Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan
View full book text
________________ વિબુધા મન હરખી રે કે પુષ્પની વૃષ્ટિ કરે, વિકસ્વર પાંખડી રે કે સરવે ઊર્ધ્વ ધરે; જાનુ પરિમાણે રે કે જળથળના ઉપના, કુમતિ મન શંકા રે કે કદીએ નહિ કરના. શ્રી. 3 દેવદુંદુભિ રાજે રે કે વળી ચામર વીંઝે, દિવ્ય ધ્વનિ પુરે રે કે જિન વાણી રીઝે; ધર્મચક્ર આગળ રે કે ચારે પ્યાર દિશા, ધર્મચક્રી માટે રે કે સોહે જગદીશ. શ્રી. 4 તે સ્ફટિક રતનના રે કે કમળ ઉપર રહ્યા, અષ્ટ મંગલિક આગે રે કે તે સમીચીન કહ્યા, ધૂપઘટિયો દ્વારે રે કે બહુલ સુગંધમયી, એ રચના વ્યંતર રે કે કરતાં ઉછાંહી. શ્રી. 5 હવે ભવિયણ ભાવે રે કે સુણવા જિનવાણી, દિશા દિશથી આવે રે કે ઉલટ અતિ આણી; દાન દયા હરખી રે કે જગગુરુને વંદે કહે અમૃત ભવનિધિ રે કે તરશે આણંદ. શ્રી. 6 ઢાળ-૭ સમવસરણમાં પરખદાજી, આવી મળે તિણી વાર, તેમના નામ જ સાંભળોજી, કહીશ સગુરુ આધાર, ગુણવંતા સજ્જન સાંભળો, પ્રભુ મુખ વાણ. ગુણ. 1 ગૌતમ આદે મુનિવરોજી, દેવી વિમાનિક સાર, સાધ્વી પૂરવ દ્વારમાંજી, પેસંતી હરખ અપાર. ગુણ. 2 ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીજી, વાંદે શ્રી વર્ધમાન; અગ્નિખુણમાં આવીનેજી, બેસે થઈ સાવધાન. ગુણ. 3 અરિહંતના અતિશયો 259

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294