Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan

View full book text
Previous | Next

Page 267
________________ પરિશિષ્ટ-૧૭ સમોસરણનાં ઢાળિયાં રચયિતા : મુનિ શ્રી અમૃતવિજયજી મ. ઢાળ-૧ શ્રી જિનશાસન નાયક નમિયે, વર્ધમાન જિનરાયા રે; દુષમકાળે જિનપદ સેવા, પૂરણ પુન્ય પાયા રે, ભવિજન ભાવે સમવસરણમેં, ચાલો જિનવર નમિયે રે. 1. કોડાકોડી સુરવર મળી આવે, અહનિશ સારે સેવા રે; પ્રભુજીની ભક્તિ કરે નિજ શક્ત, નિજ આતમ ઉદ્ધરવા રે. ભવિ૨ ભક્તિભાવ ઉલટ ઘણો આણી, રચના કરત મનોહારી રે; ત્રિગડાની શોભા કરે ભારી, તે સાંભળો નરનારી રે. ભવિ. 3 જોજન એક પ્રમાણે ભૂમિ, શોધન કરે ચિત્ત લાઈ રે; વાયુકુમાર કંટક પ્રમુખ જે, દૂર કરે ચિત્ત લાઈ રે. ભવિ. 4 નિરમળ નીર સુગંધ વરસાવે, મેવકુમાર શુભ ભાવે રે, ભૂતલ પાણીએ બહુ સિંચી, પુણ્યવૃક્ષ માનુ વાવે રે. ભવિ. 5 ખટ ઋતુના અધિષ્ઠાયક દેવા, પંચવરણ પુષ્ય લેઈ રે; વિખેરે જોજન ભૂમિ લગે, પંજ કરે વળી કઈ રે. ભવિ. 6 વાયુ મેઘ ખટઋતુના દેવતા, ભક્તિ કરી પહેલી ઢાળે રે; દાન દયા ગુરુચરણ પ્રસાયે, અમૃત સુખ માંહે માલે રે. ભવિ. 7 ઢાળ-૨ વાણવ્યંતરના દેવતા રે, એ શક્તિ અપાર રે, સલુણા. મણિ કનકે રતને જડિ રે, મહિયલ શોભા અપાર રે. સ. ત્રિગડાની શોભા શી કહું રે, કહેતાં ન આવે પાર રે. સત્રિ. 1 254 અરિહંતના અતિશયો

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294