવ્ય સુગંધી શ્વાસોચ્છવાસને ધારણ કરનાર નાથ ! આપ જ્યાં વિચરતા હો ત્યાં કસ્તૂરી, ચંદન, પારિજાત, કમલ, ચંપક, બકુલ, માલતી વગેરેની સુગંધ જ હોય, પણ ફ્લેવર વગેરેની દુર્ગધ ન હોય. 1. લા૮. 2. કર્ણ ઈદિયનો વિષય શબ્દ છે, આંખ ઇંદ્રિયનો વિષય રૂપ છે, પ્રાણ ઇન્દ્રિયનો વિષય ગંધ છે તથા સ્પર્શન ઇંદ્રિયનો વિષય સ્પર્શ છે. 204 અરિહંતના અતિશયો